મહાશિવરાત્રિ
Monday, February 23, 2009
"ત્ર્યંબકમ યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ
મહાદેવ બધા દેવોના દેવ છે. આજે આપણે સૌપ્રથમ તેમના સ્વરુપને જાણવાની કોશિશ કરીયે. તેઓ સદાશિવ છે. તેમનું રહેવાનું સ્મશાન માં છે. ભોજન ખપ્પરમા વાહન આખલો વસ્ત્રો મૃગચર્મ શરીરે ભસ્મ તથા સાપ વીંટળાયેલા છે.
તેમના સાથીઓ તરીકે ભુતપ્રેત તથા ભીલો છે. આમ શિવ મહેલો રાણીઓ મિષ્ટાનોના વૈભવ ના દેવ નથી. છ્તા કહે છે કે જ્યારે શિવને આખલા ઉપર બેસીને સામેથી આવતા જોવે તો ઇન્દ્ર પણ ઐરાવત પરથી ઉતરીને તેમને વંદન કરે.
આમ શિવ દેવાધિદેવ છે. તેઓ ભોળા છે. તેમને તપ કરીને પ્રસન્ન કરી શકાય છે. તેઓ નિલકંઠ છે. ઝેરને ગળામા જ પચાવી દીધું છે. તેજ પ્રમાણે આપણે જીવરુપી શિવ છીએ. અને કડવાશ નું ઝેર આપણે મોંમાથી બહાર નથી કાઢવાનું. ગળામાંજ પચાવવાનું છે. તેઓ પરમ કૃપાળુ છે છતા કોપાયમાન પણ એટલા જ થઈ શકે છે. જેને આપ્ણે રુદ્ર અવતાર કહીયે છીએ. રુદ્રાભિષેક નો અનેરો મહીમા છે.
આપણા દેશમાં બાર જ્યોતિલિંગ આવેલા છે. તેમાથી પાંચ તો મહારાષ્ટ્ર માં આવેલ છે. શિવલિંગ પણ અનેક પ્રકાર ના આવે છે. તેમા પારાનું શિવલિંગ સૌથી ઉચ્ચ પ્રકાર નું મનાયુ છે. તે શિવાય સોનાનું રજતનુ માટીનુ સ્ફટિકનું શિવલિંગ મલે છે. શિવ ને મહામ્રુત્યંજય મહાદેવ પણ કહે છે. ફકત દેવાધિદેવ શિવમાં જ એ શક્તિ છે કે જે યમને પાછો કાઢીને જીવ ને બચાવી શકે છે. શિવજીને બિલ્વ અતિશય પ્રિય છે. મા પાર્વતીએ બિલીપત્રનો અભિષેક કરીને જ શિવજીને પતિરુપે મેળ્વ્યા હતાં. હિમાલયના કૈલાશ પવઁત પર શિવજીનો વાસ મનાય છે. જે જે લોકો હિમાલય ગયા છે અને કેદારનાથ ના દર્શન કર્યા છે તેમને અલૌકિક અનુભુતી થયેલ છે. શિવ તેમને હજરાહજુર પર્વતની વચમાં તેમને દેખાય છે.
આપણે પણ સઘળી સૃષ્ટીને શિવરુપી દેખીને આપણા જીવન ને પાવન કરીયે.
ફરાળી વાનગી...
Saturday, February 21, 2009
સૂરણ નાં દહિંવડાં
સામગ્રી
રીત
સૂરણ ની છાલ ઉતારવી પછી વાંસણ માં પાણી લઈ સૂરણ ને ધોઈ નાખવું ત્યારબાદ કૂકરમાં સૂરણ ને બાફવા મૂકવું સૂરણ બરાબર બફાઈ જાય એટલે તેનો છુંદો કરીને તેમાં મીઠું આદુ મરચાં આખા મરી નાં દાણાં નાખીને પૂરણ તૈયાર કરવું
પછી એક કડાઈ માં ગેસ ઉપર તેલ ગરમ મૂકીને તેમાં વડાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા પછી દહીં વલોવીને તૈયાર કરવું. આંબલી- ખજુર ની ચટ્ણી જીરુ ગોળ નાખીં ને મીક્સરમાં તૈયાર કરવી
એક ડીશમાં વડાં ગોઠવી તેની ઉપર દહીં નાખવુ પછી તેની ઉપર મીઠા જીરા નો ભૂકો સમારેલી કોથમીર અને ગળી ચટણી તથા સંચળ નો ભૂકો ભભરાવી ને પીરસવું.
સાવધાની (નજમ)
Saturday, February 14, 2009
કે માર્ગમાં જે બળે છે ચિરાગ અશ્રુના-
અતિય પ્રિય છે એકાન્ત એમ તો મુજને,
પરંતુ આજ, જે અહીં તારી સાથ વીતે છે,
મમતા માફક
એવી નદીઓનો પછી કેમ થતે ત્યાં સંગમ?
એ જ છે એ જ આ 'તાપી' કે જેના તીરે,
એની યાદોની રમત પણ છે કૈં એના જેવી,
રાત અંધારી ને છે ચારે તરફ સન્નાટો,
મને બોલાવ હવે મારા વતનની ધરતી,
કાફલામાં હું કવિલોકની શામિલ છું છતાં -
જિંદગીને કદી સ્થિર ન રાખો ' આસિમ',
પ્રેમને રૂપનું વર્ણન ન હો જેમાં 'આસિમ',
જીવનનો માર્ગ
Friday, February 13, 2009
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
’બેફામ’
બેફામસાહેબની આ ગઝલનો છેલ્લો શેર ગુજરાતીના સૌથી યાદગાર શેરમાં સ્થાન પામે છે. આ સામાન્ય લાગતા શેરમાં એમણે જીવનની સરળ અને સચોટ ફિલસૂફી ભરી દીધી છે.
ભગવાન
કેટલાક લોકો માને છે કે
ભગવાન જેવું કાંઇ છે જ નહીં
અને આ વિરાટ વિશ્વની રમણા
એક સ્વયંસ્ફૂર્ત સ્વયંસંચાલિત લીલા છે.
તેઓ માને છે કે મનુષ્યે પોતાના
આશ્વાસન અને આધાર માટે
ઇશ્વરની શોધ કરી છે, જેથી
તે ન સમજાતી બાબતોના ખુલાસા આપી શકે
અને સંકટો વચ્ચે ટકી રહી શકે.
પણ ભગવાન, હું તો જાણું છું કે તમે છો,
તમે છો તેથી તો હું છું,
અને તેથી તો છે આ માધુર્યની અજસ્ત્ર ધાર.
લોકો પોતાનામાં જ ડૂબેલા રહે છે.
પોતાથી વીંટળાઇ રહે છે.
પોતાને જ જુએ છે ને પોતાના જ વિચાર કરે છે
તેથી તેમને તમારો સ્પર્શ મળતો નથી.
તેઓ પોતાની વેદનાની વાતો કરે છે
અને પોતાને માટે રડે છે;
પણ તમારે માટે છાની રાતે
કોણે આંસુ વહાવ્યા છે?
મેહફીલ
મેહફીલ એને માટે તો હ્રદયનુ પાત્ર હોવુ જોઇએ;
પ્રેમનો રસ છે આ, બીજા ઠામમા રહેતો નથી માનવી !
તારો વિરોધાભાસ સમજાવુ તને;
રહેવુ છે આરામમાં,પણ તુ આરામમાં રહેતો નથી. .......................બરકત વિરાણી 'બેફામ'
*
આમ તો છું ફકીર પણ 'ઘાયલ';
ચાકરો બાદશાહ રાખુ છુ. ..........................................................................અમ્રુત 'ઘાયલ'
*
સંબંધ તો હોવો જોઇએ
ધરતી અને ઝાડ જેવો - નદી અને પહાડ જેવો,
પણ એજ સંબંધો કચ્ચર કચ્ચર થઇ જાય છે
જ્યા ફ્લાવરવાઝ અને ફૂલ જેવા સંબંધો થઇ જાય છે. ..........................સુરેશ દલાલ
*
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ;
આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઇ ગઇ. ................................ઑજસ પાલનપુરી
ટુચકા
શિક્ષક: આજે આપણે ઉડતિ રકાબી (ફ્લાઈંગ સોસર) પર થોડો વિચાર કરીએ.
બોલ રામુ, ઉડતિ રકાબી ની શોધ કોણે કરી?
રામુ: મારા મમીએ.......તે તો દરરોજ મારા પપ્પા પર પ્રયોગ કરે છે...!
..............................................................................................................................................
પતિ: તું ગઈ કાલે પિયર હતી, ત્યારે રાતના ચોરો ઘળી આવ્યા હતા. અરે, મને ખુબ માર મારી અધમુઓ કરી નાખેલ!
પત્નિ: તો તમારે જોરથી રાડો પાડવી હતી ને. આસપાસના કોઈ મદદ કરવા દોડી આવત.
પતિ: હું ક્યાં ડરપોક છું કે રાડો પાડું!
..............................................................................................................................................
મીના: ડોક્ટર હાલમાં મારા પતિ ઉંઘમાં બહુજ બોલે છે. મારે તેના માટે દવા
જોઈએ છે.
ડોક્ટર: ભલે! લે આ ગોળીઓ. તેનું બોલવાનુ એકદમ બંધ થઈ જશે.
મીના: ના. એવી ગોળિઓ નહીં, પરંતુ એ સ્પષ્ટ બોલે એવી!
..............................................................................................................................................
પત્નિ: હું ક્યારની જોઈ રહી છું. એ મચ્છર તમને ક્યારનો હેરાન કરી રહ્યો છે.
તમે એને મારી કેમ નથી નાખતા?
પતિ: કેમકે અત્યારે એંની રગોમાં મારું લોહી દોડે છે.
..............................................................................................................................................
શિક્ષક : અલ્યા રામુ, હું તારા ઘર પાસેથી ગઈ કાલે પસાર થયો હતો.
બારી પર મારી નજર ગઈ હતી. તું વાંચતો હતો. શાબાશ. એવીજ રીતે અભ્યાષ કરતો રહેજે.
રામુ: એતો હું તમને આવતા જોઈ ગયો હતો એટલે ......
..............................................................................................................................................
મનોવૈજ્ઞાનિક: તમે બધી ચીંતાઓ ભુલી જાઓ, અથવા ચીંતાઓને ભુલી જવા પ્રયત્ન કરો. ખબર છે, આપણી ઘણિ ખરી બિમારીઓ નુ કારણજ ચીંતાઓ
છે. ચિંતા કરવાથીજ ઘણા હેરાન થાય છે. દાખલા તરીકે પરમ દિવસેજ
મારા પાસે એક વ્યક્તિ આવિ, તેને બીલ ચુકવવા ની વ્યાધી હતિ, પરંતુ
મે એને વ્યાધિ કરવાનુ મુકાવ્યું અને આજે તે સ્વસ્થ છે!
દર્દી: એજ મારી ચીંતા નુ કારણ છે. તે મારા પૈસા હવે ચુકવવાનિ ના પાડે છે!
..............................................................................................................................................
પોલિસ: તમે અડધી રાતે આંટા મરો છો! કૈંક તો કારણ હસેને?
દારુડીયો: કારણજ શોધું છું. કારણ હોત તો સીધો ઘરેજ ના જાત અને બૈરી ને ના કહી દેત?
..............................................................................................................................................
ગંગુ અને મંગુ બન્ને દોસ્તો...બન્ને પાંચ પાંચ વર્ષના....
મંગુ: ગંગુ, મારા મમ્મી આ રસ્તો પસાર કરતાં બહુજ ગભરાય છે.
ગંગુ: તને કેવી રીતે ખબર પડી?
ગંગુ: તે દરરોજ રસ્તો પસાર કરતાં મારી આંગળી પકડે.
..............................................................................................................................................
પતિ...પત્નિ વચ્ચે ઝગડો થતાં.............
પત્નિ: તમે ‘1000 watts’ ની લાઇટ લઇ ને ગોતવા નીકળશો તો પણ મારા
જેવી પત્નિ નહી મળે....ધ્યાન રાખજો.
પતિ: પણ હું તારા જેવી પત્નિ ને ગોતવા નીકળીશ તો ને....!
કોણે કહ્યું કે મને તારા જેવી પત્નિ જોઇએ છીએ....!
