Wednesday, December 29, 2010
૧૨ મી ડિસેમ્બર – સબરસગુજરાતીની પ્રથમ વર્ષગાંઠ છે અને તેની ખુશાલીમાં સબરસગુજરાતી જાહેર કરે છે સબરસ પદ્ય હરિફાઈ.
પ્રિય, મિત્રો આપ સર્વેને હર્ષપૂર્વક જણાવવાનું કે સબરસગુજરાતીની સાઈટ પર યોજી રહ્યા છીએ સબરસ પદ્ય સ્પર્ધા .. આપ સર્વેને આપના મિત્રો સહિત આ હરિફાઈમાં ભાગ લેવા આમંત્રણ છે. સ્પર્ધા ડિસેમ્બર મહિનાની ૧૨ તારીખથી જાન્યુઆરીની ૨૬ તારીખ સુધી રહેશે. સબરસ પદ્ય હરિફાઈ અંર્તગત આપ કાવ્યના કોઈ પણ પ્રકાર જેવા કે ( ગીત, ગઝલ, સોનેટ, છાંદસ, અછાંદસ ,હાઈકું ,મુકતક ) વગેરે મોકલી શકો છો. સ્પર્ધાનું પરીણામ માર્ચની ૪ તારીખે રજુ કરવામાં આવશે. પદ્ય સ્પર્ધા માટેના ઈનામો નીચે મુજબ છે.
પ્રથમ ઈનામ – ૫૦૦૦ , દ્વિતીય ઈનામ – ૨૦૦૦ , પ્રોત્સાહન ઈનામ – ત્રણ ( દરેકને રૂ. ૫૦૦ )
સબરસ પદ્ય સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.
* આપની રચના સ્વરચિત હોવી જરૂરી છે.
* સ્પર્ધા માટે મોકલેલ રચના અપ્રકાશિત હોવી જોઈએ. તેમજ પ્રકાશિત કરવા આપેલ ના હોવી જોઈએ.
* કાવ્ય માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.
* તમો વધારેમાં વધારે તમારી બે રચના મોકલી શકો છો.
* રચના સામાજિક માળખાને અનુંરૂપ હોવી જરૂરી છે.
*રચનાને શિર્ષક આપવું જરૂરી છે.
* રચના લખ્યાની તારીખ તથા આપનું પોસ્ટલ એડ્રેસ, ઈમેલ એડ્રેસ (જો હોય તો) તથા ફોન નંબર લખવો જરૂરી છે.
*નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે બાબતે કોઈ પત્ર વ્યવ્હાર કરવામાં નહી આવે.
*તમામ રચનાઓને સબરસગુજરાતીની સાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે.
*ઈનામી રચનાઓ 3 મહિના સુધી બીજે ક્યાંય પ્રકાશિત કરી નહી શકાય . જાણ થયેથી ઈનામ પરત માગવામાં આવશે.
*આપની રચનાઓ આપ ઈ-મે ઈલ દ્વારા અથવા પોસ્ટ દ્વારા મોકલી શકો છો. તે માટેના એડ્રેસ નીચે મુજબ છે.
by email-harifai@sabrasgujarati.com
post@sabrasgujarati.com
kailaashok@gmail.com આ ત્રણેય પર મોકલશો.
કુરીયર દ્વારા——Ashok Kaila,
Somanath Enterprise,
Shreeji Complex,
Opp. Lal Baug bus stop.
Morbi-363642 , (Gujarat state).
પોસ્ટ દ્વારા –સબરસ ફાઉંડેશન,
પોસ્ટબોક્ષ નં -83,
મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ.
મોરબી – 363641
મોબાઈલ 98257 79718.
Tuesday, November 23, 2010
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. .....જમિયત પંડ્યા
માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવાજેવી હતી. ...........નિનાદ અધ્યારુ
હારને માનવી કબૂલ નથી,
એટલે ઇંતેજાર રાખું છું....... કીર્તિકાંત પુરોહિત
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.... મુકુલ ચોક્સી
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો.... મરીઝ
Friday, April 9, 2010
માર્ચ મહિનાના માસીક હરિફાઇના વિજેતા જાહેર કરી રહ્યા છીએ. આ માસે અમારા ધંધાકીય અને સામાજીક કારણોસર સાઇટના કામકાજને પ્રાધાન્ય આપી ના શક્યા તે બદલ દિલગીર છીએ.
કવિતા વિભાગ
1) ઝુમતા અમે –રમેશ પટેલ
2) શું મોકલું –શિલ્પા પ્રજાપતિ
વાર્તા વિભાગ
1) પહેલા પ્રેમની પહેલી મુલાકાત –નિશીત જોષી
વિજેતાઓને તેમના પુરસ્કાર ભારતીય પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં વિજેતા થયેલા તમામને પ્રમાણ પત્ર ટુંક સમયમાં મોકલવામાં આવશે.
ધારાવાહિકના સંજોગના સફળ પ્રયાસ બાદ સબરસ ગુજરાતી પર ટુંક સમયમાં બે ધારાવાહિક ચાલુ કરી રહ્યા છીએ. જેના એકના લેખીકા છે વડોદરાના શ્રીમતિ બ્રિન્દાબેન માંકડ અને બીજા લેખક છે મોરબીના ડૉ. ભાવેશભાઇ જેતપરીયા. 16 એપ્રીલથી વાર્તા માટેની મેગા હરિફાઇ આપની સામે રજુ કરી રહ્યા છીએ. વધુ વિગત આવતા અઠવાડિયે અહીં મૂકીશું. આપ સહુને અમારી નમ્ર વિનંતી છે કે આપની પાસે અપ્રકાશિત વાર્તા કે કોઇ આર્ટિકલ હોય તો અમારો સંપર્ક સાધશો. અમે આપની અપ્રકાશિત વાર્તાને સબરસ સાઇટ પર અને સારી રચનાઓને સંપાદિત કરી પુસ્તક પ્રગટ કરવાનો અમે અમારો પહેલો પ્રયાસ કરીશું.
