કાશ ! સહુમાં આવું ઓજ પ્રગટે
Thursday, February 11, 2010
એકકાળે રાધનપુર વિસ્તાર દુકાળના ઓછાયા નીચે હતો અને પૂરું અનાજ મળતું ન હતું ત્યારે જનસાધારણને દર અઠવાડિયે મફત ગોળ આપવામાં આવતો.
પંચાસર ગામમાં ધૂળી નામની કોળી બાઇ સાધારણ સ્થિતિની હોવા છતા, તે બાઇ કોઇ દિવસ મફત ગોળ ન લેતી. પણ તેનાથી સારી સ્થિતિના લોકો મફતમાં ગોળ લઇ જતાં.
થોડા સમય પહેલાં આ બાઇનો પતિ મરી ગયો અને દીકરો પણ મરી ગયો. તેની જમીન ખેડનારું કોઇ રહ્યું નહીં. તેથી તેણે બળદ વેચી નાખ્યો. તેના જે પૈસા આવ્યા તે એક ગૃહસ્થને આપી કહ્યું કે, ‘મરનારનું ભલું થાય તેવા કામમાં રૂપિયા વાપરજો’.
પેલા ગૃહસ્થે ગામમાં કૂવો ખોદાવ્યો. ત્યાં ભાગ્યે જ મીઠું પાણી નીકળતું પણ પ્રભુકૃપાએ આ કૂવામાં મીઠું પાણી નીકળ્યું.
તેણે જમીન વેચી જે પૈસા આવ્યા તે કૂતરાને રોટલા ખાવા તથા પરબડીમાં આપી દીધા. થોડા રૂપિયા બચ્યા તેમાંથી ગામમાં રામજી મંદિરમાં ભગવાનને માટે ચાંદીનો મુગટ કરાવ્યો અને ગામમા એક પરબ પણ મંડાવી.
રવિશંકર મહારાજને એ બાઇને મળવાનું થયું ત્યારે તેમણે બાઇને પૂછ્યું, “બેન તમે બળદ કેમ વેચી નાખ્યા !”
“મા’રાજ એ તો એમના (બાઇના ધણીના) હતા ને-તે મારાથી કેમ લેવાય ?”
“પણ જમીન તો દીકરીને આલવી’તીને”. મા’રાજે કહ્યું, “દીકરીને શું કામ આપું ? એ એનું નસીબ લઇને નથી આવી ?”
ધૂળીના શબ્દે શબ્દે તેજ ટપકતું હતું.
મા’રાજે આગળ પૂછ્યું, “પણ બેન તમે ગોળ કેમ નથી લેતા ?”
“મા’રાજ બધી મિલ્કત ધર્માદા કરી દીધી. તો હવે મારાથી ધર્માદાનું શી રીતે લેવાય ?”
“પણ ચણા લો છો ?” “હા, ચણા વેચાતા મળે છે તેથી બે આનાના લઉં છું” “પણ ગોળ લેતા હો તો ?” “ગોળ વેચાતો મળતો નથી. તે તો મફતમાં અપાય છે તેથી મારાથી તે શી રીતે લેવાય ? પણ તે વેચાતો મળશે તો લઇશ.”
બાઇની તેજસ્વી વાણી સાંભળી મહારાજને આશ્ચર્ય થયું કે આ પછાત કોમની અભણ શ્રમજીવી બાઇમાં આ સમર્પણની ભાવના અને ઓજ ક્યાંથી પ્રગટ્યું ?
પોતાની જાતને ઉચ્ચ ગણાવતા અને શિક્ષિત ખાનદાની, સંસ્કારી સમજતાં રાષ્ટ્રનું નેતૃત્વ સંભાળનારા, સાંસદો, ધારાસભ્યો, પ્રધાનો, મંત્રીઓ-બધાને પૂછવાનું મન થાય કે તમારામાં-આપણામાં બધામાં આવું મફતનું ન લેવાનું ઓજ છે ખરું ? તો શા ને આપણે પોતાની જાતને ઉંચ વર્ણના-સંસ્કારી અને શિક્ષિત ગણાવીએ છીએ ? નથી લાગતું કે આ ધૂળી પાસેથી આપણે બધાએ પ્રેરણા લેવા જેવું છે ? જો તેની પાસેથી બધા પ્રેરણા લે તો રાષ્ટ્રની જે બરબાદી થઇ છે તમાંથી નિશ્ચિતરૂપે રાષ્ટ્ર બહાર નીકળશે.
રવિશંકર મહારાજ માટે એક સમસ્યા હતી કે આ બાઇને આવી પ્રેરણા ક્યાંથી મળી ? અને તેનો જવાબ તેમણે મેળવ્યો. બાઇને પોતાની મહેનતમાંથી – મારા પસીનાની કમાણીનું જ હું ખાઇશ – મફતનું હું લઇશ નહીં એ ભાવનાથી આ પ્રેરણા મળી હશે. તેનું જે ઓજ હતું તે તેના શરીર શ્રમમાંથી, જીવવાની નિષ્ઠામાંથી નિર્માણ થયું હતું.
પંચાસર ગામમાં ધૂળી નામની કોળી બાઇ સાધારણ સ્થિતિની હોવા છતા, તે બાઇ કોઇ દિવસ મફત ગોળ ન લેતી. પણ તેનાથી સારી સ્થિતિના લોકો મફતમાં ગોળ લઇ જતાં.
થોડા સમય પહેલાં આ બાઇનો પતિ મરી ગયો અને દીકરો પણ મરી ગયો. તેની જમીન ખેડનારું કોઇ રહ્યું નહીં. તેથી તેણે બળદ વેચી નાખ્યો. તેના જે પૈસા આવ્યા તે એક ગૃહસ્થને આપી કહ્યું કે, ‘મરનારનું ભલું થાય તેવા કામમાં રૂપિયા વાપરજો’.
પેલા ગૃહસ્થે ગામમાં કૂવો ખોદાવ્યો. ત્યાં ભાગ્યે જ મીઠું પાણી નીકળતું પણ પ્રભુકૃપાએ આ કૂવામાં મીઠું પાણી નીકળ્યું.
તેણે જમીન વેચી જે પૈસા આવ્યા તે કૂતરાને રોટલા ખાવા તથા પરબડીમાં આપી દીધા. થોડા રૂપિયા બચ્યા તેમાંથી ગામમાં રામજી મંદિરમાં ભગવાનને માટે ચાંદીનો મુગટ કરાવ્યો અને ગામમા એક પરબ પણ મંડાવી.
રવિશંકર મહારાજને એ બાઇને મળવાનું થયું ત્યારે તેમણે બાઇને પૂછ્યું, “બેન તમે બળદ કેમ વેચી નાખ્યા !”
“મા’રાજ એ તો એમના (બાઇના ધણીના) હતા ને-તે મારાથી કેમ લેવાય ?”
“પણ જમીન તો દીકરીને આલવી’તીને”. મા’રાજે કહ્યું, “દીકરીને શું કામ આપું ? એ એનું નસીબ લઇને નથી આવી ?”
ધૂળીના શબ્દે શબ્દે તેજ ટપકતું હતું.
મા’રાજે આગળ પૂછ્યું, “પણ બેન તમે ગોળ કેમ નથી લેતા ?”
“મા’રાજ બધી મિલ્કત ધર્માદા કરી દીધી. તો હવે મારાથી ધર્માદાનું શી રીતે લેવાય ?”
“પણ ચણા લો છો ?” “હા, ચણા વેચાતા મળે છે તેથી બે આનાના લઉં છું” “પણ ગોળ લેતા હો તો ?” “ગોળ વેચાતો મળતો નથી. તે તો મફતમાં અપાય છે તેથી મારાથી તે શી રીતે લેવાય ? પણ તે વેચાતો મળશે તો લઇશ.”
બાઇની તેજસ્વી વાણી સાંભળી મહારાજને આશ્ચર્ય થયું કે આ પછાત કોમની અભણ શ્રમજીવી બાઇમાં આ સમર્પણની ભાવના અને ઓજ ક્યાંથી પ્રગટ્યું ?
પોતાની જાતને ઉચ્ચ ગણાવતા અને શિક્ષિત ખાનદાની, સંસ્કારી સમજતાં રાષ્ટ્રનું નેતૃત્વ સંભાળનારા, સાંસદો, ધારાસભ્યો, પ્રધાનો, મંત્રીઓ-બધાને પૂછવાનું મન થાય કે તમારામાં-આપણામાં બધામાં આવું મફતનું ન લેવાનું ઓજ છે ખરું ? તો શા ને આપણે પોતાની જાતને ઉંચ વર્ણના-સંસ્કારી અને શિક્ષિત ગણાવીએ છીએ ? નથી લાગતું કે આ ધૂળી પાસેથી આપણે બધાએ પ્રેરણા લેવા જેવું છે ? જો તેની પાસેથી બધા પ્રેરણા લે તો રાષ્ટ્રની જે બરબાદી થઇ છે તમાંથી નિશ્ચિતરૂપે રાષ્ટ્ર બહાર નીકળશે.
રવિશંકર મહારાજ માટે એક સમસ્યા હતી કે આ બાઇને આવી પ્રેરણા ક્યાંથી મળી ? અને તેનો જવાબ તેમણે મેળવ્યો. બાઇને પોતાની મહેનતમાંથી – મારા પસીનાની કમાણીનું જ હું ખાઇશ – મફતનું હું લઇશ નહીં એ ભાવનાથી આ પ્રેરણા મળી હશે. તેનું જે ઓજ હતું તે તેના શરીર શ્રમમાંથી, જીવવાની નિષ્ઠામાંથી નિર્માણ થયું હતું.
-પરમાનંદ ગાંધી
સરગમ 15 માંથી
0
comments
Subscribe to:
Post Comments (Atom)