..............................................................................................................................................
પત્નિ: તમે જોતાં હતા.....ચોરે એક પછી એક બધાં ઘરેણા કઢાવ્યા અને થેલો ભરી લઇ ગયો...છતાં તમે જોતાજ રહ્યા?
પતિ: તે હું શું કરું....એનો ભાઈ-બીજો ચોર, મારી સામે બંધુક તાંકીનેજ આખો વખત ઉભો હતો!
પત્નિ: તો એમાં શું થયું. તમારો તો વિમો હતો....ઘરેણા નો ક્યાં વિમો હતો?
..............................................................................................................................................
શિક્ષક: બોલ મનુ, આપણા સમાજમાં વરરાજો હમેંશા ઘોળા પર આવે છે. ગધેડા પર કેમ નથી આવતો?
મનુ: કારણ કે સર...જો ગધેડા પર આવે તો કન્યા બે ગધેડા જોઈ ગભરાય જાય.
..............................................................................................................................................
દહ્યારામ: ધનિરામ, હવે તો તમે ખુબજ પૈસાદાર થયા. તમારી ગઇ કાલની પાર્ટી પણ ખુબજ મોટી લાગી. કેટલા, હજારેક મિત્રો હતા?
ધનિરામ: લગભગ પંદરસો .
દહ્યારામ: ઓ.....એમા પહેલાના એટલે ગરીબ અવસ્થા ટાણે ના કેટલાં હતાં?
ધનિરામ: ત્યારે મારે મિત્રોજ ન હતા.
..............................................................................................................................................
ભંગાર ભેગું કરવા વાળો ગલીએ ગલીએ બુમો પડતો હતો.
‘ભંગાર..ભંગાર.....કોઇંને ભંગાર કાઢવું હોય તો અમે લઇ જઇશુ. ભંગાર.....
ભંગાર...!’
ત્યાં ઉભેલા એક બાઇ બોલ્યા: ’તમારા ભાઇ હમણા દુકાને ગયા છે. સાંજના આવજો.’
વેચાણ દસ્તાવેજ
Sunday, February 8, 2009
૨. ક) ખરીદનારનું પુરેપુરૂ નામઃ.........................................................................
ચ) પાન નંબર ( આવક વેરા ધારા અન્વયે).......................
રજીસ્ટ્રેશન એક્ટની કલમ - ૩૨ - એ મુજબ
.
ખરીદનારની સહી
................................................................ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
Link
Friday, February 6, 2009
અમર વારસો અમારો અન્ય બ્લોગ
સમન્વય - ચેતનાબેન શાહ ના ત્રણેય બ્લોગ નો સમન્વય
મેઘ ધનુષ નિલાબેન કડકીયા નો મેઘ ધનુષી બ્લોગ
કહો છો તમે કેમ નમ્રતાબેન અમીન નો સ્વ રચીત રચનાઓનો બ્લોગ
મોરપીંછ હિનાબેન પારેખનો કાવ્યમય બ્લોગ
અભીવ્યક્તી ગોવીંદ મારૂના ચર્ચાપત્રોની યાત્રા
શબ્દો છે શ્વાસ મારા વિવેક ટેઇલરની રચનાઓ
આક્રોશ નીતાબેન કોટેચાનો આક્રોશ
અંતરંગ પ્રિતીબેન મહેતા નો કાર્ડ બ્લોગ
એસ એમ એસ નીતાબેન ના મનપસંદ એસ એમ એસ નો બ્લોગ
ગાયત્રી જ્ઞાન મંદિર ગાયત્રિ જ્ઞાન મંદિર-જેતપુર નો આધ્યાત્મિક બ્લોગ
ગીત ગુંજ નિલાબેન કકડીયાનો સંગીતમય બ્લોગ
માય જગજીતસીંહ કેતન શાહ એ બનાવેલ જગજીતસિંહ રચનાઓનો ગુલદસ્તો
મેરી શાયરી નીતાબેન કોટેચાનો એક અન્ય બ્લોગ
મ્યુઝીકલ જર્ની અરવિંદભાઇ પટેલ ની સંગીત સફર
રાધે ક્રિષ્ના ક્રિષ્નાબેન પંચાલ ની સ્વ રચિત રચનાઓ
રાધે ક્રિશ્ના બ્રિન્દાબેન માંકડ ની સ્વરચિત રચનાઓ
વ્રજવેલી કેતન શાહનો અન્ય બ્લોગ
શમા શબ્દો 'શમા'ના દિલ 'દિપ્તિ'નું
શિવાલય નિલાબેન નો એક અન્ય બ્લોગ
યુવા રોજગાર ધ વોઈસ ઓફ યંગસ્ટરસ
મારા વિચારોની સાથે હું રશ્મિકા ખત્રી નો બ્લોગ
શિવ શિલ્પા પ્રજાપતિ નો બ્લોગ
જોક્સ,સુવાકયો,મારા અભિપાયો અને સાહિત્ય ... શિલ્પા પ્રજાપતિ નો બ્લોગ
આપ ના બ્લોગની લીન્ક અહીં મુકવા માટે અમને આપના બ્લોગની લીન્ક કોમેન્ટસ માં આપવા વિનંતી.
સૌને ગમતી ગુંચ:લગ્ન- હાસ્ય વ્યંગ
મને મારો અતીત સાંભરી આવ્યો....... લગ્ન કરવાજોઇએ કે નહીં? આ પ્રશ્ન માત્ર ઉચ્ચ બુદ્ધિ પ્રતિભા ધરાવતાઅમુક યુવક-યુવતીઓના મનમાં જ ઉદભવે છે. સામાન્ય અને મુર્ખાઓ તો કોઇ પરણાવે ત્યારે પરણી જવાના, કાં તો પરણવાની ઉમર થઇ જતાં કોઇ ન પરણાવે તો રાડો પાડવાના, આ વિચારથી મને મજકુર યુવાન પ્રત્યે હમદર્દી થઇ. લગ્ન કરવાં કે નહીં? આ બાબતે હા અથવા ના નો સ્પષ્ટ ઉત્તર આપવો અસંભવ છે એની મને પ્રતીતિ થઇ.