-અશોક કૈલા
Tuesday, March 23, 2010
અમે અમારી ગુજરાતી સાઇટ ચાલુ કરી હોવાથી અમે અમારો આ બ્લોગ ટુંક સમય માં બંધ કરી રહ્યા છીએ. આપે આપેલા સહકાર, સુચન બદલ અમે આપના આભારી છીએ. આવો જ સાથ અને સહકાર અમને અમારી ગુજરાતી સાઇટ સબરસગુજરાતી ને આપશો એવી આશા સાથે...... બ્લોગ થકી કોઇ પણ રચયીતા ને અન્યાય કે તેમના હક નો જાણતા કે અજાણતા ભંગ થયો હોય ત્યાં અમે આપની ક્ષમા પ્રાર્થી છીએ.
આભાર સહ
અશોક કૈલા
Monday, March 22, 2010
સામગ્રી:-
બટર 2 થી 3 ટી સ્પુન
કંડેનસ્ડ મીલ્ક 200 થી 300 ગ્રામ
કોકો પાવડર 2 થી 3 ટી સ્પુન
ડ્રાયફ્રુટ... અખરોટ બદામ કાજુ અને અન્ય તમારી પસંદના
ડાર્ક ચોકલેટ 200 થી 300 ગ્રામ
રીત:-
સૌ પ્રથમ એક વાસણમા બટર લો. તે પીગળે તેટલું તેને ગરમ કરો. પછી તેમા કંડેનસ્ડ મીલ્ક ઉમેરો અને એક મીનીટ માટે તેને હલાવો. ત્યાર બાદ તેમા કોકોપાવડર મીકસ કરો. અને ત્યાં સુધી હલાવો કે સરસ સ્મુથ પેસ્ટ તૈયાર થાય. ધ્યાન રાખો કે બળી ના જાય. થોડું ઘટ્ટ મિશ્રણ બને એટલે તેને ગેસ સ્ટોવ પર થી નીચે ઉતારી લો.અને એક બાઉલ મા કાઢી લો. તેને થોડું ઠંડુ થવા દો. ત્યાં સુધીમા તમો ડ્રાયફ્રુટસ ને માઈક્રોવેવ મા રોસ્ટ(શેકી) કરી લો . હવે તૈયાર થયેલા ધટ્ટ મિશ્રણ માથી થોડું લઈને હાથમા નાનો બોલ જેવુ બનાવી વચ્ચેથી જરા અંગુઠો દબાવી પ્રેસ કરો અને તેમા એક નટસને રોલ કરી દો. એવી રીતે બધા નટસને રોલ કરી લો. હવે ડાર્ક ચોકોલટને ડબલ બોઈલર કે માઈક્રોવેવ દ્વારા મેલ્ટ(પીગળાવો)કરો. પછી રોલ કરેલા નટસને પીગળેલી ડાર્કચોકોલેટ માં ટૂથપીક દ્વારા બોળો અને તેને એક પ્લાસટિક ના શીટ પર છુટા છુટા મુકો. તે સેટ થાય ત્યા સુધી ફ્રીજમા મુકો. લો તમારા ચોકલેટસ નટીસ તૈયાર ખાવા માટે.
શ્રેયા વ્યાસ
Thursday, March 4, 2010
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો..
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને
સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , એ રડી શકે છે અને બે , એ ધારે ત્યારે રડી શકે છે !!!!!
આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ !
પ્રાચી વ્યાસ તરફથી
Monday, March 1, 2010
અમે આજે ફેબ્રુઆરી માસનું પરિણામ જાહેર કરવા જઇ રહ્યા છીએ.
કવિતા/ ગઝલ વિભાગ
૧) ગ્રીષ્મ – સુરેશ જાની
૨) હશે કોઈ તારી શરારત – કાંતિ વાછાણી
વાર્તા વિભાગ
૧) સમભાવે પરખાય – પ્રેરણા પટેલ
૨) રડવુ હતુ ને સામે પિયરિયા મળ્યા (કહેવત આધારીત) – ભરતભાઇ
વિજેતાને તેના પુરસ્કારની રકમ ૮મી માર્ચના મોકલવામાં આવશે.
ટુંક સમયમાં જ આ ઉનાળુ વેકેશન માટેની ખાસ વાર્તા હરિફાઇ જાહેર કરીશુ.
Wednesday, February 17, 2010
વસંત પાંગરે નવ જોબન ઉમંગ આજ,
મધુરા પાંગરે દ્રુમ વેલી ઉછરંગ આજ.
.
વનરાજી શોભે થઈને સુહાગન આજ,
પ્રિયતમ પધારો લઈને ઉમંગ આજ.
.
કેસરી સાજ શોભે,લઈને ગુલાલ આજ,
ફુલડાની ફોરે ભ્રમર ગુંજે ઉમંગ આજ.
.
હીરા મોતીડે સેર ગુંથાવુ ગજરા આજ,
આવો તો મનોહર થાયે ઉમંગ આજ.
.
ધીરે ના ધરપત હૈયે હુલ્લાશ આજ,
પધારો ફાગણ ફોરે થાયે ઉમંગ આજ.
