સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી સહાય

Thursday, July 30, 2009

કેન્સર, હ્રદયરોગ અને કીડની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી મળતી સહાય


કેન્સર, હ્રદયરોગ અને કીડની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી સહાય મળી શકે છે. સહાય મેળવવા નિયમ નમૂનાનું અરજીપત્રક સારા અને સુવાચ્ય અક્ષરે લખીને કે ટાઇપ કરીને રજૂ કરવાનું રહે છે. તે સિવાય અન્ય રીતે ટાઇપ કે ઝેરોક્ષ કરેલા અરજીપત્રક પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.


અરજી પત્રક સાથે રજૂ કરવાનાં દસ્તાવેજોઃ


૧) દર્દીનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ.
૨) કુટુંબની વાર્ષિક આવક અંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કે ચીફ ઓફીસર-નગરપાલિકા દાખલો નો દાખલો.
૩) કુટુંબની વાર્ષિક આવક અંગે અરજીપત્રકમાં આપવામાં આવેલ નમુનામાં સોગંધનામું.
૪) સબંધીત હોસ્પિતલ પાસેથી મેળવેલ સારવારના ખર્ચનો અંદાજ.
૫) રેશનકાર્ડની પ્રમાણિક નકલ
૬) હોસ્પિટલના ઓ.પી.ડી. કેઇસ પેપર્સ તથા તબીબી કેસનાં રેકર્ડની પ્રમાણિક નકલ.
૭)દર્દીનું ઓપરેશન કરાવેલનથી તે સબબનું સબંધિત ડોક્ટરનું પ્રમાણપત્ર
૮) ધારાસભ્ય / સંસદસભ્ય / મીનીસ્ટરનો ભલામણ પત્ર.


નોંધઃ- ક્રમ ૫ અને ૬ સિવાયના તમામ મૂળ દસ્તાવેજ અસલમાં રજૂ કરવા.


અરજીપત્રક ક્યાંથી મળે?


મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય
જનસંપર્ક અધિકારી શ્રી,
સરદાર પટેલ ભવન,
સચીવાલય, ગાંધીનગર-૩૮૨ ૦૧૦.


અરજીપત્રક મોકલવાનું સરનામું


મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, બ્લોક નં.૧૧, સાતમો માળ,
મહેસુલ વિભાગ, સચિવાલય સંકુલ,
ગાંધીનગર-૩૮૨ ૦૧૦.


સહાયનું ધોરણ


સામાન્ય રીતે કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨૦,૦૦૦ ધરાવતી વ્યક્તીને આ સહાય આપવામાં આવે છે. કુલ વૈદકીય સારવાર ખર્ચના ત્રીજા ભાગની પરંતુ વધુમાં વધુ રૂ.૧,૦૦,૦૦૦ મર્યાદામાં સહાય આપવાનું સામાન્ય ધોરણ છે.


માન્ય હોસ્પિટલ


મુખ્યમંત્રી રાહતનિધીમાંથી આપવામાં આવતી વૈદકીય સારવાર સહાય નીચેની હોસ્પીટલ માં કરાવવામાં આવે તો જ મળી શકે છે. આ માટે નીચે મુજબની હોસ્પિટલોને ગુજરાત સરકારે માન્યતા આપેલ છે.


ગુજરાત સરકાર માન્ય હોસ્પિટલો (ગુજરાત)
કિડની


૧) મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ,
ડૉ. વિરેન્દ્ર દેસાઇ રોડ, નડિયાદ
૨)નિયામક શ્રી,
ડૉ. એચ.એલ.ત્રિવેદી ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીસીસ એન્ડ રીસર્ચ સેન્ટર,
સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદ.


હ્રદયરોગ


૧) યુ.એન.મહેતા ઇન્સ્ટીયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર,
સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદ.
૨) શેઠ શ્ર વાડીલાલ જનરલ હોસ્પિટલ,
જનરલ હોસ્પિટલ, એલીસબ્રીજ, અમદાવાદ.
૩) ક્રિષ્ના હાર્ટ ઇન્સ્ટીટ્યુટ,
ઘુમા, તા. અમદાવાદ સીટી, અમદાવાદ
૪) ગુજરાત રિસર્ચ એન્ડ મેડીકલ ઇન્સ્ટીટ્યુટ,
રાજસ્થાન સેવા મેમોરિઅલ મેથોડિસ્ટ ઇન્સ્ટીટ્યુટ કાર્ડિયોલોજી,
મિશન રોડ, નડિયાદ.


