હરિફાઇ

Wednesday, April 23, 2008

દોસ્તો,
એક નવો અનુભવ લેવા, ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચાર માટે હરિફાઇ નું આયોજન કર્યુ છે.

આ હરિફાઇ દિનાંક ૨૪મી એપ્રીલ થી ૨૭મી જુલાઇ સુધી રહેશે .....

આપ સૌ આપ સહુ આપની પોતાની રચના પોષ્ટ કરી ને ઇનામ જીતી શકો છો. હાલ પુરતી આ હરફાઇ ત્રણ વિભાગ માં રાખવામાં આવી છે અને આગળ જતા તેમાં બીજા વિભાગો ઉમેરવાનો વિચાર છેઃ

૧) કવિતા/ગઝલ, ૨) નવલિકા/વાર્તા અને ૩) નિબંધ/કહેવત ને અનુલક્ષી ને લખાણ.

આ ત્રણ વિભાગોમાં ઇનામ તરિકે પ્રથમ ઇનામ તરિકે રૂ. ૩૦૦૦, દ્રીતિય ઇનામ તરિકે રૂ. ૨૦૦૦ તૃતિય ઇનામ તરિકે રૂ.૧૦૦૦ અને બે પ્રોત્સાહક ઇનામ તરિકે રૂ.૫૦૦ આપવામાં આવશે. ત્રણ માસ માં રજુ થનાર તમામ રચનામાંથી બે રચનાઓને રૂ. ૨૫૦ ઇનામ આપવામાં આવશે.

આપ આપની રચના નીચે દર્શાવેલ બન્ને ઇ-મેઇલ પર મોકલી આપવી
sabras_harifai@yahoo.com & sabras.harifai@gmail.com

આ હરિફાઇ માં વિજેતા ને પસંદ કરવા માટે મુંબઇ ના શ્રી ગિરિશભાઇ, પ્રાચીબેન વ્યાસ, વડોદરા ના શ્રી રમેશભાઇ સોની, મોરબી ના પ્રો. ભાવેશભાઇ જેતપરિયા અને ભાવનગર ના ડૉ. કિશોરભાઈ વાઘેલા ની સેવા ઉપલબ્ધ રહેશે.

આ સ્પર્ધા ના નિયમોઃ
૧) રચના સ્વરચિત હોવી જોઇએ.
૨) એક કરતા વધુ વિભાગ માં ભાગ લઇ શકો છો.
૩) આ હરીફાઇ ફક્ત ગુજરાતી ભાષા માટે જ છે અને બિન વ્યવસાયીક છે.
૪) તમે તમારી રચનાનાં અંત માં તમારૂ પુરુ નામ સરનામુ અને રચના લખ્યા તારિખ અવશ્ય લખવી.
૫) રચના આ અગાઉ ક્યાંય પ્રસિધ્ધ થઇ ના હોવી જોઇએ.
૬) પસંદ થયે સ્પર્ધામાં મોકલેલી રચના ઓને આયોજકો દ્વારા પુસ્તક સ્વરુપે પ્રકાશીત કરવામાં આવશે.

નોંધઃ વાર્તા માટે ઓછામાં ઓછા ૨૦૦૦ શબ્દો અને નિબંધ/કહેવતો માટે ઓછામાં ઓછા ૫૦૦ શબ્દો હોવા જોઇએ..


વધુ માહિતી માટે આપ કોમેન્ટસ માં જણાવી શકો છો.

Posted by Ashok at 3:00 PM 6 comments  

પહેલા મનને નિર્મળ કરો

Monday, April 14, 2008

એક મહાત્મા હતા. કોઈ ઘરમાં ભિક્ષા માંગવા ગયા. ઘરની દેવી એ ભિક્ષા આપી અને હાથ જોડીને બોલી - "મહાત્માજી, કોઈ ઉપદેશ આપો."

મહાત્માએ કહ્યું - "આજ નહીં, કાલે ઉપદેશ આપીશ."