આ દુનિયાના મોટા ભાગના મહાપુરુષોએ બે વિષયના ચિંતનમાં જિંદગીઓ ખર્ચી નાખી છે! એક તો ઇશ્વર અને બીજું લગ્ન! જેમણે ઇશ્વર અને તેમના સ્વરૂપની મિમાંસા કરી છે તેમણે લગ્ન વિશે પણ કંઇને કંઇ કહ્યું જ છે. ઇશ્વર તત્વ વિશે કંઇકનિષ્કર્ષ પર આવી શકાયું છે એટલે એનો જાહેરમાં કે ખાનગીમાં, ટીવી ચેનલો પરના કાર્યક્રમોમાં, ઓડિયો-વીડીયો કેસેટોમાં, શિબિર-સેમિનારોમાં, પુસ્તકોમાં અને છાપાઓમાં પ્રચાર-પ્રસાર કરાઇ રહ્યો છે. પરંતુ લગ્ન વિશે આજ સુધી કશી જ સર્વસંમતિ સધાઇ નથી કે આખરી તથ્ય હાથ લાગ્યું નથી એટલે તેનો પ્રચાર-પ્રસાર કરી શકાતો નથી.
જ્યારે આદિમાનવને ઇશ્વરની ખબર નહોતી ત્યારેય લગ્નની ખબર તો હતી જ એમ કહેવું જરાય અનુચિત્ત નથી. જો કે લગ્ન પછી જ સુખી રહેવા, બિમારીમાંથી ઉગરવા, શેર માટીની ખોટ પૂરવા કે સ્વજનના ત્રાસમાંથી છૂટકારો મેળવવા ઇશ્વરની ખરી આવશ્યક્તા ઊભી થ ઇ હશે. આમ મુક્તિ ની ખોજની શરૂઆત મનુષ્યે લગ્નનો લ્હાવો લીધા પછી જ કરી હશે એમ માનવાને પૂરતું કારણ છે. ધર્મ અમે સંપ્રદાયની ભિન્નતા અનુસાર ઇશ્વરનું સ્વરૂપ અને સાધનમાર્ગની વિવિધતા જોવા મળે છે, તેમા અગણિત પરિવર્તનોને અવકાશ છે જ્યારે લગ્નનો કાનુન સૃષ્ટિમાં એક જ પ્રકારે વર્તી રહ્યો છે. પ્રાચીન કાળમાં પુરૂષ અને સ્ત્રી વચ્ચે જ લગ્ન થતા, વર્તમાનકાળમાંયપૂરજોશમાં ને વાજતે ગાજતે કાં તો છાના-છપને ને કોર્ટના ખૂણે ખાચરે લગ્ન થતા રહે છે. ભવિષ્યમાં યે આ ઉત્સાહ મંદ પડ્યા સિવાય લગ્નો થતાં જ રહેવાના છે, પછી ભલે કોઇ પાણીમાં ઊતરીને કરે, આગમાં ઊભા રહીને કરે કે આકાશમાં ઉડીને કરે..... પણ લગ્નો અટકવાના નથી જ. અરે, ઇ-મેઇલ દ્વારા કરશે તો પણ પુરૂષ અને સ્ત્રી વચ્ચે જ લગ્ન થવાના!! કદાચ કોઇના લગ્ન કૂતરા સાથે થશે તો પણ જ્યાં સુધી પુરૂષ સાથે નહીં થાય સુધી તે લગ્ન પુર્ણતાને નહીં જ પામે. હા, લગ્ન પછી માણસનું રૂપાંતર માનવેતર પ્રાણીમાં થતું હોય એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, ખરેખર તો એ લગ્નનો પરિપાક નહીં પણ લગ્નની આડઅસર જ સમજવી જોઇએ.
બુદ્ધિશાળી અને વિકાસશીલ ગણાતું માનવ પ્રાણી યુગોથી જે પ્રવૃત્તિ કરતું આવ્યું હોય તે સાવ તુચ્છ કે નાખી દેવા જેવું ના જ હોય. દુનિયાના દરેક દેશ અને કાળમાં જે કાર્યને પ્રોત્સાહન મળતું હોય એ કાર્ય આવશ્યક જ હોવું જોઇએ એમ સહજપણે સમજી સકાય તેવું છે. અરે, માત્ર એટલો જ વિચાર કરીએ કે આપણા દાદાના દાદાના દાદાના દાદાએ જે કામ આપણને વારસામાં સોંપ્યું છે તે લગ્ન કરવાનું! સંપુર્ણ રીતે આનુવંશિક કર્તવ્યકર્મ હોય તો એક માત્ર આ પરણવાનું જ છે. બીજા વાર્સાગત લક્ષણો કે રોગો તો વચ્ચેથી આવે છે અને અમુક પેઢી સુધી સાથે ચાલે છે અને થાકી જાય ત્યારે આપોઆપ છોડીને ચાલ્યા જાય છે. જ્યારે લગ્ન એક એવો ગુણ છે જે આપણા સુધી અખંડિત રહ્યો છે અને આપણા સંતાનો માટે આ જોવા અતિશય આતુર છીએ. અલબત્ત, આને ભુલ કે રોગ ના કહેવાની હિંમત ન કરતાં બુદ્ધિમાન પુર્વજોએ 'સંસ્કાર'જેવૂં સુસંસ્કૃત નામ આપીને માનવ જાત પર ખરા અર્થમાં ઉપકાર કર્યો છે. સંસ્કૃતિના ઘડવૈયાઓએ નક્કી કરેલા ષોડ્શ સંસ્કારોમાંથી કેટલાંક તો લુપ્ત થવાને આરે છે. પરંતુ 'વિવાહ' અને 'અંત્યેષ્ટી' આ બે સંસ્કાર આજે પણ એના એ જ સ્વરૂપે વિદ્યમાન છે. આ પરથી કહી શકાય કે મનુષ્યને લગ્ન કરવા ગમે છે અને તે હોંશમાં રહીને હોંશે હોંશે આ ગમતી ગૂંચમાં પ્રવેશવા તલપાપડ રહે છે. ચાર, પાંચ કે છ વખત લગ્ન કરનાર વ્યક્તિઓ પહેલી વાર લગ્ન કરતા શખ્સોને પ્રોત્સાહન પૂરું પાડે છે! આમ તે લગ્ન સંસ્થાની રક્ષા કરનાર દીવાદાંડીરૂપ બની રહે છે.