કેન્સર


૧) શ્રી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ,
રાજકોટ
૨) શ્રી એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ,
મેઘાણીનગર, સિવિલ હોસ્પિટલ કેમ્પ,
અસારવા, અમદાવાદ.
૩) કેટ સ્કેન સેન્ટર,
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ- અમદાવાદ.
૪) ઇન્ટરવેન્સલ થેરાપી સેન્ટર, અમદાવાદ.
૫) અમદાવાદ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગ, અમદાવાદ
૬) લ્યુકેમીયા રીસર્ચ સેન્ટર, અમદાવાદ.


સરકાર માન્ય હોસ્પિટલ ( ગુજરાત સિવાયની)


કીડની


૧) ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, વેલોર, તામિલનાડુ
૨) ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ, ન્યુ દિલ્હી.
૩) પોષ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ, ચંદીગઢ
૪) જશલોક હોસ્પિટલ, મુંબઇ.


હ્ર્દયરોગ


૧) સર્ઘન રેલ્વે હેડક્વાર્ટર હોસ્પિટલ, ચેન્નાઇ
૨) ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, વેલોર, તામિલનાડુ
૩) ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ, ન્યુ દિલ્હી.
૪) કે.ઇ.એમ. હોસ્પિટલ, મુંબઇ
૫) બોમ્બે હોસ્પિટલ, મુંબઇ
૬) જી.બી. પંત હોસ્પિટલ, દિલ્હી.
૭) શ્રી તિરૂનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્રિવેન્દ્રમ, કેરાલા
૮) એસ.એસ.કે.એમ. હોસ્પિટલ, કલકતા
૯) પોષ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ, ચંદીગઢ
૧૦) જશલોક હોસ્પિટલ, મુંબઇ.
૧૧) હિન્દુજા હોસ્પિટલ, મુંબઇ.
૧૨) સમરીતન હોસ્પિટલ,અલવાયે કેરાલા
૧૩) એન.એમ. વાડીય ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી, પુના
૧૪) કસ્તુરબા હોસ્પિટલ, ભોપાલ
૧૫) એપોલો હોસ્પિટલ, ચેન્નાઇ
૧૬) મદ્રાસ મેડિકલ મિશન હોસ્પિટલ રિસર્ચ ટ્રેનિંગ,
૪-એ, ડૉ. જે. જયલલિતાનગર, ચેન્નાઇ- ૬૦૦ ૦૫૦

Posted by Ashok at 6:48 PM 0 comments  

મમતા

Monday, July 27, 2009

સુર્યનાં સોનેરી કિરણો ચહેરા પર પડતાં જ તૃપ્તિની આંખો ખુલી ગઇ અને અચાનક જ ખ્યાલ આવ્યો કે આજે તો અગિયારસ ...! જલ્દી ઉભી થઇ નિત્ય ક્રમ આટોપી, ઠાકોરજી ની સેવા કરી, ઉંઘી રહેલાં તપનને ઢંઢોળી, બધી સૂચના આપી જલ્દી હવેલી તરફ રવાના થઇ.... આજે અગિયારસ ને લીધે મંગળા આરતીનાં દર્શન માટે ખાસ્સી એવી ભીડ હતી ...તો પણ સદભાગ્યે શ્રીજીની સન્મુખ ઝાંખી થઇ શકી .. ત્યાર બાદ શ્રીજી ગોલખમાં ભેટ ધરી, ગૌશાળામાં ગાય ને નીરણ ધરી,પ્રદક્ષિણા કરી રહી હતી ત્યાં જ સુધાબહેને એને જોઇ ..


"અરે તૃપ્તિ... જય શ્રીકૃષ્ણ ...!!..."


"ઓહ આંટી, જય શ્રીકૃષ્ણ ...!!... "


''આજે તો તું મંગળા દર્શનમાં આવી..!! ..''


"હા આજે અગિયારસ અને પાછો રવિવાર છે એટલે તપન ઘરે છે તો શુભની પણ ચિંતા નથી ...


"હાં બરોબર .. અરે હાં દીદી આવી છે, તને યાદ કરતી હતી .. સાંજે તને મળવા આવશે..!"


"અરે વાહ ..! આંટી, તમે બધા પણ આવજો ને .." કહેતી તૃપ્તિ ઝડપથી ઘર તરફ રવાના થઇ...