બીજા દિવસે જ્યારે મહાત્મા ભિક્ષા લેવા ગયા ત્યારે પોતાના કમંડલુમાં થોડું ગોબર ભરી ગયા, થોડો કૂડો, થોડા કાંકરા. એ કમંડલુ લઈને દેવીના ઘરે ભિક્ષા લેવા પહોંચી ગયા. દેવી એ એમના માટે ઘણી સારી ખીર બનાવી હતી. એમાં બદામ-પિસ્તા પણ નાંખ્યાં હતા. મહાત્માએ ત્યાં પહોંચતાં જ અવાજ આપ્યો - "ૐ તત્ સત્"

દેવી ખીરનો કટોરો લઈને બહાર આવ્યા. મહાત્માએ પોતાનું કમંડલુ આગળ ધર્યુ. દેવી એમાં જ્યારે ખીર ભરવા ગયા ત્યારે જોયું કે કમંડલુમાં તો કૂડો-કચરો ભરેલો છે. તે તરત જ રોકાઈ ગયા અને બોલ્યા - "મહારાજ, આ કમંડલુ તો ગંદુ છે."

મહાત્મા એ કહ્યું - "હા, ગંદુ તો છે જ. આમાં ગોબર છે, કૂડો છે, પરંતુ હવે શું કરી શકાય? તમે ખીર આમાં જ નાખી દો."

દેવી એ કહ્યું - "નહીં મહારાજ ! આમાં જો હું ખીર આપીશ તો આ સ્વાદિષ્ટ-મધુર ખીર પણ ખરાબ થઈ જશે. મને આ કમંડલુ આપો હું એને સાફ કરી લાવું"

મહારાજ બોલ્યા - "સારું માઁ, તો શું તમે આ કૂડો-કચરો સાફ કરીને પછી ખીર ભરશો?"

દેવી બોલી - "હા, મહારાજ !"

મહારાજ બોલ્યા - "સાંભળો દેવી, તમે ગયી કાલે મારી પાસે જે ઉપદેશ માંગ્યો હતો, તો આ જ મારો ઉપદેશ છે. મનમાં જ્યાં સુધી ચિંતાઓ-કામનાઓ આદિનો કૂડો-કચરો અને ખરાબ સંસ્કારોનું ગોબર ભરેલું છે, ત્યાં સુધી ઉપદેશના અમૃતનો લાભ નહીં થાય. ઉપદેશનો અમૃત પ્રાપ્ત કરવો હોય તો પહેલા મન શુદ્ધ કરવું જોઇએ, ચિંતા-કામના દૂર કરી દેવા જોઇએ, ખરાબ સંસ્કારોને સમાપ્ત કરી દેવા જોઇએ. ત્યારે જ ઈશ્વરનું નામ ત્યાં ચમકી શકે છે અને ત્યારે જ સુખ અને આનંદની જ્યોતિ આગ ઊઠે છે."

Posted by Ashok at 10:01 AM 1 comments  

ટુચકા

Sunday, April 6, 2008

આ પુસ્તકનાં બધાં પાનાં કોરાં કેમ છે ?’
‘એનું શીર્ષક જુઓ એટલે સમજાઈ જશે !’
‘કેમ ? શું છે એનું શીર્ષક ?’
‘એનું શીર્ષક છે : પુરુષો સ્ત્રીઓને કેટલી જાણે છે !’

**********

સંતાને 5 નંબરની બસમાં જવું હતું. બંતાને 7 નંબરની બસમાં જવું હતું.
ઘણી વાર રાહ જોયા પછી 57 નંબરની બસ આવી. રાજી થઈ બંને ચઢી ગયા.

**********
સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર જૂનાં ખંડેરોમાંથી પસાર થતા હતા ત્યાં પગે જાદુઈ ચિરાગ અથડાયો. જીને કહ્યું : ‘મારી પાસે ત્રણ વરદાન છે. તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી કરી શકાશે. જે માગવું હોય તે માગી લો !’
ફોટોગ્રાફરે કહ્યું : ‘કાશ્મીરના સુંદર બંગલામાં પૈસાની કોઈ ફિકર વગર આખી જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.’ જીને તેની ઈચ્છા તરત પૂરી કરી.
પત્રકારે કહ્યું : ‘હું કન્યાકુમારીના સમુદ્ર તટે સુંદર બંગલામાં પૈસાની કોઈ ચિંતા વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.’ જીને તેને ત્યાં પહોંચાડી દીધો.
સંપાદકનો વારો આવ્યો. તેણે કહ્યું : ‘મને હમણાં ને હમણાં બન્ને અહીં હાજર જોઈએ. કાલ સવારના છાપામાં કામ કોણ કરશે ? એમનો બાપ !’

**********

‘તારો પ્રેમ મારા માટે મધુર સ્વપ્ન સમાન છે. મારી સાથે લગ્ન કર ને !’
‘લગ્ન તો એલાર્મ સમાન છે. રહેવા દે ને !’

Posted by Ashok at 2:59 PM 1 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters