હાઇકુ
Thursday, October 29, 2009
હાઇકુ
અસ્પૃશ્ય કેમ?
ગૌતમ બુદ્ધ તો પણ મૌન જ રહ્યા.
એટલામાં એક બહાર ઉભેલો વ્યક્તિ જોરથી બોલ્યો, આજે મને સભામાં બેસવા અનુમતિ કેમ ના આપી? ગૌતમ બુદ્ધ ધ્યાન મગ્ન થઇ ગયા.પેલો વ્યક્તિ ગુસ્સાથી બોલ્યો, મને પ્રવેશની અનુમતિ કેમ નહિ? એક ઉદાર શિષ્યે પેલા વ્યક્તિ નો પક્ષ લઈને કહ્યું: પ્રભુ! એને સભામાં બેસવાની અનુમતિ આપો.
ગૌતમ બુદ્ધ બોલ્યા, "નહિ........... એ અસ્પૃશ્ય છે, તેને અનુમતિ ના દેવાય. " અસ્પૃશ્ય ?????? બધા શિષ્યો આશ્ચર્ય ચકિત થઇ ગયા. ગૌતમ બુદ્ધ શિષ્યો ના મનોભાવ કળી ગયા અને કહ્યું કે " હા, તે અસ્પૃશ્ય છે." ત્યારે ઘણા શિષ્યો બોલી ઉઠ્યા કઈ રીતે અસ્પૃશ્ય ?? આપણાં સમુદાયમાં તો કોઈ નાતજાતનો ભેદભાવ નથી તો આ અસ્પૃશ્યતા ક્યાંથી આવી? આવી દલીલ સાંભળી ગૌતમ બુદ્ધે ખુલાસો કર્યો કે આજે તે ક્રોધિત થઇ ને આવ્યો છે અને ક્રોધ થી જીવન માં ઘણું અનિષ્ટ થાય છે, તેના ક્રોધ ને હિસાબે મેં તે ને અશ્પૃસ્ય કહ્યો છે અને થોડો સમય એકાંત માં રહેશે એટલે તે ક્રોધના કારણ વિષે વિચારી શકશે અને બાદ માટેનું પ્રાયશ્ચિત કરી લેશે.
અહી ગૌતમ બુદ્ધે અસ્પૃશ્યતા માટે ક્રોધ ને જવાબદાર ઠેરવ્યું.
કરી શકો !!
અધીરા પવન
Tuesday, October 27, 2009
કોના વતી?
ચાહ
Monday, October 26, 2009
હજીય
આકાશ
હજીય વાદળી છે .
વૃક્ષો
હજીય લીલાં છે.
પંખી
હજીય ઊડે છે.
નદી
હજીય ભીંજવે છે.
માણસ
હજીય રડે છે.
અહીં
હજીય જીવી શકાશે.
રાજેશ પંડ્યા
~ નુતન વર્ષાભિનંદન ~
Tuesday, October 20, 2009
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો ?
તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
શ્રી મુકેશ જોષી
સુવિચાર
Thursday, October 15, 2009
જીવન સિવાય બીજી કોઈ મિલકત નથી..................જ્હોન રસ્કિન
જીવન એક સિક્કા જેવું છે તમે ધારો તે રીતે તેને વાપરી શકો છો પણ તે માત્ર એક જ વાર ....લિલિયન રસ્કિન
જે જીવન ની કસોટી થતી નથી તે જીવન જીવવા લાયક નથી ..........પ્લેટો
કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ નથી કરી તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ નથી કર્યું.................. થોમસ હકસલી
જીવન ની કિતાબ માં જવાબો પાછલા પાને આપ્યા હોતા નથી......ચાર્લી બ્રાઉન
બીજા શું કરે છે તે સામે ના જોવું પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવન માં ઉતારનાર મહાન બને છે.................સરદાર પટેલ
દરેક દિવસ જાણે તે આપનો આખરી દિવસ હોય તે રીતે પસાર કરવો જોઈએ......પબ્લિસિયસ્ સાયરસ
એક નાનકડી કીડી પાસે જાવ, દિવસભરની તેની મહેનત જુઓ તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસ ને ખંખેરી નાખો .......... કોલિયર
જો તમે જીંદગી ને જ જાણતા નથી તો પછી મરણ વિષે શી રીતે જાની શકવાના???............ કન્ફ્યુસિયસ્
ખાઈ પી શકાય એટલા માટે નઠારા માણસો જીવે છે જયારે, સજ્જનો જીવી સકાય એટલા માટે ખાય-પીવે છે .................સોક્રેટીસ
મોટો માણસ ભૂલ ના કરે એવું માનવું એ મૂર્ખાઈ છે ને નાના માણસમાં અક્કલ નથી હોતી એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. .....................રણછોડદાસજી મહારાજ
લાંબુ જીવવા માટે ધીમું જીવવું જરૂરી છે.............. મારકસ તુલિયસ્ સિસેરો
ચિંતા વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતા દોડતા થાકી જાય છે..................જયશંકર પ્રસાદ
હું જીવન વિષે કાઈ પણ શીખ્યો છું તેને હું ત્રણ શબ્દો માં તારવી શકું "જીવન વહેતું જાય"......રોબર્ટ ફ્રોસ્ટ