લગ્નની આટલી મહતા સમજાઇ હોય ત્યારે કોઇને લગ્ન ન કરવાની સલાહ આપવી એ કઠીન કામ છે, પરંતુ માણસના આચાર અને વિચારમાં પુષ્કળ અંતર હોય છે. આનો પૂરાવો લગ્ન વિશે પ્રતિભાવ છે, લગ્ન કરી લીધા હોયતેવા મનુષ્યો બીજાને લગ્ન ન કરવાનો ઉપદેશ આપવા દોડી જાય છે! પેલો પણ તેના ઉપદેશ્માંથી કંઇ ગ્રહણ કરવાને બદલે તેના આચરણનું જ અનુકરણ કરવા મરણિયો બને છે અને સમય આવ્યે પાછો પેલી જ સલાહની દુકાન ખોલી નાખે છે.
જગતનાં તમામ દેશોમાં લગ્ન વિશેની વિવિધ માન્યતાઓ અને કહેવતો પ્રવર્તે છે. શેક્સપિયર જેવા મહાન નાટ્યકારે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે જે પૃથ્વી પર ઉજવાય છે એવું કહ્યું છે. પૃથ્વી પર ઘટવાની ઘટના જો સ્વર્ગમાં નક્કી થતી હોય તો તેનો સંબંધ પરમાત્મા સાથે આપોઆપ જોડાઇ જાય છે. આ સંબંધનું અનુમોદન ભારતીય સંસ્કૃતિએ લગ્નને 'પ્રભુતામાં પગલા' તરીકે ઓળખાવીને કર્યુ છે. જો કે વિરોધાભાસી વલણોમાં હંમેશા મારુ ભારત મહાન રહ્યું છે. ષટ્દર્શનોનું જન્મસ્થાન આ દેશ છે તો સાથે સાથે ચાર્વાકોની માતૃભૂમિ પણ છે!ઇશ્વરને સગુણ-સાકાર સિદ્ધ કરનારી ધરતી આ છે તો પરમાત્માના નિર્ગુણ-નિરાકાર સ્વરૂપની સ્થાપના પણ અહીં જ થ ઇ છે. લગ્નને પ્રભુતામાં પગલાં માંડવાની ઘડી કે બે આત્માનું પવિત્ર મિલન અહીં જ માનવામાં આવે છે તો અહીંથી જ પ્રચાર થાય છે કે નારી નરકનું દ્વાર છે! તો પુછવાનું મન થાય છે કે નારી વગર પ્રભુતામાં પગલાં જાનવર સાથે માંડી શકાય ખરાં?
ડૉ. અમૃતલાલ કાંજિયા
પાલક રોલ્સ
Thursday, February 5, 2009
સામગ્રી :200 ગ્રામ ચણાની દાળ,50 ગ્રામ બેસન,250 ગ્રામ પાલક (સાફ કરીને),50 ગ્રામ ફુદીનો,50 ગ્રામ કોથમીર,1 ચમચી અજમો, થોડી હિંગ, મીઠું-મરચું સ્વાદ પ્રમાણે,તળવા માટે ઘી.
રીત : સૌ પ્રથમ દાળને 4 થી 5 કલાક પલાળી થોડી કરકરી પીસી લો. તેમાં બેસન નાખીને કાપેલી પાલક, કોથમીર, ફૂદીનો અને બધો જ મસાલો નાંખીને લાંબા-લાંબા મધ્યમ આકારના રોલ્સ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી મૂકીને ઉપર ચારણીમાં રોલ્સ મૂકી ઢાંકી દો. જેથી રોલ્સ વરાળથી સીઝશે. પાણી અડશે નહિ. લગભગ છથી આઠ મિનિટ પછી ખોલીને જુઓ. ચઢી ગયા હોય તો ઉતારીને ઠંડા થવા દો. ઠંડા થયા બાદ નાની-નાની સ્લાઈસમાં કાપીને હલકા ગુલાબી રંગનાં થાય ત્યાં સુધી તળી લો. ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
વૃક્ષોવિણ
Wednesday, February 4, 2009
સૌને ગમતાં લીલાં વનો,અરેરે! પણ સ્વાર્થાંધ બન્યાં છે જનો !
લીલાં વનો આવે છે યાદ,જાણે તેઓ મને પાડે સાદ.
ફરવા જતાં રોજ અહીં-તહીં,એક દિ' ગયાં હતાં જંગલમહીં.
વાળું પતાવીને પુછ્યું માનેઃ"મા,લોકો વૃક્ષો કાપે શાને?
આપે ઉનાળે શીળ છાંય,આપત્તિએ તે મદદે ધાય.
જેમ જેમ વૃક્ષો ઓછાં થાય,તેમ તેમ આફત વધતી જાય.
જેલ
હમણાં જ તેણે ત્રીવેદી સાહેબ સાથે ગરમાગરમ નાસ્તો અને ચા લીધાં હતાં. સાથે ત્રીવેદી સાહેબના બે આસીસ્ટન્ટો પણ હતા. તેને આ નવા પ્રયોગની બધી શરતો સમજાવવામાં આવી હતી. તે આ પ્રયોગમાં પોતાની રાજીખુશીથી સ્વયંસેવક તરીકે જોડાયો હતો. તેણે 25 દીવસ આ જેલમાં રહેવાનું હતું. તેને બધી જ સુવીધાઓ ત્યાં પુરી પાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું. બહારની દુનીયા સાથે તેનો કોઈ સમ્પર્ક રહેવાનો ન હતો. કોઈ ટી.વી. , રેડીયો કે છાપાં તેને મળવાનાં ન હતાં. તેણે કોઈની સાથે મળવાનું ન હતું. દરરોજ ચાર વખત એક નોકર આવીને તેને ચા, નાસ્તો અને જમણ આપી જવાનો હતો. તેના વાસી કપડાં લઈ જઈ નવાં કપડાં પણ તે જ આપી જવાનો હતો. તેને ખાસ કહેવામાં આવ્યું હતું કે તેણે આ નોકર સાથે કોઈ વાત કરવાની ન હતી. અને જો કરે તો પણ નોકર કોઈ વાત તેની સાથે કરવાનો ન હતો. તેને કોઈ ખુટતી ચીજ હોય તો તેની ચીઠ્ઠી તેણે નોકરને આપવાની હતી, અને તે તેને પુરી પાડવામાં આવશે તેવું તેને કહેવામાં આવ્યું હતું. તેનો સેલ ફોન ત્રીવેદી સાહેબે માંગી લીધો હતો. જેલની મુદત પુરી થયે તે તેને પાછો મળશે, તેમ તેને કહેવામાં આવ્યું હતું. આ પ્રયોગનો ઉદ્દેશ્ય તેનાથી ગોપીત રાખવામાં આવ્યો હતો. પણ ત્રીવેદી સાહેબે તેને હૈયાધારણ આપી કે, પ્રયોગના અંતે આ બધું તેની સાથે મુક્ત મને ચર્ચવામાં આવશે. આ ગોપનીયતા પ્રયોગની સફળતા માટે બહુ જરુરી છે, તેમ પણ તેને કહેવામાં આવ્યું. વીજ્ઞાનના એક વીદ્યાર્થી તરીકે આ વાત તેણે શીસ્તભેર સ્વીકારી લીધી.
આ પચીસ દીવસ તો ક્યાંય પસાર થઈ જશે એવી આશામાં દીપકે તેના પહેલા દીવસની શરુઆત કરી. સમયનું ભાન રહે તે માટે તેણે કેલેન્ડરમાં 1લી જાન્યુઆરીના દીવસ પર ટીક કરી. તે એક આધુનીક યુવાન હતો. વળી હતો વીજ્ઞાનનો વીદ્યાર્થી અને લગભગ નાસ્તીક કહી શકાય તેવી ધર્મભાવનાવાળો. તે કદી મંદીરમાં જતો નહીં, કે પ્રાર્થના કે ભજન પણ ન કરતો. તેને આ પ્રયોગમાં એક વીજ્ઞાની તરીકે રસ જાગ્યો હતો અને આથી તે આમાં સ્વેચ્છાએ જોડાયો હતો. તેને જાણવાની બહુ જ ઉત્કંઠા હતી કે, ત્રીવેદી સાહેબ આ પ્રયોગથી શું તારવવા માંગે છે.
***
આજે સાતમો દીવસ હતો. તેણે જાતે નક્કી કરેલી દીનચર્યા પ્રમાણે તેણે આ અઠવાડીયામાં કસરત, પુસ્તક વાંચન, સંગીત, અને દીવસમાં અનેક વાર ઓરડાની એક બાજુથી બીજી બાજુ વીસ વીસ આંટા મારવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. ત્રણ ચોપડીઓ વંચાઈ ગઈ હતી. બીજી ત્રણ તેની ફરમાઈશ પ્રમાણે આવી ગઈ હતી. તેની સાથેની ગઝલો અને કવીતાની ચોપડીઓમાંથી તેણે છ નવી ગઝલો અને ગીતો મોંઢે કરી લીધાં હતાં.
પણ કંટાળો તેને ધીમે ધીમે ઘેરવા માંડ્યો હતો. સ્વજનો અને મીત્રોની ખોટ તેને બુરી રીતે સાલવા માંડી હતી. અરે કોઈક સાવ અજાણ્યું જણ પણ કાંઈક વાત કરવા મળી જાય, તે માટે તેનું દીલ તરસતું હતું. ભાતભાતનાં ભોજન હવે તેને અકારાં લાગવાં માંડ્યાં હતાં. ઓરડો તેને ખાવા ધાતો હોય તેમ તેને લાગવા માંડ્યું હતું.
***
આજે બે અઠવાડીયાં પસાર થઈ ગયાં હતાં. હવે તે જીવ ઉપર આવી ગયો હતો. આ જેલની બધી સુવીધાઓ તેને અકારી લાગવા માંડી હતી. બે દીવસથી કોઈ ચોપડી તેણે વાંચી ન હતી. હવે મનગમતાં ગીતો પણ અકારાં લાગતા હતાં. હજુ ગઈકાલે જ તેણે નોકર સાથે વાત કરવા નીશ્ફળ પ્રયત્ન કર્યો હતો. તેણે નક્કી કર્યું કે આજે ખાવાનું લઈને તે આવે, ત્યારે તેની સાથે જબરદસ્તી કરીને પણ તેનું મોં ખોલાવવું.
અને તે આવી પહોંચ્યો. ફરી દીપકે તેની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો. પણ એ રામ તો એના એ. દીપકે તેને ધક્કો મારીને નીચે પાડી નાંખ્યો. તેની ઉપર તે ચઢી ગયો અને તેનું ગળું ભીંસી, તે નહીં બોલે તો તેનો શ્વાસ ઘુંટી નાંખવાની ધમકી આપી. પણ ઈશારાથી નોકરે સમજાવ્યું કે તે બહેરો અને મુંગો હતો. દીપકે હતાશાથી તેને છોડી દીધો. તેને આ પ્રયોગમાં સ્વયંસેવક થવાની પોતાની મુર્ખાઈ પર અફસોસ થવા માંડ્યો. ગુસ્સાના આવેશમાં તેણે ટેપ રેકોર્ડર અને ચોપડીઓ છુટ્ટા ઘા કરીને ફેંકી દીધાં. હજુ દસ કાળઝાળ દીવસો તેણે આ કાજળ કોટડીમાં પસાર કરવાના હતા.
તે રાત્રે તે સુતો અને બે એક કલાક પછી ઝબકીને જાગી ગયો. એરકન્ડીશન ચાલુ હોવા છતાં તે પસીને રેબેઝેબ થઈ ગયો હતો. એક દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું હતું અને તેની ભયાનક યાદ હજુ તાજી હતી. તેણે કરેલા આક્રમણ માટે કોર્ટમાં તેની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને દસ વરસની કેદ આ જ ઓરડામાં કરવામાં આવી હતી. તેણે આ સ્વપ્ન જ હતું તે માન્યતા મનમાં દોહરાવ્યા કરી.