વિવેચનપાનખર ગયા પછી વસંત નવુ જોમ, નવો ઉત્સાહ લઈ ને પ્રકૄતિમાં પાંગરી છે તે જોઇને હૈયે અનેરો ઉમંગ થતો હોય તેવુ નાયિકા અનુભવે છે, પોતાના પ્રિય પાત્ર થી દુર હોય જાણે પોતે પણ પાનખર ગયો છે અને વસંત બેઠી એવો અહેસાસ કરતી હોય તેવુ વિચારે છે, આજ ઝાડ, પાન, લતા, વેલી જાણે મધુરી લય થી ઉછ્ળતા જણાય છે, વનરાજી જાણે સુહાગન બની હોય તેવી રીતે શોભી રહી છે, પ્રકૃતિના દરેક દરેક અંગો આજ વસંતના આગમનની છડી દેતા હોય તેવું જણાય છે, પ્રિયતમ આવો અનેરો ઉમંગ લઈને પધારો વરસો પાનખરની પીડા ને આજ વસંતના વધામણા થી નવપલ્લ્વિત કરી દ્યો. આજ વસંતની સાક્ષી રુપે દેવોને પણ કેસરી વાઘા ધરાવ્યા છે ગુલાલ થી તેના પર છાંટણા કર્યા છે.
ફુલોના શણગાર થયા છે અને તેના પર ભ્રમરો કેવા ઉત્સાહ થી મીઠુ ગુંજન કરે છે, તમે આવો એવા ભાસ થી હીરા મોતીની સેરો ના ગજરા ગુંથાવુ છું પણ તેનો જોનાર આજ કોઇ હોય તો જ તેની સાર્થકતા છે, આવો તો મનોહર ઉત્સાહ કેટલો વધે તે કેવી રીતે સમજાવુ.
હવે હૈયે જે ધીરજ હતી તે પુરી થઈ ગઈ છે આપના આગમનનો જ ઉલ્લાસ આજે છે, હવે બહુ મોંઘેરા થતા પધારો ફાગણ આમ જ ઉત્સાહથી ઉજવીએ...
કાંતિ વાછાણી
Tuesday, February 16, 2010
ફાગણ વ્હેંચે ફોરમ ડાળડાળ
આતો કેવા વસંતના રે વ્હાલ
હોઠ મલકે ને નયનો નખરાળ
મન મેળામાં મલક્યો મલકાટ
નથી હોળી છે દિલડાની આગ
ફૂલડે વધાવીએ પૂનમીઓ ફાગ
છે રંગીલી હોળી ઉડાડતી ગુલાલ
આવો રમીએ થઈ રાધાના કાન
કેસૂડો વધાવે હરખ વનવાટ
અંગઅંગ મલકે રતુંબલ ઉપહાર
છે ખોળો કુદરતનો ફાગી ખુશહાલ
આ છે મીલનના મસ્ત વાસંતી વ્હાલ.
રમેશ પટેલ(આકાશદીપ)
Thursday, February 11, 2010
મિત્રો, ‘સોહમ’ દ્વારા હું તમારી સમક્ષ આવી રહી છું. આશા છે કે સોહમ સાથે મને પણ સ્વીકારશો. આપણા જીવનની વાતો એકદમ સરળ ભાષામાં જ્ઞાન અને માહિતી સાથે તમારી સાથે વહેંચવા આવી છું. જીવન હમેશા આપણા બધા માટે કોયડા સમાન રહ્યું છે. તેને જાણવાની કોશિશ કરીશું. આપણે શાંતિ અને હાશકારો આપણા તન-મનને તરબતર કરી શકે તેવી જ વાતો આપણે કરીશું.
ઘણીવાર આપણા મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા કરે છે કે આપણે શું છીએ ? શેના બન્યા છીએ ? આપણુ અસ્તિત્વ કેટલુ છે ? શું કરવા આ પૃથ્વી પર આવ્યા છીએ ? ક્યાં સુધી રહેશું ? પછી ક્યાં જશું ? આ માયા શું છે ? સબંધોના શા માટે ? જ્ઞાનની પ્રાપ્તિ એટલે શું ? પ્રભુ કોણ છે ? શા માટે છે ? તે હમેશા કૃપાળુ જ શા માટે હોય છે ? ભુતાવળ શું છે ? પરલોક ક્યાં આવ્યું ? સ્વર્ગ-નર્કમાં શું હોય ? તેનો અનુભવ કેવો હોય ? આવા આવા અનંત પ્રશ્નોની હારમાળા ક્યારેક આપણા દિલો – દિમાગમાં છવાઇ જતી હોય છે. છતા આપણે તો જીવ્યા જ કરતા હોઇએ છીએ કારણ કે, આપણા હાથની વાત નથી. આપણને જીવન મળ્યું છે અને તે યેનકેન પ્રકારે પણ દરેકનું જીવાય જ જતુ હોય છે. કુદરતનું એવુ જબરદસ્ત પ્લાનિંગ છે કે એ જીવાય જવાની શક્તિ આપણા હાથમાં નથી. તે અદ્રશ્ય અલૌકિક એક દૈવી-શક્તિ છે જે આ બધો દોરીસંચાર કરે છે. આ બધુ સમજવા માટે જ્ઞાનનો પ્રકાશ જોઇએ જે જ્ઞાન તમને તમારા ગુરૂ આપે છે. એક સાચા ગુરૂ આપણુ આ પંચમહાભુતનું બનેલુ શરીર ખરેખર તો એક રજકણથી વિશેષ કશું નથી.
તમે વિચારો.....
આ બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહો, તેમાથી એક પૃથ્વી, તેમાં એશિયા ખંડ, તેમા ભારત દેશ, તેમા એક રાજ્ય, તેનું એક શહેર, તેના એક મકાનમાં રહેતો એક જીવ નામે તમે, બ્રહ્માંડ પરથી જોતા એક નાના ટપકાથી વિશેષ નથી દેખાતા તમે. હજારો – અબજો રજકણો ફેલાયેલી હોય છે આપણા આસપાસના વાતાવરણમાં, તેમાથી જ પાણી, સુર્ય, અગ્નિ, માટી વિ. ભેગી થઇને એક ઝીણી રજકણ વિશેષ આપણુ આ અસ્તિત્વ નથી. છતા કેટલી બધી માયા આ શરીરની. છતા એવું કંઇક તત્વ છે આપણા શરીરમાં જે આપણને જીવંત રાખે છે. આપણા ચેતાતંત્રને, સ્નાયુતંત્રને સજીવ બનાવે છે. તે છે ‘આત્મા’ જે કોઇએ જોયો નથી. તે આપણા ખોળીયાને જીવંતતા બક્ષે છે.
હવે આ આત્મા શું છે ? તેવું પૂછો તો......
પ્રભુ, હા ! આત્મા જ આપણે જેને ભગવાન તરીકે ઓળખીએ છીએ તે તમને મંદિરો, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વાર જેવા ધાર્મિક આલયોમાં દર્શન આપે છે. તેને વિવિધ નામ તથા મુર્તિ સ્વરૂપે તમે જાણો છો. પણ તમે એ નથી જાણતા કે એ તમારી અંદર જ છે. જે તમને દેખાતો નથી. જીવ જ શિવ છે. અને તે દરેકમાં છે. દરેક મનુષ્ય, પશુ – પક્ષી, ઝાડ – પાન દરેક સ-જીવ વસ્તુમાં છે. તમે એનો અહેસાસ પળે પળે કરો છો. પણ ઓળખતા નથી. પ્રભુને જોવા માટે, મળવા માટે યાત્રાઓ કરવી, તિર્થસ્થાનોની મુલાકાતો લેવી, ધાર્મિક પ્રવચનો સાંભળવા એટલું જરૂરી નથી જેટલું તમારે તમારી અંદર, તમારી સામે આવતી દરેક વ્યક્તિની અંદર ઝાંકીને જોવાની જરૂર છે.
તમે તમારી જાતને કષ્ટ આપશો, કોઇ વ્યક્તિને ખરાબ શબ્દો બોલશો, કોઇનું દિલ દુ:ખાવશો કે છળ-કપટ કરશો, વેર ભાવના રાખશો તો તમે તમારા અંદરના જીવ (આત્મા) (પ્રભુ) ને જ દુ:ખ પહોંચાડશો. તેનાથી વિરુધ્ધ તમે હળી-મળીને રહેશો, બીજાના દુ:ખ દર્દ વહેંચી લેશો, દુ:ખીયારાની મદદ કરશો, નિરાધારને સધિયારો આપશો, કોઇની લાગાણી ન દુભાય તેનો ખ્યાલ રાખશો તો પ્રભુ તમારા ઉપર હમેશા પ્રસન્ન જ રહેશે. તમે તેને જળ-દૂધ નહી પીવડાવ્યા હોય તો પણ. અને તમે નહી માનો પણ તમારી મુશ્કેલીઓ આપોઆપ દુર થઇ જશે. તમારા રસ્તામાં આવતા અંતરાયો દુર હડસેલાઇ જશે. અનુભવ કરવા જેવો છે. પછી તો ફક્ત તમે ઇચ્છા માત્ર કરશો કે તમારા કામ તમારી જાણ બહાર વગર પ્રયત્ને આપોઆપ ગોઠવાઇને ફટાફટ થતાં જ જશે.આમા કોઇ જ અતિશયોક્તિ નથી. આ પ્રયોગનું નામ ‘શ્રધ્ધા’ છે. આ ‘શ્રધ્ધા’ પરથી એક વાર્તા યાદ આવે છે.
એકવાર એક ગામના લોકોએ વરસાદ ને રિઝવવા માટે બધાએ ભેગા થઇને પ્રાર્થના કરવાનું નક્કિ કર્યું. તના માટે તેઓ નિશ્ચિત દિવસે ગામના તળાવની પાળે એકઠા થયા, ત્યારે એક બાળક પ્રાર્થના કરવા માટે માથે ખુલ્લી છત્રી ઓઢીને આવ્યો હતો. આ તેની શ્રધ્ધા હતી કે પ્રાર્થના કરવાથી વરસાદ ચોક્કસ જ આવશે જ . તેનો પ્રાર્થનામાં લગીરે અવિશ્વાસ ન હતો. શ્રધ્ધાનું બળ ઘણુ જ પ્રબળ હોય છે. તમે તમારા જીવ રૂપી શિવ સાથે એકવાર સંવાદ સાધી લો છો તો તમારે કહેવાની, પ્રાર્થના કરવાની પણ કદાચ જરૂર ન પડે. અને તમારા કામ ઇચ્છા માત્ર કરવાથી થઇ જાય છે. પ્રયોગ 100% સફળ છે અને કરવા જેવો છે. તમે કહો છો કે અમે પ્રભુને જોયા નથી, અમને સાક્ષાત્કાર થયો નથી પણ પ્રભુ તો અવાર-નવાર તેના હોવાના પુરાવા આપ્યા જ કરે છે. ફક્ત આપણામાં જ તે સમજવાની શક્તિ નથી. મુળ વસ્તુ જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન હોય ત્યાં અજવાળું થવાનું જ છે. આપણા વિદ્વાન ગુરૂઓ અને સંતો આપણા માટે આ અમુલ્ય વારસો છોડીને ગયા જ છે. ફક્ત આપણે તેને ગ્રહણ કરતા અને પચાવતા શીખવાનું છે.
મધર ટેરેસાએ દુ:ખી અને દર્દથી પીડાતા માનવીમાં પ્રભુને જોયા અને તન મન ધનથી સેવા કરીને પ્રભુ પ્રિય બન્યા. તેઓ જ ખરા સંત છે. પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજ કહે છે કે તમો ખુદ એક પ્રેમનું દિવ્ય સ્વરૂપ માત્ર છો. તમારો અણુ એ અણુ પ્રેમની અનુભુતીથી બનેલો છે. તમે ખુદ જ પ્રભુ સ્વરૂપ છો. પ્રેમ આપો, પ્રેમ મેળવો, પ્રેમ કરો ખુદ પોતાની જાતને પ્રેમ કરો, પોતાનામાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખો, તમો ખુદ પ્રભુ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આનંદ સ્વરૂપ અનુભુતી છો. તેનો અહેસાસ કરો, આદર કરો. બીજામાં વિશ્વાસ રાખો, તેનો આદર કરો. હમેશા હાસ્યના ફુલડાઓથી દરેકનું સ્વાગત કરો, ઉત્સવ કરો. પ્રભુ રૂપ એક રૂપ બનીને જીવો. જીવન ખુબસુરત છે. તેને સરળ રીતે વહેવા દો. આપણા હાથમાં કશું જ નથી. આ પૃથ્વી પર જનમ્યા તે પહેલાથી બધુ પ્લાનિંગ ગોઠવાઇ ગયેલું છે. આપણે જ્યોતિષ જોઇને ભવિષ્ય બદલી શકવાના નથી. ફક્ત થોડું જાણી શક્વાના છીએ. જે થવાનું છે તે કોઇપણ રીતે થવાનું જ છે. તેને રોકી શકાય જ નહી. વિધાતાના લેખ લખાઇ ગયેલા છે. આ આખી દુનિયા એક જબરદસ્ત પ્લાનિંગ સાથે જ ચાલી રહી છે. તેમાં કોઇની મીનમેખ ચાલી જ ન શકે. કદાચ સાયન્સની પણ નહી. લોહી બનાવવાનું ગજુ હજી 21 મી સદીમાં પણ વૈજ્ઞાનિકો માટે અશક્ય જ છે.
પ્રાચી વ્યાસ
અમારી વચ્ચે જ્યારે તેઓ વસતા હતા ત્યારે અમને એમના તેજસ્વી જીવનનો ખ્યાલ આવ્યો ન હતો, પણ જ્યારે તેમણે પોતાના મુકામ ઉપાડવો શરૂ કર્યો ત્યારે અમને લાગવા માંડ્યું કે અમારી આસપાસ અંધકાર ફેલાતો જાય છે. દીપકના તેજનું મહત્વ હવે અમને સમજાવા લાગ્યું એમને જાળવી રાખવા માટે અમે દોડાદોડી શરૂ કરી. અમારામાંનો એક બોલી ઉઠ્યો : “હું હમણાં ને હમણાં જોઇએ એટલું રૂ લઇ આવું છું.”
બીજાએ કહ્યું : “હું ઘી લેવા દોડું છું.”
આવી રીતે અમે લોકો ચારે દિશામાં દોડ્યા અને બધી સામગ્રી લઇને આવી પહોંચ્યા. ત્યારે દિપકે મીઠી વાણી ઉચ્ચારતાં કહ્યું :
“મારા તમને છેલ્લા પ્રણામ છે. અંત સમયે તમે જે ભાવના દર્શાવી છે એ માટે આભાર માનું છું. જીવનની આ છેલ્લી પળોમાં તમને એટલું જ કહેવાનું છે કે ખોટા ગભરાટને લીધે તમે એવી દોડાદોડી કરી મૂકો છો કે જે કરવાનું છે તે તમે ભૂલી જાઓ છો. બીજ રોપાયાં નથી અને પાક ઉતારવાની સામગ્રી લાવો છો, દેહ સામે જોતા નથી અને શણગારવાનાં સાધનો ઉભાં કરો છો અને પ્રભુની વાણી સાંભળવાને બદલે મંદિરના ઘંટારવમાં તલ્લીન બની જાઓ છો. પરીણામે તમારી મહેનત પાણીમાં જાય છે.”
આટલું કહીને દિપકે પોતાની જ્યોત સંકેલવા માંડી. અમે એને જલતી રાખવા માટે અમારી સામગ્રીનો ઉપયોગ કરવા માંડ્યો પણ કંઇ શુભ પરિણામ આવ્યું નહીં.
કારણ કોડિયું જ તૂટી ગયું હતું !
-વજુ કોટક
ઉમિયા પરિવારમાંથી
ચીનના લુકાસ પ્રાંતની આ વાત છે. ત્યાં એક એવું કુટુંબ રહેતું હતું કે જે લગાતાર નવ પેઢી સુધી એમની પરિણીત પુત્રીઓ સીવાય એ પરિવારનો એકેય સભ્ય કુટુંબથી છૂટો પડ્યો નહોતો.