સુધાબહેન ઘરે આવ્યાં ત્યારે રાગીણી પણ જાગી ગઇ હતી .. તે મુંબઇથી ઘણા સમયે અમદાવાદ આવી એટલે નાની બહેન શ્વેતાનાં અને સંબંધીઓનાં ખબર અંતર પુછતી હતી, ત્યાં સુધાબહેન બોલ્યાં કે આજે તો શ્વેતાની સહેલી તૃપ્તિ મળી ગઇ હવેલીમાં...અને રાગીણી ચમકી.. કે તૃપ્તિ આવી હતી..??.. અને તેની નજર સમક્ષ તૃપ્તિનાં લગ્ન થયાં ત્યારથી અત્યાર સુધીના બધા દિવસો જાણે કે ચિત્રપટની જેમ છવાઇ ગયાં.


અને દસ વર્ષ પહેલાનો તૃપ્તિનો લગ્નનો દિવસ યાદ આવી ગયો...રૂડા માંડવડા રોપાયા હતાં... મંગળ ફેરા ફરાતા હતાં ને સાજન માજન સંગે લગ્ન ગીતો ગાતાં હતાં...ત્યાં તો વિદાયની વસમી વેળા પણ આવી ગઇ..માતા-પિતા, ભાઇ, બહેન, સખીઓનો સંગાથ છોડી આંખોમાં સ્વપ્નાઓ લઇ પારકાઓને પોતાના બનાવવા સાસરે ચાલી...એક કોડ ભરી યુવતી જ્યારે મા-બાપની છત્રછાયામાં થી વિખુટી પડીને તદન નવા વાતાવરણમાં જઇ ને શ્વસુરપક્ષનાં દરેક સભ્યોને પોતાના બનાવવાની સારી ભાવાના રાખીને પહેલું પગલુ ભરે છે, ત્યારે એને ખબર નથી હોતી કે તેનું ભાવિ કેવું હશે..? ...


શરૂઆતમાં તો બધુ ઠીકઠાક ચાલ્યું..પણ ઘરમાં માતા(સાસુ)નું એક્ચક્રી શાસન હતું.... અને કમનસીબે તપન પણ માતાની વાતોમાં આવી જતો.. ધીરે ધીરે ગૃહક્લેશને કારણે તૃપ્તિને ઘણું સહન કરવું પડ્યું... સમય વિતતા તૃપ્તિનાં માતૃત્વનાં ખુશીભર્યાં સમાચાર પણ તેની કમનસીબીનાં ચક્રને ફેરવી ના શક્યાં..!!...સમયનાં વહેણ વહેવા લાગ્યાં...સાથે સાથે તૃપ્તિ પર માનસિક અને શારીરિક ત્રાસ પણ વધતો ચાલ્યો.. આવી હાલતમાં જ વિકલાંગ પુત્ર નો જન્મ થયો...! ...પરંતુ ખૂબ જ સારવાર કરવા છતાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ના થયો...આમ જ દહાડાઓ વિતવા લાગ્યાં .. તૃપ્તિ અને તપને ખૂબ જ મહેનત કરી પણ બધાજ ડોક્ટરોએ દવાની બદલે દુવા કરવાનું કહ્યું ત્યારે બન્ને પર જાણે કે પહાડ તુટી પડ્યો...! ...


આ બધી જ વાત રાગીણી જાણતી હતી એટલે જ મમ્મીએ જ્યારે કહ્યું કે તૃપ્તિ હવેલીમાં મળી હતી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું કે તૃપ્તિ...! અને સવારના પહોરમાં હવેલીમાં..???.... કેમકે તે શુભને ક્યારેય અળગો ના કરતી.


સાંજ પડી અને શ્વેતા પણ આવી પહોંચી ..બન્ને બહેનો તૃપ્તિનાં ઘરે ગઇ ..તૃપ્તિ તો બન્નેને જોઇ ને એક્દમ આનંદમાં આવી ગઇ... આમ પણ રાગીણી એના માટે સખી શ્વેતાની દીદી નહીં પણ, પોતાની મોટીબહેન સમાન હતી. ત્રણે એ નાનપણની બધી વાતો યાદ કરી ...સ્કુલ લાઇફમાં કેવા તોફાન મસ્તી કર્યાં હતાં એ બધીજ બાળપણની વાતો કરતાં કરતાં વર્તમાનમાં આવી પહોંચ્યાં અને શુભને જોઇ ને રાગીણીથી રડી પડાયું...તૃપ્તિ બોલી, કેમ શું થયું દીદી..??...પણ રાગીણી બોલી શકી નહીં અને શુભ તરફ જોયું...