***
બીજા દીવસે તે નોકર ફરી આવ્યો, પણ તેના ચહેરા પર ભય અને અવીશ્વાસ ડોકીયાં કરતાં તેને જણાયા. તેને શંકા થવા માંડી કે રાતની વાત સ્વપ્ન હતી કે સત્ય. પણ આ ભ્રમણા તેને દરરોજ પીડવા લાગી.
***
આજે વીસમી જાન્યુઆરીનો દીવસ ઉગ્યો - કેલેન્ડરમાં! દીપકને અસમંજસ થયો, ‘ તે એક દીવસ ટીક કરવાનું ભુલી તો નથી ગયોને? !’ તેને સુર્ય અને ચંદ્રની ખોટ, પોતાનાં સ્વજનો અને મીત્રો કરતાં પણ વધારે સાલવા લાગી. કેલેન્ડરના બારે બાર પાનાનાં દ્રશ્યો તે અનેક વાર નીહાળી ચુક્યો હતો. હવે ઘાસનું એક તણખલું પણ જોવા મળે તે માટે દીપક લાલાયીત બની ગયો હતો. તેણે હવે અંતરથી પ્રાર્થના કરવા માંડી, ‘ એ સ્વપ્ન સ્વપ્ન જ રહે અને એ આશાભરી પચીસમી તારીખ આવી જાય! ક્યારે માણસનો અવાજ તેને સાંભળવા મળે! ‘
તે લગભગ ગાંડા જેવો બની ગયો હતો. અઠવાડીયાથી તેણે દાઢી પણ ક્યાં કરી હતી? અને છેલ્લું સ્નાન કર્યાને આજે ત્રીજો દીવસ હતો. આવા અમાનવીય પ્રયોગો કરવા માટે ત્રીવેદી સાહેબનો ટોટો પીસી નાંખવાની રાક્ષસી ઈચ્છા પણ તેને થઈ આવી. દસ વરસની જેલની ભ્રમણા હવે ભ્રમણા રહી ન હતી, પણ એક ક્રુર અને નક્કર વાસ્તવીકતા તેના મનમાં બની ચુકી હતી. કોર્ટના જજની સાથે પણ નવી અદાવત ઉભી થઈ ગઈ હતી. આખા જગતમાં તેને માટે હવે કોઈ આશાનું ચીહ્ન તેને દ્રશ્ટીગોચર થતું ન હતું. અસહાયતાની લાગણી તેને ઘેરી વળી હતી. તેના દુર્દૈવ માટે તે પોતાને કોસતો રહ્યો.
***
અને તે સુભગ દીવસ આવી પુગ્યો. દીપકે લાઈટ ચાલુ કરી અને કેલેન્ડરમાં પચીસમી વાર તેણે નીરસ ભાવે ‘ટીક’ કરી. આ પ્રવ્રુતી તેને સાવ નકામી લાગવા માંડી હતી. તેને બહાર લઈ જવામાં આવે તેવી કોઈ આશા તેના ચીત્તમાં હવે રહી ન હતી. રોજની જેમ તે નીરસ રીતે સામેની દીવાલ તરફ અર્થહીન રીતે તાકી રહ્યો હતો. સવારના આઠ વાગ્યા અને બારણું ખુલ્યું. ત્રીવેદી સાહેબ જાતે તેમના મદદનીશો સાથે તેની કોટડીમાં પ્રવેશ્યા.
તેમણે દીપકને કહ્યું, ” ચાલ, દીપક! પ્રજાસત્તાક દીને તને આ જેલમાંથી મુક્તી આપતાં મને આનંદ થાય છે.”
દીપક વીચારમાં પડ્યો. તેને સમજ ન પડી.તે માંડ માંડ બોલી શક્યો, ” સાહેબ! મારી સજાનું શું? ”
ત્રીવેદી સાહેબ બોલ્યા, ” શેની સજા? તારું મગજ ઠેકાણે લાગતું નથી.”
દીપકને જીંદગીમાં પહેલી વાર ભગવાન જેવું કંઈક છે તેમ લાગ્યું. ત્રીવેદી સાહેબ તો ભગવાનનો અવતાર જ તેને જણાયા.
કેલેન્ડર સામે જોઈ તે બોલ્યો, ” પણ આજે તો પચીસમી તારીખ જ થઈ છે ને? “
ત્રીવેદી સાહેબ બોલ્યા, ” ના, આજે છવ્વીસમી થઈ છે. લે, આ તારા સેલફોનમાં જોઈને ખાતરી કરી લે. તારા ઓરડાની ઘડીયાળમાં થોડી જ તારીખ આવે છે? તારો દીવસ તો તેં જ નક્કી કરેલો છે. આ ઓરડાનો દીવસ! “
ત્યારે મોડા મોડા દીપકને ખબર પડી કે ‘ સમય સાપેક્ષ હોય છે. ‘ તે સાબીત કરવા માટે તેની અને તેને સેવા આપતા નોકરની ઘડીયાળો દરરોજ એક કલાક મોડી પડે તેમ સેટ કરેલી હતી! તેના જીવનમાંથી આખ્ખો એક દીવસ, સાવ વપરાયા વગર વીતી ચુક્યો હતો. એકલતામાં તેના મનોભાવોમાં થયેલા ફેરફારોને આનુશંગીક વર્તનની છુપી વીડીયો ફીલ્મ પણ ત્રીવેદી સાહેબને મળી ગઈ હતી. આ ફીલ્મ તેને પણ બતાવવામાં આવી અને તે પોતે પોતાના વર્તન માટે વીચારતો થઈ ગયો.
જેલ લેગ (!) ના અને એકલતાના આ નવતર પ્રયોગના પ્રથમ ગીનીપીગ બન્યાનું ગૌરવ હવે તે અનુભવી રહ્યો હતો.
31, ડીસેમ્બર – 2007
કોઇને કશી ખબર નથી
ટુચકા
ભિખારી: મણીબેન, કંઇક ખાવાનું આપો. બાજુ વાળા મંછાબેને પણ આપ્યું છે.
મણીબેન: એમ, તેણે શુ આપ્યું?
ભિખારી: રોટલી, શાક, ભાત વગેરે...
મણીબેન: (ઘરમાં અંદર જઈ, બહાર આવી) તો તો લે આ પડીકી. મંછાબેને આપ્યું છે તો જરુર એ પચાવવા આ પડીકીમાના ચુર્ણની તને જરુર પડશે!
