સોહમ
Thursday, February 11, 2010
મિત્રો, ‘સોહમ’ દ્વારા હું તમારી સમક્ષ આવી રહી છું. આશા છે કે સોહમ સાથે મને પણ સ્વીકારશો. આપણા જીવનની વાતો એકદમ સરળ ભાષામાં જ્ઞાન અને માહિતી સાથે તમારી સાથે વહેંચવા આવી છું. જીવન હમેશા આપણા બધા માટે કોયડા સમાન રહ્યું છે. તેને જાણવાની કોશિશ કરીશું. આપણે શાંતિ અને હાશકારો આપણા તન-મનને તરબતર કરી શકે તેવી જ વાતો આપણે કરીશું.
ઘણીવાર આપણા મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા કરે છે કે આપણે શું છીએ ? શેના બન્યા છીએ ? આપણુ અસ્તિત્વ કેટલુ છે ? શું કરવા આ પૃથ્વી પર આવ્યા છીએ ? ક્યાં સુધી રહેશું ? પછી ક્યાં જશું ? આ માયા શું છે ? સબંધોના શા માટે ? જ્ઞાનની પ્રાપ્તિ એટલે શું ? પ્રભુ કોણ છે ? શા માટે છે ? તે હમેશા કૃપાળુ જ શા માટે હોય છે ? ભુતાવળ શું છે ? પરલોક ક્યાં આવ્યું ? સ્વર્ગ-નર્કમાં શું હોય ? તેનો અનુભવ કેવો હોય ? આવા આવા અનંત પ્રશ્નોની હારમાળા ક્યારેક આપણા દિલો – દિમાગમાં છવાઇ જતી હોય છે. છતા આપણે તો જીવ્યા જ કરતા હોઇએ છીએ કારણ કે, આપણા હાથની વાત નથી. આપણને જીવન મળ્યું છે અને તે યેનકેન પ્રકારે પણ દરેકનું જીવાય જ જતુ હોય છે. કુદરતનું એવુ જબરદસ્ત પ્લાનિંગ છે કે એ જીવાય જવાની શક્તિ આપણા હાથમાં નથી. તે અદ્રશ્ય અલૌકિક એક દૈવી-શક્તિ છે જે આ બધો દોરીસંચાર કરે છે. આ બધુ સમજવા માટે જ્ઞાનનો પ્રકાશ જોઇએ જે જ્ઞાન તમને તમારા ગુરૂ આપે છે. એક સાચા ગુરૂ આપણુ આ પંચમહાભુતનું બનેલુ શરીર ખરેખર તો એક રજકણથી વિશેષ કશું નથી.
તમે વિચારો.....
આ બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહો, તેમાથી એક પૃથ્વી, તેમાં એશિયા ખંડ, તેમા ભારત દેશ, તેમા એક રાજ્ય, તેનું એક શહેર, તેના એક મકાનમાં રહેતો એક જીવ નામે તમે, બ્રહ્માંડ પરથી જોતા એક નાના ટપકાથી વિશેષ નથી દેખાતા તમે. હજારો – અબજો રજકણો ફેલાયેલી હોય છે આપણા આસપાસના વાતાવરણમાં, તેમાથી જ પાણી, સુર્ય, અગ્નિ, માટી વિ. ભેગી થઇને એક ઝીણી રજકણ વિશેષ આપણુ આ અસ્તિત્વ નથી. છતા કેટલી બધી માયા આ શરીરની. છતા એવું કંઇક તત્વ છે આપણા શરીરમાં જે આપણને જીવંત રાખે છે. આપણા ચેતાતંત્રને, સ્નાયુતંત્રને સજીવ બનાવે છે. તે છે ‘આત્મા’ જે કોઇએ જોયો નથી. તે આપણા ખોળીયાને જીવંતતા બક્ષે છે.
હવે આ આત્મા શું છે ? તેવું પૂછો તો......
પ્રભુ, હા ! આત્મા જ આપણે જેને ભગવાન તરીકે ઓળખીએ છીએ તે તમને મંદિરો, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વાર જેવા ધાર્મિક આલયોમાં દર્શન આપે છે. તેને વિવિધ નામ તથા મુર્તિ સ્વરૂપે તમે જાણો છો. પણ તમે એ નથી જાણતા કે એ તમારી અંદર જ છે. જે તમને દેખાતો નથી. જીવ જ શિવ છે. અને તે દરેકમાં છે. દરેક મનુષ્ય, પશુ – પક્ષી, ઝાડ – પાન દરેક સ-જીવ વસ્તુમાં છે. તમે એનો અહેસાસ પળે પળે કરો છો. પણ ઓળખતા નથી. પ્રભુને જોવા માટે, મળવા માટે યાત્રાઓ કરવી, તિર્થસ્થાનોની મુલાકાતો લેવી, ધાર્મિક પ્રવચનો સાંભળવા એટલું જરૂરી નથી જેટલું તમારે તમારી અંદર, તમારી સામે આવતી દરેક વ્યક્તિની અંદર ઝાંકીને જોવાની જરૂર છે.
તમે તમારી જાતને કષ્ટ આપશો, કોઇ વ્યક્તિને ખરાબ શબ્દો બોલશો, કોઇનું દિલ દુ:ખાવશો કે છળ-કપટ કરશો, વેર ભાવના રાખશો તો તમે તમારા અંદરના જીવ (આત્મા) (પ્રભુ) ને જ દુ:ખ પહોંચાડશો. તેનાથી વિરુધ્ધ તમે હળી-મળીને રહેશો, બીજાના દુ:ખ દર્દ વહેંચી લેશો, દુ:ખીયારાની મદદ કરશો, નિરાધારને સધિયારો આપશો, કોઇની લાગાણી ન દુભાય તેનો ખ્યાલ રાખશો તો પ્રભુ તમારા ઉપર હમેશા પ્રસન્ન જ રહેશે. તમે તેને જળ-દૂધ નહી પીવડાવ્યા હોય તો પણ. અને તમે નહી માનો પણ તમારી મુશ્કેલીઓ આપોઆપ દુર થઇ જશે. તમારા રસ્તામાં આવતા અંતરાયો દુર હડસેલાઇ જશે. અનુભવ કરવા જેવો છે. પછી તો ફક્ત તમે ઇચ્છા માત્ર કરશો કે તમારા કામ તમારી જાણ બહાર વગર પ્રયત્ને આપોઆપ ગોઠવાઇને ફટાફટ થતાં જ જશે.આમા કોઇ જ અતિશયોક્તિ નથી. આ પ્રયોગનું નામ ‘શ્રધ્ધા’ છે. આ ‘શ્રધ્ધા’ પરથી એક વાર્તા યાદ આવે છે.
એકવાર એક ગામના લોકોએ વરસાદ ને રિઝવવા માટે બધાએ ભેગા થઇને પ્રાર્થના કરવાનું નક્કિ કર્યું. તના માટે તેઓ નિશ્ચિત દિવસે ગામના તળાવની પાળે એકઠા થયા, ત્યારે એક બાળક પ્રાર્થના કરવા માટે માથે ખુલ્લી છત્રી ઓઢીને આવ્યો હતો. આ તેની શ્રધ્ધા હતી કે પ્રાર્થના કરવાથી વરસાદ ચોક્કસ જ આવશે જ . તેનો પ્રાર્થનામાં લગીરે અવિશ્વાસ ન હતો. શ્રધ્ધાનું બળ ઘણુ જ પ્રબળ હોય છે. તમે તમારા જીવ રૂપી શિવ સાથે એકવાર સંવાદ સાધી લો છો તો તમારે કહેવાની, પ્રાર્થના કરવાની પણ કદાચ જરૂર ન પડે. અને તમારા કામ ઇચ્છા માત્ર કરવાથી થઇ જાય છે. પ્રયોગ 100% સફળ છે અને કરવા જેવો છે. તમે કહો છો કે અમે પ્રભુને જોયા નથી, અમને સાક્ષાત્કાર થયો નથી પણ પ્રભુ તો અવાર-નવાર તેના હોવાના પુરાવા આપ્યા જ કરે છે. ફક્ત આપણામાં જ તે સમજવાની શક્તિ નથી. મુળ વસ્તુ જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન હોય ત્યાં અજવાળું થવાનું જ છે. આપણા વિદ્વાન ગુરૂઓ અને સંતો આપણા માટે આ અમુલ્ય વારસો છોડીને ગયા જ છે. ફક્ત આપણે તેને ગ્રહણ કરતા અને પચાવતા શીખવાનું છે.
મધર ટેરેસાએ દુ:ખી અને દર્દથી પીડાતા માનવીમાં પ્રભુને જોયા અને તન મન ધનથી સેવા કરીને પ્રભુ પ્રિય બન્યા. તેઓ જ ખરા સંત છે. પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજ કહે છે કે તમો ખુદ એક પ્રેમનું દિવ્ય સ્વરૂપ માત્ર છો. તમારો અણુ એ અણુ પ્રેમની અનુભુતીથી બનેલો છે. તમે ખુદ જ પ્રભુ સ્વરૂપ છો. પ્રેમ આપો, પ્રેમ મેળવો, પ્રેમ કરો ખુદ પોતાની જાતને પ્રેમ કરો, પોતાનામાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખો, તમો ખુદ પ્રભુ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આનંદ સ્વરૂપ અનુભુતી છો. તેનો અહેસાસ કરો, આદર કરો. બીજામાં વિશ્વાસ રાખો, તેનો આદર કરો. હમેશા હાસ્યના ફુલડાઓથી દરેકનું સ્વાગત કરો, ઉત્સવ કરો. પ્રભુ રૂપ એક રૂપ બનીને જીવો. જીવન ખુબસુરત છે. તેને સરળ રીતે વહેવા દો. આપણા હાથમાં કશું જ નથી. આ પૃથ્વી પર જનમ્યા તે પહેલાથી બધુ પ્લાનિંગ ગોઠવાઇ ગયેલું છે. આપણે જ્યોતિષ જોઇને ભવિષ્ય બદલી શકવાના નથી. ફક્ત થોડું જાણી શક્વાના છીએ. જે થવાનું છે તે કોઇપણ રીતે થવાનું જ છે. તેને રોકી શકાય જ નહી. વિધાતાના લેખ લખાઇ ગયેલા છે. આ આખી દુનિયા એક જબરદસ્ત પ્લાનિંગ સાથે જ ચાલી રહી છે. તેમાં કોઇની મીનમેખ ચાલી જ ન શકે. કદાચ સાયન્સની પણ નહી. લોહી બનાવવાનું ગજુ હજી 21 મી સદીમાં પણ વૈજ્ઞાનિકો માટે અશક્ય જ છે.
ઘણીવાર આપણા મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા કરે છે કે આપણે શું છીએ ? શેના બન્યા છીએ ? આપણુ અસ્તિત્વ કેટલુ છે ? શું કરવા આ પૃથ્વી પર આવ્યા છીએ ? ક્યાં સુધી રહેશું ? પછી ક્યાં જશું ? આ માયા શું છે ? સબંધોના શા માટે ? જ્ઞાનની પ્રાપ્તિ એટલે શું ? પ્રભુ કોણ છે ? શા માટે છે ? તે હમેશા કૃપાળુ જ શા માટે હોય છે ? ભુતાવળ શું છે ? પરલોક ક્યાં આવ્યું ? સ્વર્ગ-નર્કમાં શું હોય ? તેનો અનુભવ કેવો હોય ? આવા આવા અનંત પ્રશ્નોની હારમાળા ક્યારેક આપણા દિલો – દિમાગમાં છવાઇ જતી હોય છે. છતા આપણે તો જીવ્યા જ કરતા હોઇએ છીએ કારણ કે, આપણા હાથની વાત નથી. આપણને જીવન મળ્યું છે અને તે યેનકેન પ્રકારે પણ દરેકનું જીવાય જ જતુ હોય છે. કુદરતનું એવુ જબરદસ્ત પ્લાનિંગ છે કે એ જીવાય જવાની શક્તિ આપણા હાથમાં નથી. તે અદ્રશ્ય અલૌકિક એક દૈવી-શક્તિ છે જે આ બધો દોરીસંચાર કરે છે. આ બધુ સમજવા માટે જ્ઞાનનો પ્રકાશ જોઇએ જે જ્ઞાન તમને તમારા ગુરૂ આપે છે. એક સાચા ગુરૂ આપણુ આ પંચમહાભુતનું બનેલુ શરીર ખરેખર તો એક રજકણથી વિશેષ કશું નથી.
તમે વિચારો.....
આ બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહો, તેમાથી એક પૃથ્વી, તેમાં એશિયા ખંડ, તેમા ભારત દેશ, તેમા એક રાજ્ય, તેનું એક શહેર, તેના એક મકાનમાં રહેતો એક જીવ નામે તમે, બ્રહ્માંડ પરથી જોતા એક નાના ટપકાથી વિશેષ નથી દેખાતા તમે. હજારો – અબજો રજકણો ફેલાયેલી હોય છે આપણા આસપાસના વાતાવરણમાં, તેમાથી જ પાણી, સુર્ય, અગ્નિ, માટી વિ. ભેગી થઇને એક ઝીણી રજકણ વિશેષ આપણુ આ અસ્તિત્વ નથી. છતા કેટલી બધી માયા આ શરીરની. છતા એવું કંઇક તત્વ છે આપણા શરીરમાં જે આપણને જીવંત રાખે છે. આપણા ચેતાતંત્રને, સ્નાયુતંત્રને સજીવ બનાવે છે. તે છે ‘આત્મા’ જે કોઇએ જોયો નથી. તે આપણા ખોળીયાને જીવંતતા બક્ષે છે.
હવે આ આત્મા શું છે ? તેવું પૂછો તો......
પ્રભુ, હા ! આત્મા જ આપણે જેને ભગવાન તરીકે ઓળખીએ છીએ તે તમને મંદિરો, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વાર જેવા ધાર્મિક આલયોમાં દર્શન આપે છે. તેને વિવિધ નામ તથા મુર્તિ સ્વરૂપે તમે જાણો છો. પણ તમે એ નથી જાણતા કે એ તમારી અંદર જ છે. જે તમને દેખાતો નથી. જીવ જ શિવ છે. અને તે દરેકમાં છે. દરેક મનુષ્ય, પશુ – પક્ષી, ઝાડ – પાન દરેક સ-જીવ વસ્તુમાં છે. તમે એનો અહેસાસ પળે પળે કરો છો. પણ ઓળખતા નથી. પ્રભુને જોવા માટે, મળવા માટે યાત્રાઓ કરવી, તિર્થસ્થાનોની મુલાકાતો લેવી, ધાર્મિક પ્રવચનો સાંભળવા એટલું જરૂરી નથી જેટલું તમારે તમારી અંદર, તમારી સામે આવતી દરેક વ્યક્તિની અંદર ઝાંકીને જોવાની જરૂર છે.
તમે તમારી જાતને કષ્ટ આપશો, કોઇ વ્યક્તિને ખરાબ શબ્દો બોલશો, કોઇનું દિલ દુ:ખાવશો કે છળ-કપટ કરશો, વેર ભાવના રાખશો તો તમે તમારા અંદરના જીવ (આત્મા) (પ્રભુ) ને જ દુ:ખ પહોંચાડશો. તેનાથી વિરુધ્ધ તમે હળી-મળીને રહેશો, બીજાના દુ:ખ દર્દ વહેંચી લેશો, દુ:ખીયારાની મદદ કરશો, નિરાધારને સધિયારો આપશો, કોઇની લાગાણી ન દુભાય તેનો ખ્યાલ રાખશો તો પ્રભુ તમારા ઉપર હમેશા પ્રસન્ન જ રહેશે. તમે તેને જળ-દૂધ નહી પીવડાવ્યા હોય તો પણ. અને તમે નહી માનો પણ તમારી મુશ્કેલીઓ આપોઆપ દુર થઇ જશે. તમારા રસ્તામાં આવતા અંતરાયો દુર હડસેલાઇ જશે. અનુભવ કરવા જેવો છે. પછી તો ફક્ત તમે ઇચ્છા માત્ર કરશો કે તમારા કામ તમારી જાણ બહાર વગર પ્રયત્ને આપોઆપ ગોઠવાઇને ફટાફટ થતાં જ જશે.આમા કોઇ જ અતિશયોક્તિ નથી. આ પ્રયોગનું નામ ‘શ્રધ્ધા’ છે. આ ‘શ્રધ્ધા’ પરથી એક વાર્તા યાદ આવે છે.
એકવાર એક ગામના લોકોએ વરસાદ ને રિઝવવા માટે બધાએ ભેગા થઇને પ્રાર્થના કરવાનું નક્કિ કર્યું. તના માટે તેઓ નિશ્ચિત દિવસે ગામના તળાવની પાળે એકઠા થયા, ત્યારે એક બાળક પ્રાર્થના કરવા માટે માથે ખુલ્લી છત્રી ઓઢીને આવ્યો હતો. આ તેની શ્રધ્ધા હતી કે પ્રાર્થના કરવાથી વરસાદ ચોક્કસ જ આવશે જ . તેનો પ્રાર્થનામાં લગીરે અવિશ્વાસ ન હતો. શ્રધ્ધાનું બળ ઘણુ જ પ્રબળ હોય છે. તમે તમારા જીવ રૂપી શિવ સાથે એકવાર સંવાદ સાધી લો છો તો તમારે કહેવાની, પ્રાર્થના કરવાની પણ કદાચ જરૂર ન પડે. અને તમારા કામ ઇચ્છા માત્ર કરવાથી થઇ જાય છે. પ્રયોગ 100% સફળ છે અને કરવા જેવો છે. તમે કહો છો કે અમે પ્રભુને જોયા નથી, અમને સાક્ષાત્કાર થયો નથી પણ પ્રભુ તો અવાર-નવાર તેના હોવાના પુરાવા આપ્યા જ કરે છે. ફક્ત આપણામાં જ તે સમજવાની શક્તિ નથી. મુળ વસ્તુ જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન હોય ત્યાં અજવાળું થવાનું જ છે. આપણા વિદ્વાન ગુરૂઓ અને સંતો આપણા માટે આ અમુલ્ય વારસો છોડીને ગયા જ છે. ફક્ત આપણે તેને ગ્રહણ કરતા અને પચાવતા શીખવાનું છે.
મધર ટેરેસાએ દુ:ખી અને દર્દથી પીડાતા માનવીમાં પ્રભુને જોયા અને તન મન ધનથી સેવા કરીને પ્રભુ પ્રિય બન્યા. તેઓ જ ખરા સંત છે. પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજ કહે છે કે તમો ખુદ એક પ્રેમનું દિવ્ય સ્વરૂપ માત્ર છો. તમારો અણુ એ અણુ પ્રેમની અનુભુતીથી બનેલો છે. તમે ખુદ જ પ્રભુ સ્વરૂપ છો. પ્રેમ આપો, પ્રેમ મેળવો, પ્રેમ કરો ખુદ પોતાની જાતને પ્રેમ કરો, પોતાનામાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખો, તમો ખુદ પ્રભુ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આનંદ સ્વરૂપ અનુભુતી છો. તેનો અહેસાસ કરો, આદર કરો. બીજામાં વિશ્વાસ રાખો, તેનો આદર કરો. હમેશા હાસ્યના ફુલડાઓથી દરેકનું સ્વાગત કરો, ઉત્સવ કરો. પ્રભુ રૂપ એક રૂપ બનીને જીવો. જીવન ખુબસુરત છે. તેને સરળ રીતે વહેવા દો. આપણા હાથમાં કશું જ નથી. આ પૃથ્વી પર જનમ્યા તે પહેલાથી બધુ પ્લાનિંગ ગોઠવાઇ ગયેલું છે. આપણે જ્યોતિષ જોઇને ભવિષ્ય બદલી શકવાના નથી. ફક્ત થોડું જાણી શક્વાના છીએ. જે થવાનું છે તે કોઇપણ રીતે થવાનું જ છે. તેને રોકી શકાય જ નહી. વિધાતાના લેખ લખાઇ ગયેલા છે. આ આખી દુનિયા એક જબરદસ્ત પ્લાનિંગ સાથે જ ચાલી રહી છે. તેમાં કોઇની મીનમેખ ચાલી જ ન શકે. કદાચ સાયન્સની પણ નહી. લોહી બનાવવાનું ગજુ હજી 21 મી સદીમાં પણ વૈજ્ઞાનિકો માટે અશક્ય જ છે.
પ્રાચી વ્યાસ
1 comments
Anonymous
said...
સરસ લેખ.વૈજ્ઞાનિકો ગમે એટલા આગળ વધે પણ કુદરત આગળ સૌ આગળ છે
www.navalikabysoham.co.cc
-સોહમ રાવલ
Subscribe to:
Post Comments (Atom)