બાબુ - બાબી ની વાતો
Monday, October 3, 2011
આગળનું પ્રકરણ વાંચવા પ્રકરણ ૧ પર કલિક કરો. અહિયા બીજું પ્રકરણ રજુ કરી રહ્યા છીએ.
મેઘધનુષનાં બે રંગ માત્ર – તો યે જીંદગી મેઘધનુષી
પ્રકરણ- ૨
રામ એક ઊંચો ને પડછંદ એથલેટિક બોડી ધરાવતો હતો. રીમલેસ બ્લેક ફ્રેમ, સોનેરી વાંકડિયા વાળ અને તેમાં ઉંમર મુજબનાં ગ્રે હેરની છાંટ હતી. રોજનાં યોગાભ્યાસ અને ટેનીસ પ્રેક્ટીસને કારણે તેની બોડી લેંગ્વેજ બહુ જ વેલ કંટ્રોલ્ડ હતી. એક અજબ કિસમનો ‘ઠહેરાવ’ તેનાં લહેજામાં હતો. જે ઉંમર વધવાથી આવતી હતી નથી, તેવી આત્મસાત ‘ડીસીપ્લીન’ હતી. સેલ્ફ ડીસીપ્લીન કદાચ દેખાડાની કક્ષામાં મૂકી શકાય, પરંતુ જેમાં સમગ્ર જીવન, વર્તણુંક, હાવભાવ, ભાષાને તમે એક સમાંતર લાઈનમાં મૂકી શકો તેને ‘આત્મસાત શિસ્ત’ જ કહેવું પડે. તેથી તે ૫૩-૫૪ વર્ષની ઉંમરે તે ગજબ આકર્ષક લગતા હતાં. વાળની સફેદ છાંટ ને કારણેજ તેની ઉંમરનો અંદાજ કોઈ કાઢી શકે.
૯૦% વ્યક્તિત્વ તેની આંખમાં જ સમાઈ જતું હતું. જાણે તે પોતાનું વ્યક્તિત્વ, મિજાજ, વિચારો ને માંગણી દર્શાવવાનું કામ તો આંખ પાસેથી જ લેતા. કદાચ આંખોની કોઈ ભાષા હોય તો કેવી હોય? દુનિયાની બધી ભાષા ભેગી થાય તો પણ આંખોની ભાષા બોલી શકે નહિ.
તમે કોઈપણ વ્યક્તિને (ગમતી કે નગમતી પણ) તમારી આંખમાં માત્ર ૧૦, અરે, પાંચ જ મીનીટ એકટીશે જોવાનું કહો, તેની દરેક સારી નરસી હરકતો અભિવ્યક્ત થઇ જશે. કારણ એ જ કે પોતાની જાતને વ્યક્તિ પાંચ મીનીટ પણ આંખોમાં છુપાવી શકતો નથી.
રામ તમને તમારી જાત તમને સાચવીને – સાચી બતાવીને આપે તેવું વ્યક્તિત્વ ધરાવતા હતાં.
આ વાત તમે વયને, જાતિ, જ્ઞાતિની રીતે વાંચવાની ભૂલ ન કરતાં નહીતર તમે તમારાં હ્રદયને ક્યારેય સમજી નહિ શકો. જયારે તમે તમારાં હૃદયને જ ન જાણી શકો તો તમે બીજા ના હૃદયને શું જાણી શકો? આથી, just read eyes! આંખોની ભાષા જાનો. પછી દુનિયા ના પુસ્તકો વાંચવાની જરૂર નહિ પડે.
હા! તો ફરી રામ તરફ નજર દોડાવો....
તેણે ત્રાસી આંખે બાજુ માં બેઠેલી યુવતીને જોઈ. તે જોઈ જ રહ્યો હતો. તેનું નોર્મલ ડ્રેસિંગ હતું. આજકાલનાં જનરેશન જેવું જ, જીન્સ ને કુર્તી, તેની કેરીબેગ પણ રંગબેરંગી હતી, તેમાં ટાંગેલું ટેડીબીયર નું ઘુઘરીવાળું કીચેન, અને તેનો ટ્રેડમાર્ક – આઈ-પોડ ! આઈ-પોડ ના ઈયર પ્લગમાં તે મ્યુઝીક સાંભળવામાં મસ્ત હતી. જાણે તે બસમાં હતી જ નહિ. આવા સાથીઓ અપડાઉનમાં રોજ આવતાં જ હોય છે. પણ, અનાયાસ, જાણે ગરમીની મોસમમાં જુઈની વેલ નીચે આવી ગયા હોય કે પછી ઓચિંતું વરસાદી ઝાપટું પડી ગયું હોય તેવું કેમ રામને લાગતું હતું!?