આ સુખી સંયુક્ત પરિવારના આવા સુમેળની વાત એક દિવસ ચીનના શહેનશાહ પાસે પહોંચી. એ શહેનશાહે આવડા મોટા કુટુંબનું રહસ્ય જાણવા પોતાના પ્રતિનિધિને એ પરિવારના વડીલ પાસે મોકલ્યો.
પરિવારના એ શાણા વડીલે પોતાના હાથમાં પીછી લઇ એક મોટા કાગળમાં ઘણું ઘણું લખી એનો વીંટો પેલા પ્રતિનિધિને શહેનશાહને આપવા માટે સોંપ્યો.
ચીનના એ શહેનશાહે સંદેશાનો વીંટો ખોલ્યો ત્યારે એમાં એકનો એક શબ્દ અનેક વાર લખેલો હતો અને એ શબ્દ હતો:
ધીરજ....
ચીનની ઓર એક વાત. ત્યાં થતા એક પ્રકારના વાંસને ચાર વર્ષ સુધી ખાતર-પાણી આપવા છતાં કશું જ નીપજતું નથી. જો કે એ પછી પાંચમાં વર્ષે માત્ર છ અઠવાડિયામાં જ એનો નેવું ફૂટ જેટલો વિકાસ થાય છે. સવાલ એ છે કે આ વાંસનું વૃક્ષ છ અઠવાડિયામાં ઉગ્યું કે એના મૂળીયાંએ જમીનમાં ફેલાવા માટે જે પાંચ વર્ષ લીધાં એનું પરિણામ હતું ? પાંચ વર્ષ સુધી ખાતર- પાણી આપ્યા ન હોત તો વૃક્ષ નષ્ટ થઇ જાત, બીજા શબ્દોમાં કહો તો વિકાસ માટે ધીરજ ધરવી જરૂરી છે.
હિમાલયનું આરોહણ કરનારા કદી પહેલી જ વારમાં માઉન્ટ એવરેસ્ટ ચડી શક્તા નથી. બે- ચાર વાર નિષ્ફળ થવા છતાં એ પોતાના ધ્યેયને ધીરજપૂર્વક વળગી રહ્યા ત્યારે જ આવી અપ્રતિમ સિદ્ધિ પામી શક્યા છે.
ધીરજ એટલે મુલતવીપણું નહીં, ગણતરીપૂર્વક પોતાની ગતી ચાલુ રાખવાનું નામ ધીરજ. સસલું અને કાચબાની પ્રખ્યાત વાર્તામાં સસલું નિરંતર કામને ઠેલ્યા કરનારાઓનું પ્રતીક છે, જ્યારે કાચબો ધીરજપૂર્વક પણ મક્કમ ગતીએ પોતાની મંજિલ ભણી આગળ ધપીને ધ્યેય સિદ્ધ કરનારા લોકોનું પ્રતીક છે.
ચિત્રલેખા માંથી
એકકાળે રાધનપુર વિસ્તાર દુકાળના ઓછાયા નીચે હતો અને પૂરું અનાજ મળતું ન હતું ત્યારે જનસાધારણને દર અઠવાડિયે મફત ગોળ આપવામાં આવતો.
પંચાસર ગામમાં ધૂળી નામની કોળી બાઇ સાધારણ સ્થિતિની હોવા છતા, તે બાઇ કોઇ દિવસ મફત ગોળ ન લેતી. પણ તેનાથી સારી સ્થિતિના લોકો મફતમાં ગોળ લઇ જતાં.
થોડા સમય પહેલાં આ બાઇનો પતિ મરી ગયો અને દીકરો પણ મરી ગયો. તેની જમીન ખેડનારું કોઇ રહ્યું નહીં. તેથી તેણે બળદ વેચી નાખ્યો. તેના જે પૈસા આવ્યા તે એક ગૃહસ્થને આપી કહ્યું કે, ‘મરનારનું ભલું થાય તેવા કામમાં રૂપિયા વાપરજો’.
પેલા ગૃહસ્થે ગામમાં કૂવો ખોદાવ્યો. ત્યાં ભાગ્યે જ મીઠું પાણી નીકળતું પણ પ્રભુકૃપાએ આ કૂવામાં મીઠું પાણી નીકળ્યું.
તેણે જમીન વેચી જે પૈસા આવ્યા તે કૂતરાને રોટલા ખાવા તથા પરબડીમાં આપી દીધા. થોડા રૂપિયા બચ્યા તેમાંથી ગામમાં રામજી મંદિરમાં ભગવાનને માટે ચાંદીનો મુગટ કરાવ્યો અને ગામમા એક પરબ પણ મંડાવી.
રવિશંકર મહારાજને એ બાઇને મળવાનું થયું ત્યારે તેમણે બાઇને પૂછ્યું, “બેન તમે બળદ કેમ વેચી નાખ્યા !”
“મા’રાજ એ તો એમના (બાઇના ધણીના) હતા ને-તે મારાથી કેમ લેવાય ?”
“પણ જમીન તો દીકરીને આલવી’તીને”. મા’રાજે કહ્યું, “દીકરીને શું કામ આપું ? એ એનું નસીબ લઇને નથી આવી ?”
ધૂળીના શબ્દે શબ્દે તેજ ટપકતું હતું.
મા’રાજે આગળ પૂછ્યું, “પણ બેન તમે ગોળ કેમ નથી લેતા ?”
“મા’રાજ બધી મિલ્કત ધર્માદા કરી દીધી. તો હવે મારાથી ધર્માદાનું શી રીતે લેવાય ?”
“પણ ચણા લો છો ?” “હા, ચણા વેચાતા મળે છે તેથી બે આનાના લઉં છું” “પણ ગોળ લેતા હો તો ?” “ગોળ વેચાતો મળતો નથી. તે તો મફતમાં અપાય છે તેથી મારાથી તે શી રીતે લેવાય ? પણ તે વેચાતો મળશે તો લઇશ.”
બાઇની તેજસ્વી વાણી સાંભળી મહારાજને આશ્ચર્ય થયું કે આ પછાત કોમની અભણ શ્રમજીવી બાઇમાં આ સમર્પણની ભાવના અને ઓજ ક્યાંથી પ્રગટ્યું ?
પોતાની જાતને ઉચ્ચ ગણાવતા અને શિક્ષિત ખાનદાની, સંસ્કારી સમજતાં રાષ્ટ્રનું નેતૃત્વ સંભાળનારા, સાંસદો, ધારાસભ્યો, પ્રધાનો, મંત્રીઓ-બધાને પૂછવાનું મન થાય કે તમારામાં-આપણામાં બધામાં આવું મફતનું ન લેવાનું ઓજ છે ખરું ? તો શા ને આપણે પોતાની જાતને ઉંચ વર્ણના-સંસ્કારી અને શિક્ષિત ગણાવીએ છીએ ? નથી લાગતું કે આ ધૂળી પાસેથી આપણે બધાએ પ્રેરણા લેવા જેવું છે ? જો તેની પાસેથી બધા પ્રેરણા લે તો રાષ્ટ્રની જે બરબાદી થઇ છે તમાંથી નિશ્ચિતરૂપે રાષ્ટ્ર બહાર નીકળશે.
રવિશંકર મહારાજ માટે એક સમસ્યા હતી કે આ બાઇને આવી પ્રેરણા ક્યાંથી મળી ? અને તેનો જવાબ તેમણે મેળવ્યો. બાઇને પોતાની મહેનતમાંથી – મારા પસીનાની કમાણીનું જ હું ખાઇશ – મફતનું હું લઇશ નહીં એ ભાવનાથી આ પ્રેરણા મળી હશે. તેનું જે ઓજ હતું તે તેના શરીર શ્રમમાંથી, જીવવાની નિષ્ઠામાંથી નિર્માણ થયું હતું.
-પરમાનંદ ગાંધી
સરગમ 15 માંથી
Tuesday, February 9, 2010
પડેલા એ તમાચાની ગુંજનો નાદ છે આ મોદી,
”ઘાયલ” એ પીડા એ કળતર નો સાદ છે આ મોદી,
પંજાના એ ખેલનો મહારથી છે આ મોદી,
મેળવે તો મહેફિલ, વિફરે તો પ્રતિસાદ છે આ મોદી,
છાતી ફૂલે છે ગદગદ સોણેલી આ માઁ ભોમની,
જય જય ગરવી ગુજરાત તણો આ નાદ છે આ મોદી,
જાંબાઝ છે એ વિપરીત દશાઓને હાંક દે,
તેથી તો લોક લાગણીઓ સંગાથ છે આ મોદી,
બિડું ઉઠાવી જંપે જઇ પહોંચે એ શિખર પર,
કસબીઓનો એ કસબી ને કસદાર છે આ મોદી,
ફૂંકે તો સાત સુરોનો સંગમ છે વાંસળી સમ,
ફૂકાય તો વાવંટોળનો આગાઝ છે આ મોદી,
તેજોલય થી લિપ્ત છે એ નરેન્દ્ર છે આ મોદી,
પ્રખર છે એનું તેજ ને તોખાર છે આ મોદી,
સહકાર છે, વહેવાર છે, તહેવાર છે આ મોદી,
ગુજરાતની અસ્મિતાનો રખેવાળ છે આ મોદી,
ઉગતા આ સૂરજને સર્વે, નતમસ્તક થઇ વધાવો,
ભારતના સુવર્ણ ભવિષ્યનો સરતાજ છે આ મોદી.
અમિત પંડ્યા "ઘાયલ બિજો"
અમિત પંડ્યાની બીજી રચના વાંચવા સબરસ ગુજરાતી ની મુલાકાત લો.
કહે છે હવે શરૂ થશે પ્રલય
કહુ છું હુ અત્યારે જ શરૂ છે પ્રલય
માતાઓમા નથી રહી માતૄત્વની ભાવના
બાળકોમા નથી રહી આદરની ભાવના
બની છે એકલા રહેવાની ભાવના
ઘર કરી ગયી છે તરછોડવાની ભાવના
શું આને નહી કહો પ્રલય ?
નથી કોઇ મર્યાદા છોકરાઓ કે છોકરીઓમા
છાશવારે લુટાય છે શીલો નામે પ્રેમમા
પહેરી એવા તે પહેરવેશ હોમે છે ઘી હોમમા
રહી નથી કોઇ આમન્યા હવે નામે તરક્કીમા
શુ આને નહી કહો પ્રલય ?
સમાજનુ થતુ જાય છે બિભત્સ સ્વરૂપ આજે
બની રહી છે વર્ણશંકર પ્રજા સમાજમા આજે
ધર્મના નામે લુટાય રહી છે પ્રજા બધે આજે
મુખમા રામ બગલમા છુરી છે બધામા આજે
શું આને નહી કહો પ્રલય ?
હીમાલય ઓગળે છે જંગલો કપાય છે
ભુકંપો આવે છે સુનામી આઇલા પણ આવે છે
કોઇપણ પ્રકારે સંહાર માનવી નો જ થાય છે
પતન ભૌતીક, સામાજીક, આર્થીક, માનસીક, થાય છે
શું આને નહી કહો પ્રલય ?
આ જ છે ને પ્રલય
તો શરૂ જ છે ને પ્રલય......?
(આ રચના સબરસ હરિફાઇમા સામેલ હતી વધુ રચના માટે સબરસ ગુજરાતી ની મુલાકાત લો)
નીશીત જોશી
Sunday, January 31, 2010
કવિતા/ ગઝલ વિભાગની પ્રથમ બે રચનાઃ
૧) પ્રતીક્ષા તમારી હવાને મળી ગઇ...... કાંતિ વાછાણી
૨) મ્હેકતુ ગુજરાત.......... રમેશ પટેલ
વાર્તા વિભાગની એક રચના ને અમારી પેનલ દ્વારા સ્વિકારવામાં આવી છે.
૧) ગાંડી..... નંદકિશોર વૈષ્ણવ
આપ સૌને અમારા અભિનંદન.....
આવેલ તમામ યોગ્ય રચનાઓને સબરસ ગુજરાતી પર સત્વરે પ્રકાશિત કરીશું.
Tuesday, January 26, 2010
શિંગોળાની ખાંડવી
સામગ્રી :
400 ગ્રામ શિંગોળાનો લોટ,
ત્રણ વાટકી છાશ,
દોઢ વાટકી કોપરાનું ખમણ,
મીઠું પ્રમાણસર,
રાઇ 1 ચમચી,
હિંગ ચપટી,
વાટેલા આદુ મરચા 1 ચમચી,
જીરુ 1 ચમચી,
1 ઝુડી કોથમીર.
રીત :
એક જાડા તપેલામાં શિંગોળાનો લોટ લેવો. તેમા છાશ અને મીઠું નાખીને ખીરુ બનાવીને તેને ગરમ કરવા મુકવું. ખીરાને સતત હલાવતા રહેવું. લોટ બફાઇ જાય અને લચકા પડતો થાય તથા તપેલાની કીનારી છોડે ત્યારે તેમાં આદુ મરચા નાખવા, પછી તેને પાટલા ઉપર કે થાળીમાં તેલ લગાવીને સપાટ પાથરી દેવું પછી કાપા પાડીને તેના રોલ બનાવી લેવા. ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરા અને લીમડાનો વઘાર કરીને ખાંડવી ઉપર રેડવું. પછી તેના પર સમારેલી કોથમીર તથા કોપરાનું ખમણ ભભરાવવું. ગરમા-ગરમ પીરસવી.
પ્રાચી વ્યાસ
Tuesday, January 19, 2010
આકાશ મંડળને ૧૨ ભાગમાં વહેચવામાં આવ્યું છે. આ ૧૨ ભાગને આપણે રાશિ તરીકે પણ ઓળખીએ છીએ. આકાશ મંડળના ૧૨ ભાગ કરતાં પ્રત્યેક ભાગ ૩૦ અંશનો બનશે, કેમ કે ૩૬૦ અંશનો આકાશનો ગોળો કલ્પો તો તેના ૧૨ ભાગ બનાવતાં પ્રત્યેક ભાગ ૩૦ અંશનો બનશે. આમ દરેક રાશિ ૩૦ અંશની બની એ યાદ રાખો.આવો આપણે આ રાશિઓને નામથી ઓળખીએ. દરેક રાશિનો જ્યોતિષશાસ્ત્રમાં નિયત ક્રમ છે અને આ રાશિ આગળ ઉપર પોતાના ક્રમથી (નંબરથી) ઓળખાશે એ પણ યાદ રાખો. જેમ કે મેષ રાશિનો ક્રમ ૧ છે તો જ્યારે પણ કુંડળીમાં ૧ લખેલો હોય ત્યારે ત્યાં મેષ રાશિ હશે એમ માનવું. હવે આગળ રાશિ તથા તેનો ક્રમ જોઈએ.
ક્રમ ...........રાશિ
૧ ............. મેષ
૨ ............. વૃષભ
૩ ............. મિથુન
૪ ............ કર્ક
૫ ............ સિંહ
૬ ............. કન્યા
૭ ............. તુલા
૮ ............. વૃસ્ચિક
૯ ............. ધનુ
૧૦............. મકર
૧૧............. કુંભ
૧૨............. મિન
ગિરીશ જોશી
નોંધ:
જ્યોતિષ વિશે વધુ વાંચવા માટે અમારી સાઇટ સબરસ ગુજરાતી ની મુલાકાત લો.
Monday, January 11, 2010
કાલે મોરબીમાં પાટીદાર સમાજનું સ્નેહમિલન હતું તેમાં ભાણદેવજીએ સાત સંકલ્પ લેવડાવ્યા તેને હું અહિંયા રજુ કરું છુ. જે આપણા સમાજ માટે ઘણા ઉપયોગી છે.
અમે અમારા પરિવાર દિઠ દર વર્ષે એક વૃક્ષ ઉછેરશું.
પાણી અને વીજળી નો ઉપયોગ કરકસરથી કરીશું.
અમે જરૂરીયાત મંદની તન મન અને ધનથી યથાશક્તિ મદદ કરીશું.
અમે ભૃણ હત્યા કરીશું નહી અને થતી હશે તેને અટકાવીશું.
અમે દિકરા-દિકરી ને સમાન ગણી પુર્ણ કેળવણી આપીશું.
અમે અમારી આજુબાજુનાં વિસ્તારોને સ્વચ્છ રાખી, સ્વચ્છતાનાં આગ્રહી બનીશું.
અમે વ્યસન મુક્ત થશું અને વ્યસન મુક્ત સમાજની રચના કરીશું.
અશોક કૈલા