*****
મીની અને ટિંકુ રજા હોવાથી ઘરે રમત રમતા હતા, તેમા મીની જોર-જોર થી બૂમો પાડી રહી હતી.
મમ્મી: મીની, આટલી જોરથી બુમો કેમ પાડી રહી છો? જો ટિંકુ કેટલો શાંત છે!
મીની: એતો અમે રમત રમીએ છીએ; તેમા હું મમ્મી બની છું, અને ટિંકુ ડેડી બન્યો
*****
શેઠ કારીગર શંભુ ના કામથી ખુશ થતાં બોલ્યા: લે શંભુ આ ફી ઉપરાંત સો રુપિયા વધારે. પત્નિને લઇ આજે સાંજના ફિલ્મ જોવા જજે.
સાંજના શંભુ પાછો આવ્યો.
શેઠ: એલા શંભુ, પાછો કેમ આવ્યો?
શંભુ: ફીલ્મ જોવા જવી છે એટલે તમારી પત્નિ ને લેવા આવ્યો છું.
*****
રમેશ કીડા, મકોળા તેમજ પશુપંખી ની દુકાને ગયો.
રમેશ: તમે માંકડ ત્થા ઉંદરડા રાખો છો?
દુકાનદાર: હા, કેટલા આપું?
રમેશ: સો માંકડ અને પચાસ ઉંદરડા.
દુકાનદાર: સો માંકડ! પચાસ ઉંદરડા! આટલા બધાને ને શું કરવું છે?
રમેશ: ઘર ખાલી કરવાનુ છે, અને જેવું હતું તેવુંજ પાછું દેવાનુ છે.
*****
ગામડીયાલાલ: ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે.
મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય.
ડોક્ટર: ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે!
*****
પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીયે!
પતિ: ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે
ગધેડા જેવા બુધ્ધુ હોય છે.
પત્ની:મારા બાપુજી જો એમજ વિચાર્યે રાખતા હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત.
*****
અમથાલાલ પોતાનુ ખમિસ સાંધી રહ્યા હતા.
મોતીબેન (પાડોશી): અરેરે અમથાલાલ! આ તમે શું કરી રહ્યા છો? તમે તો
પરણેલા હોવા છતાં આ ફાટેલું ખમિસ સાંધી રહ્યા છો?
અમથાલાલ: તે શુ પરણેલા પુરુષો ના કપડાં ફાટતા નહીં હોય?
*****
રમેશ તથા રમા પ્રેમીઓ હતા.....રમા રમેશ ના વખાણ કરતાં...
રમા: પપ્પા, તમે રમેશને જોસો કે તરતજ તે તમને મારા માટે ખુબજ પસંદ આવી જશે.
પપ્પા: એમ! તેની પાસે પૈસા કેટલા છે?
રમા: કમાલ છે! રમેશ પણ ઘડી ઘડી આવોજ સવાલો પુછે છે. તે પુછે છે કે તારા પપ્પા પાસે કેટલાં પૈસા છે?
*****
પીંકી: મમ્મી.....મમ્મી, મને લખતાં આવડી ગયું.
મમ્મી: શાબશ બેટા! વાંચતો જોઉં શું લખ્યું છે?
પીંકી: એતો મને વાંચતા આવડી જાય ત્યારે કહીશ.
*****
રામુ ને ચોરી ના આરોપ સર કોર્ટમાં જવું પડ્યું.
જજ: રામુ, તુ કહે છે કે તેં એકજ સાડી ચોરી છે; તો પછી તેં દુકાનમાં પાંચ વાર કેમ ધાડ મારી હતી?
રામુ: સાહેબ શું કરુ. મારી પત્નિને કલર, ડીઝાઈન વગેરે તેના બ્લાઉસ જોડે મેચ કરવા હતા.
*****
પતિ: ડાર્લીંગ, હું મરી જાઉ તો તુ શું કરે?
પત્નિ: ડાર્લીંગ, હું મરી જાઉ અને તમે જે કરો તે હું કરૂં. પતિ: (ગુસ્સે થતાં) મને ખબરજ હતી કે મારા ઉપર ગયા પછી તુ બીજા લગ્ન કરશે.
*****
તન્નુ: મમી મમી, પપ્પા ક્યાં?
મમી: એતો સ્વીમીંગ કરવા ગયા છે.
તન્નુ: તો હું પણ જાઉં?
મમી: ના. એમા તો પડી જવાય બેટા. ડુબી પણ જવાય.
તન્નુ: તો પપ્પા કેમ ગયા છે?
મમી: બેટી, તારા પપ્પા નો તો વિમો છે!
*****
શિક્ષક: રામુ, તુ ગઈ કાલે કેમ મોડો પડ્યો હતો?
રામુ: સર, વરસાદ પડતો હતો એટલે.
શિક્ષક: તો આજે કેમ મોડો પડ્યો?
રામુ: સર, વરસાદ પડવાની વાટ જોતો હતો.
*****
સ્પોર્ટસ ની એક દુકાને.......
ઘરાક: ભાઈ, તમે ‘હેલ્મેટ્સ’ રાખો છો?
દુકાનદાર: હા ભાઈ ઘણી જાતની છે. કઈ જોઈએ છે? મોટર સાઈકલની, સાઈકલની, કોઈ સ્પોર્ટસ કે...........
ઘરાક: બૈરી ના વેલણ થી બચવાની....
*****
દુકાદાર: એસીસ્ટંટ સેલ્સમેન તરીકે કામ કરવામાં એક વાત ખાસ યાદ રાખજે
કે ઘરાક હંમેસા સાચો છે એમ વર્તન કરવું.
હવે કહે, હમણાજ જે ગ્રાહક આવી હતી તે શું કહેતી હતી?
સેલ્સમેન: તે કહેતી હતી કે આ દુકાનનો માલીક ગધેડો છે!
*****
રતના: તું રોજ મારે ત્યાંજ ભીખ માગવા કેમ આવસ?
ભીખારી: મારા ડોક્ટરે કહ્યું છે માટે.
રતના: તારા ડોક્ટરે શું કહ્યું છે?
ભીખારી: તું હમણાં ફીક્કી મસાલા વગરની રસોઈ લેજે.
*****