બુકમાં આજે મન પ્રથમ વખત વળ્યું નહીં તેવું પ્રથમ વખત બન્યું. જાણે અજાણે તેને એમ લાગતું હતું કે કોણ છે આ, જે તેણે કોઈ જ કારણ વીના, તેનું ધ્યાનભંગ કરી રહ્યું રહ્યું છે. એવી કોઈ જ જોડતી કડી ન હતી છતાં કઈ કડી તેને જોડી રહી હતી?
તેની નજરને સીમોને પકડી લીધી, ને આંખોથી જ પુછ્યું, શું? તે તેના મ્યુઝીકમાં એટલી તલ્લીન હતી કે જાણે તેને શબ્દો માટે ટાઈમ ન હતો. તેણે બે ઈયર પ્લગમાંથી ૧ પ્લગ રામના કાન માં બિલકુલ સહજતાથી ‘શેર’ કર્યું. રામને આવી કોઈ ટેવ હતી જ નહિ. પરંતુ તેણે અનુભવ્યું કે જાણે તે સીમોનથી કનેક્ટ થતો હતો!!! કાનમાંથી મગજમાં રાહત ફતેહ અલી ખાં નાં ગીત નો જાદુ છવાઈ રહ્યો હતો..... “મૈ જહાં રહું, કહી ભી રહું...... તેરી યાદ સાથ હૈ...
રામે આ ગીત માન્યું તે પણ એક નવાઈ હતી. એક અજબ શોખ તેણે હતો, ભજન લખવાનો. તે અલૌકિક મસ્તીમાં હોય ત્યારે ફિલોસોફીકલ ભજન લખતો. તેની તેણે ગયેલા અને કમ્પોઝ કરેલા ભજનની એક સીડી બજારમાં આવી હતી. આવી અનન્ય બે ધ્રુવની વ્યક્તિ એક ઈયર પ્લગના તાર સાથે જોડાઈ રહી હતી. આમાં ઈશ્વરનું શું પ્રયોજન હશે???
જયારે રામ, સીમોન સામે જોતો ભારે તરવરાટ ભરી, મસ્ત છતાં વ્યવહારિક, સીમોન ને પોતાની જીંદગીનો આનંદ લેતા જોતો ત્યારે તેણે થતું કે પોતાની જીંદગીમાં “આજ” ખુટતી કડી હતી. સીમોનની – પ્રવાહિતા!!! જીંદગીમાં સરળતાથી વહેવું!.
એક સહજ શિસ્ત જીવનશૈલીમાં તે કાયમ આગળ રહ્યો. ગૃહસ્થ જીવન પણ આશ્રમ ની જેમ ચલાવ્યું. બાળપણથી પ્રૌઢાવસ્થા સુધી સ્વશિસ્તમાં આદર્શ જીવન જીવ્યું. પરંતુ તેમાં આવી સહજ – સરળ પળો માણતાં તે ચૂકી ગયો. જે નિર્ભેળ – નિર્દોષ પળો હતી, આનંદ આપતી હતી, તે કદાચ તેના નિયમોના દાયરામાં આવતી ન હતી.
સીમોન મનસ્વી કે ચંચળ ન હતી, છતાં તે આકરી અપડાઉનની પળેપળ આનંદથી સિંચતી હતી. જેથી તેણે થોડા દિવસોના સહવાસમાં જ રામને ખડખડાટ હસતા શીખવાડી દીધું હતું.
રામે જયારે પોતાના ભજનો વિષે વાત કરી ત્યારે સીમોને તે આનંદથી સંભાળ્યા. તેને મન સંગીતની કોઈ સીમા જ ન હતી. ભજનોના શબ્દોનાં ગુઢાર્થો માટે સીમોને કહ્યું કે “જી બહલાને કે લીયે ખયાલ અચ્છા હૈ! પર જબ હમ જીંદગી કો બહુત કરેબ સે દેખ લેતે હૈ ફિર વો જીને કે બદતર બન જાતિ હૈ! જીતના કિસી ઇન્સાન કો યા જીવન કો નજદિક સે જાનો ઉતના હી સાફ નજર આને લગતા હૈ ઔર અપની અસલિયત દિખાતે હૈ, ઉસ સે અચ્છા હૈ કિ જીંદગી નાવ બહેતે જીવન પ્રવાહ મેં ચલાયે, સામને નહી.”
બીજે દિવસે તે ગોતીને, ગુજરાતી ભજન અને સુગમ સંગીત ની સીડીઓ લઇ આવી અને રામને ભેટ આપી.
આમ, બંનેનાં દિવસોમાં ઋતુઓ તો આવ્યા કરી પણ વસંત ઉગતી ગઈ.
બંનેની વાતોમાં ક્યારેય લડાઈ, ફરિયાદ કે ત્રીજી વ્યક્તિનું સ્થાન રહેતું નહી. તો પણ બંને જાહેરજીવનમાં ચર્ચા કરતાં જોવા મળ્યા નહી. માત્ર એસએમએસ કે નેટ ચેટિંગથી બંને પાસેને પાસે આવતાં ગયાં. બાકી ફોનથી વાતો કરી લેતા.
રામને સિમોનના એક જન્મદિવસ ઊપર યાદ આવ્યું કે તે બન્નેનાં સંબંધમાં હવે જુદા થવાનો કોઈ અવકાશ નથી. તો પણ તેણે સીમોન ને લગ્ન કરી લેવા સમજાવ્યું. કે જયારે કોઈ સંબંધ ને નામ ન હોય તો તે અધૂરું જીવન ગણાય, પરંતુ સિમોનના કહેવા મુજબ , “કદાચ તે ભૂલથી મોડી જન્મી હશે, આવતાં જન્મે સાથે જન્મશું અને ત્યારે મળશું ને સંબંધ ને નામ આપીશું.” તેને કોઈ જ ફરિયાદ આ સંબંધ માટે ન હતી.
આ સંબંધ પ્લેટોનિક લવ કે સ્પીરીચ્યુઅલ લવ ગણવો કે કયો ગણવો તે ચર્ચા કરનારાઓ જ કહી શકે. બાકી જે ખરેખર પ્રેમમાં હોય તેમને કદાચ આવી ચર્ચાનો કે અંતે તારણ કાઢવાનો અવકાશ નહી હોય. પ્રેમ કદાચ વાચા વગરની લાગણી આપ્યા કરવાની નામ છે.
કદાચ લગ્ન એટલે જ કરવામાં આવે છે કે સમાજ એક સિસ્ટમ – આધારરૂપ- યોજનાથી બને. બાળકો – ઘર- પરિવાર બધું જ કાનૂની અને આવા કાનુન ને કારણે ઘણાં ઘર -ઘર અને ઘણાં ઘર –હોસ્ટેલ બની જાય છે એ અલગ વાત છે.
જ્યારે આવા સિસ્ટમ – આધારરૂપ- યોજના વિનાના સંબંધો બંધાય છે ત્યારે પહેલાં તેના પાયા જ ખોદી નાખવા લોકો તૈયાર હોય છે. પરંતુ તેથી જ રામે અને સીમોને નક્કી કર્યું હતું કે, ‘સમાજ’ જેને આપણા અસ્તિત્વથી કોઈ ફેર પડતો નથી, તે સમાજનું જ અસ્તિત્વ આપણે શું કામ સ્વીકારવું? બંને જુદા રહી દુ:ખી થશું તો પણ સમાજનું કશું જવાનું નથી, હા, કહેવાતો કાનુન જળવાઈ રહેશે, અને બંને હૃદયથી સાથે રહીશું તો કાનુન તૂટી જવાનો નથી કે સમાજ વ્યવસ્થા તૂટી જવાની નથી. આ કારણે બંને એ લોકોની નજરોથી દૂર રહેવાનો નિર્ણય કરી લીધો, પરંતુ પોતાની પ્રેમની મનોભાવના એકબીજા પર પુરેપુરી ન્યોછાવર કરવાનાં સહ-નિર્ણય સાથે જ.
જરા કહેશો? કોઈ વ્યક્તિ ક્યાં સુધી આત્મસન્માનના ભોગે આત્મસમર્પણ કરી દે કે આત્મા ન્યોછાવર કરે? કદાચ નિર્દોષતા, નિરંતર પ્રેમ કે સાહચર્યની ઉત્કટતા કોઈ ને જીવ ઉપર આવી ને પ્રેમ કરવા પ્રેરે છે.
આપણે કોઈનાં પણ પ્રેમને એક જરૂરીયાતમાં ખપાવી દઈએ છીએ અને તેણે ત્રાજવામાં લેખાજોખા કરીએ છીએ. શું તમે કોઈને પણ ‘I love you’ કહી દો છો? કદાચ રમત માં પણ? નહી નાં? નહી જ કહી શકો. કહી દો પછી તેમાંથી નીકળતા દમ નીકળી જતો હશે. માત્ર એક વખત પ્રયત્ન કરી જુઓ. જો ખોટું કહેશો તો જીવનભર આત્મા તમને ડંખતો રહશે.
આમ, રામને કોઇજ સ્થાયી જીવનમાં જરૂરિયાત ન હતી, કે તે સિમોનના પ્રેમ ને અપનાવે. પરંતુ ઘણીવાર અનાયાસ ઘટનાઓ બનતી હોય છે. જે પ્લાનીંગની ઘટના કરતાં વધુ સુખ આપનાર બંને છે. જેણે આપણે નિયતી કે લેણાદેણી ગણીએ છીએ.
Babie