એટલે શ્વેતા સમજી ગઇ અને કહ્યું કે, રડો નહીં દીદી ... તૃપ્તિ તો હવે ખૂબ જ હિંમતવાન થઇ ગઇ છે...અને તપનનાં સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું છે .... ખરુને તૃપ્તિ..?... "


"હાં દીદી...એક વખત હું શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગયેલી અને મહારાજશ્રીનાં વચનામૃતનું શ્રવણ કરતાં જ, અંતરમાં રહેલાં ધાર્મિક સંસ્કારો ઝંકૃત થઇ ઉઠયાં અને સંજોગો સાથે સમાધાન કરતાં શીખી. અને હા દીદી, તમારાં બધા જ કરતાં હું નસીબદાર છું કારણકે, તમારાં બાળકો ને તો તમે ફક્ત અમુક સમય સુધીજ ગોદમાં લઇને રમાડી શકો છો, જ્યારે હું તો શુભ ને આઠ વર્ષથી મારી ગોદમાં રાખીને વાત્સલ્ય વરસાવુ છું..... જાણે કે શ્રી ઠાકોરજી, શુભ રૂપે અમારે આંગણે અવતર્યાં અને જેની અમે પ્રત્યક્ષ સેવા કરીએ છીએ...હવે તો શુભ જ અમારો લાલો છે અને એની સેવા એ જ શ્રીઠાકોરજીની સેવા છે..!...મમતા ભરી દ્રષ્ટિએ શુભ તરફ જોતા તૃપ્તિએ કહ્યું...


તૃપ્તિની વાતો એ રાગીણીને વિચારતી કરી મુકી....મનોમન એ, માતૃત્વનું ઝરણુ વહાવતી મમતાની મુર્તિ ને વંદી રહી..!!..સાથે સાથે જ આપણી ભારતીય સંસ્કૃતિનાં રીત – રિવાજોનાં આવા નરસા પાસાને કોસતી રહી કે, આવી કેટ - કેટલી તૃપ્તિઓ આવા દુર્વ્યવહારનો ભોગ બનતી હશે..!!..જ્યાં નારીને નારાયણી મનાય છે, ત્યાં નારીનું આ રીતે પણ શોષણ થાય છે....!.. જ્યારે આ કારણે જ શુભની હાલત આવી છે ...પરંતુ આમાં શુભનો શું વાંક...?? ..માનવ હક્કનું મુલ્ય અને "વહુ" નામનાં સભ્યની વેદના - સંવેદનાને ક્યારે સમજશે આ ભારતીય સમાજ ..? શું વહુ બનીને આવેલી નારીને, પોતાનું જીવન, બસ શ્વસુરપક્ષને સમર્પિત કરી દેવા માટે જ મળ્યું છે ?? ફરજ નિભાવવાના ઓઠા હેઠળ કેટલીયે "વહુ" રિબાતી હશે...! પછી તેની સાથે પરીણામ ભોગવવા પડે છે શુભ જેવા નિ:ર્દોષ બાળકોએ, કે જેઓનું કોઇ નિશ્ચિત ભવિષ્ય નથી...! કાશ ! હવે તો , સભ્યતાનો આંચળો પહેરેલ ભારતીય સમાજ નાં એ દરેક શ્વસુરપક્ષની આંખો ખુલે, જેઓ હજીયે વહુ ને આવી રીતે ત્રાસ આપે છે, તેને ફક્ત 'વહુ' તરીકે જ જુવે છે .. ઘરના સભ્ય તરીકે નહિ ...! કહેવાતા આધુનિક અને સુધરેલા, આ સમાજ માં અત્યારે પણ આવું બની રહ્યું છે એ ખૂબ શરમજનક છે આપણી સંસ્કૃતિ માટે ..!! -

.

સહલેખન

ચેતના (ઘીયા) શાહ.

શિતલ (ઘીયા) માલવિયા

Posted by Ashok at 9:51 AM 0 comments  

નવી વર્ષા

Thursday, July 2, 2009

મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહું ઑર, મારું મન મોર બની થનગાટ કરે

બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે.
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે,,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઇને પગલ મેઘઘટા ગરજાટ ભરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તણે હરિયાળી પરે
મારો આતમ લહેર-બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે!
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે!
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે!

નદી-તીર કેરાં કૂણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે!
એની સૂનમાં મીટ સમાઇ રહી,
એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
ચકચૂર બની ફૂલ-ડાળ પરે!
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મોર બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચહું ઑર, મારું મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.


રવીન્દ્રનાથના ‘નવવર્ષા’ પરથી
ઝવેરચંદ મેઘાણી

Posted by Ashok at 3:04 PM 0 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters