હાઇકુ

Thursday, October 29, 2009

માસુમબાળ
અપેક્ષઓની કેદ
ઝંખે આઝાદી
ડૉ. પ્રીતિ જરીવાલા

Posted by Ashok at 12:23 PM 0 comments  

હાઇકુ

ઉઘાડબંધ
ઘડપણની બારી
શોધે સહારો
ડૉ. પ્રીતિ જરીવાલા

Posted by Ashok at 12:20 PM 0 comments  

અસ્પૃશ્ય કેમ?

ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે સભામાં બેઠા હતા. બધા શિષ્યો ગૌતમ બુદ્ધની સ્થિરતા જોઇને ચિંતા કરવા લાગ્યા કે ગૌતમ બુદ્ધની તબિયત તો નહિ બગડી હોય ને??? એવામાં એક ચિંતાતુર શિષ્ય બોલ્યો : પ્રભુ ! આજ આવી રીતે મૌન કેમ બેઠા છો? શું અમારાથી કોઈ અપરાધ થયો છે? એટલામાં એક બીજો શિષ્ય બોલ્યો : પ્રભુ શું આજ તમારી તબિયત બરાબર નથી?

ગૌતમ બુદ્ધ તો પણ મૌન જ રહ્યા.

એટલામાં એક બહાર ઉભેલો વ્યક્તિ જોરથી બોલ્યો, આજે મને સભામાં બેસવા અનુમતિ કેમ ના આપી? ગૌતમ બુદ્ધ ધ્યાન મગ્ન થઇ ગયા.પેલો વ્યક્તિ ગુસ્સાથી બોલ્યો, મને પ્રવેશની અનુમતિ કેમ નહિ? એક ઉદાર શિષ્યે પેલા વ્યક્તિ નો પક્ષ લઈને કહ્યું: પ્રભુ! એને સભામાં બેસવાની અનુમતિ આપો.

ગૌતમ બુદ્ધ બોલ્યા, "નહિ........... એ અસ્પૃશ્ય છે, તેને અનુમતિ ના દેવાય. " અસ્પૃશ્ય ?????? બધા શિષ્યો આશ્ચર્ય ચકિત થઇ ગયા. ગૌતમ બુદ્ધ શિષ્યો ના મનોભાવ કળી ગયા અને કહ્યું કે " હા, તે અસ્પૃશ્ય છે." ત્યારે ઘણા શિષ્યો બોલી ઉઠ્યા કઈ રીતે અસ્પૃશ્ય ?? આપણાં સમુદાયમાં તો કોઈ નાતજાતનો ભેદભાવ નથી તો આ અસ્પૃશ્યતા ક્યાંથી આવી? આવી દલીલ સાંભળી ગૌતમ બુદ્ધે ખુલાસો કર્યો કે આજે તે ક્રોધિત થઇ ને આવ્યો છે અને ક્રોધ થી જીવન માં ઘણું અનિષ્ટ થાય છે, તેના ક્રોધ ને હિસાબે મેં તે ને અશ્પૃસ્ય કહ્યો છે અને થોડો સમય એકાંત માં રહેશે એટલે તે ક્રોધના કારણ વિષે વિચારી શકશે અને બાદ માટેનું પ્રાયશ્ચિત કરી લેશે.

અહી ગૌતમ બુદ્ધે અસ્પૃશ્યતા માટે ક્રોધ ને જવાબદાર ઠેરવ્યું.

Posted by Ashok at 12:12 PM 0 comments  

કરી શકો !!

બંધ મુઠીમાં શું ધારી શકો ?
એક ઈચ્છાને અવતારી શકો !
.
લાખ કોશિશ તો કરો છો તમે
તોય મન ને ક્યાં સુધારી શકો!
.
એ જ સાચો ધર્મ બનશે કદાચ
કોઈ નું સારું વિચારી શકો!!
.
ગાંસડી સંદર્ભની ખોલી ને
આગ અફવાનીય ઠારી શકો!
.
ત્યાં જ કરજો વાત દિલની તમે
જ્યાં ઉદાસીને ઉતારી શકો!


દિનેશ કાનાણી
(ઉમિયા પરિવાર માંથી)

Posted by Ashok at 9:57 AM 0 comments  

અધીરા પવન

Tuesday, October 27, 2009

કાં નજર ઊંચે આભ ઠેલી હોય
કાં તળે ધરતી ને ઉખેળી હોય
.
સાવ અધીરા પવન વહે, એમાં
જાત ને ક્યાંક સ્થિર દેખી હોય
.
લોક પથ્થરના, શ્હેર પથ્થરનાં
તૃણકથા કઈ રીતે ઉકેલી હોય?
.
રોજ અધવચ્ચે થી ચીરી જજો
હિસ્સા બે જોજો , કેવા વેરી હોય?
.
કોઈની ભાષા કોઈને દુભર
કોઈએ ચુપકીદી સેવી હોય
ફારુક શાહ

Posted by Ashok at 8:05 AM 0 comments  

કોના વતી?

ટેરવાં તો એ જ છે, પણ ક્યાં મતિ હાજર થતી?
ફૂલ ને સ્પર્શી રહ્યો આમ હું કોના વતી?
.
કેટલી અનુભૂતિઓ થીજી ગઈ નખશીખ ભીતર
પર્વતોની જેમ આ ટોચ લગ હંફાવતી!
.
પર્ણ જેવું કંઈ ઉપર, મૂળ જેવું ભૂમિએ
થડ નથી એ વાત પણ ક્યાં સમજમાં આવતી?
.
હોય નસનસમાં નદી દોડવાનું એ રીતે
આંબવાની છેવટે હોય ખુદ ની આકૃતિ
.
ગુંજ્યા કરવાની ઘડી પાસે આવી જોયું તો
એક સદી આઘે હતાં મારાથી ગંગાસતી
ફારુક શાહ

Posted by Ashok at 7:58 AM 0 comments  

ચાહ

Monday, October 26, 2009

ચાહ તો બસ સમગ્રતા થી ચાહ,
જીવ લેનાર વ્યગ્રતાથી ચાહ !
.
વૃક્ષ આકાશ આંબવા ઈચ્છે,
એ પ્રકારે જ અગ્રતાથી ચાહ!
.
એક ઝબકારે છેક પ્હોંચે વીજ,
એટલી તીવ્ર શીઘ્રતાથી ચાહ!
.
કોળશે એ જરૂર કુંપળ થઇ,
શબનમી એવી આર્દ્રતા થી ચાહ!
.
ડાઘ ઝાકળનો પણ મળે જોવા,
ફૂલ પર હો એ શુભ્રતા થી ચાહ!
.
નાં ડગે કોઈ ડરથી એ "સુધીર",
શિવ જેવી જ રુદ્રતાથી ચાહ!
સુધીર પટેલ

Posted by Ashok at 4:50 PM 2 comments  

હજીય

આકાશ

હજીય વાદળી છે .

વૃક્ષો

હજીય લીલાં છે.

પંખી

હજીય ઊડે છે.

નદી

હજીય ભીંજવે છે.

માણસ

હજીય રડે છે.

અહીં

હજીય જીવી શકાશે.

રાજેશ પંડ્યા

Posted by Ashok at 4:42 PM 0 comments  

~ નુતન વર્ષાભિનંદન ~

Tuesday, October 20, 2009

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો ?

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?

શ્રી મુકેશ જોષી

Posted by Ashok at 7:04 PM 0 comments  

સુવિચાર

Thursday, October 15, 2009

જીવન સિવાય બીજી કોઈ મિલકત નથી..................જ્હોન રસ્કિન

જીવન એક સિક્કા જેવું છે તમે ધારો તે રીતે તેને વાપરી શકો છો પણ તે માત્ર એક જ વાર ....લિલિયન રસ્કિન

જે જીવન ની કસોટી થતી નથી તે જીવન જીવવા લાયક નથી ..........પ્લેટો

કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ નથી કરી તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ નથી કર્યું.................. થોમસ હકસલી

જીવન ની કિતાબ માં જવાબો પાછલા પાને આપ્યા હોતા નથી......ચાર્લી બ્રાઉન

બીજા શું કરે છે તે સામે ના જોવું પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવન માં ઉતારનાર મહાન બને છે.................સરદાર પટેલ

દરેક દિવસ જાણે તે આપનો આખરી દિવસ હોય તે રીતે પસાર કરવો જોઈએ......પબ્લિસિયસ્ સાયરસ

એક નાનકડી કીડી પાસે જાવ, દિવસભરની તેની મહેનત જુઓ તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસ ને ખંખેરી નાખો .......... કોલિયર

જો તમે જીંદગી ને જ જાણતા નથી તો પછી મરણ વિષે શી રીતે જાની શકવાના???............ કન્ફ્યુસિયસ્

ખાઈ પી શકાય એટલા માટે નઠારા માણસો જીવે છે જયારે, સજ્જનો જીવી સકાય એટલા માટે ખાય-પીવે છે .................સોક્રેટીસ

મોટો માણસ ભૂલ ના કરે એવું માનવું એ મૂર્ખાઈ છે ને નાના માણસમાં અક્કલ નથી હોતી એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. .....................રણછોડદાસજી મહારાજ

લાંબુ જીવવા માટે ધીમું જીવવું જરૂરી છે.............. મારકસ તુલિયસ્ સિસેરો

ચિંતા વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતા દોડતા થાકી જાય છે..................જયશંકર પ્રસાદ

હું જીવન વિષે કાઈ પણ શીખ્યો છું તેને હું ત્રણ શબ્દો માં તારવી શકું "જીવન વહેતું જાય"......રોબર્ટ ફ્રોસ્ટ

Posted by Ashok at 2:53 PM 2 comments  

મનની ખીંટી

Thursday, October 8, 2009

અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે.. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં.
અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : ' ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે. ' ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડપાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : ' ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?'
'અરે , હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવવાની જ , પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે , જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું.

Posted by Ashok at 12:01 PM 1 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters