અસ્પૃશ્ય કેમ?
Thursday, October 29, 2009
ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે સભામાં બેઠા હતા. બધા શિષ્યો ગૌતમ બુદ્ધની સ્થિરતા જોઇને ચિંતા કરવા લાગ્યા કે ગૌતમ બુદ્ધની તબિયત તો નહિ બગડી હોય ને??? એવામાં એક ચિંતાતુર શિષ્ય બોલ્યો : પ્રભુ ! આજ આવી રીતે મૌન કેમ બેઠા છો? શું અમારાથી કોઈ અપરાધ થયો છે? એટલામાં એક બીજો શિષ્ય બોલ્યો : પ્રભુ શું આજ તમારી તબિયત બરાબર નથી?
ગૌતમ બુદ્ધ તો પણ મૌન જ રહ્યા.
એટલામાં એક બહાર ઉભેલો વ્યક્તિ જોરથી બોલ્યો, આજે મને સભામાં બેસવા અનુમતિ કેમ ના આપી? ગૌતમ બુદ્ધ ધ્યાન મગ્ન થઇ ગયા.પેલો વ્યક્તિ ગુસ્સાથી બોલ્યો, મને પ્રવેશની અનુમતિ કેમ નહિ? એક ઉદાર શિષ્યે પેલા વ્યક્તિ નો પક્ષ લઈને કહ્યું: પ્રભુ! એને સભામાં બેસવાની અનુમતિ આપો.
ગૌતમ બુદ્ધ બોલ્યા, "નહિ........... એ અસ્પૃશ્ય છે, તેને અનુમતિ ના દેવાય. " અસ્પૃશ્ય ?????? બધા શિષ્યો આશ્ચર્ય ચકિત થઇ ગયા. ગૌતમ બુદ્ધ શિષ્યો ના મનોભાવ કળી ગયા અને કહ્યું કે " હા, તે અસ્પૃશ્ય છે." ત્યારે ઘણા શિષ્યો બોલી ઉઠ્યા કઈ રીતે અસ્પૃશ્ય ?? આપણાં સમુદાયમાં તો કોઈ નાતજાતનો ભેદભાવ નથી તો આ અસ્પૃશ્યતા ક્યાંથી આવી? આવી દલીલ સાંભળી ગૌતમ બુદ્ધે ખુલાસો કર્યો કે આજે તે ક્રોધિત થઇ ને આવ્યો છે અને ક્રોધ થી જીવન માં ઘણું અનિષ્ટ થાય છે, તેના ક્રોધ ને હિસાબે મેં તે ને અશ્પૃસ્ય કહ્યો છે અને થોડો સમય એકાંત માં રહેશે એટલે તે ક્રોધના કારણ વિષે વિચારી શકશે અને બાદ માટેનું પ્રાયશ્ચિત કરી લેશે.
અહી ગૌતમ બુદ્ધે અસ્પૃશ્યતા માટે ક્રોધ ને જવાબદાર ઠેરવ્યું.
ગૌતમ બુદ્ધ તો પણ મૌન જ રહ્યા.
એટલામાં એક બહાર ઉભેલો વ્યક્તિ જોરથી બોલ્યો, આજે મને સભામાં બેસવા અનુમતિ કેમ ના આપી? ગૌતમ બુદ્ધ ધ્યાન મગ્ન થઇ ગયા.પેલો વ્યક્તિ ગુસ્સાથી બોલ્યો, મને પ્રવેશની અનુમતિ કેમ નહિ? એક ઉદાર શિષ્યે પેલા વ્યક્તિ નો પક્ષ લઈને કહ્યું: પ્રભુ! એને સભામાં બેસવાની અનુમતિ આપો.
ગૌતમ બુદ્ધ બોલ્યા, "નહિ........... એ અસ્પૃશ્ય છે, તેને અનુમતિ ના દેવાય. " અસ્પૃશ્ય ?????? બધા શિષ્યો આશ્ચર્ય ચકિત થઇ ગયા. ગૌતમ બુદ્ધ શિષ્યો ના મનોભાવ કળી ગયા અને કહ્યું કે " હા, તે અસ્પૃશ્ય છે." ત્યારે ઘણા શિષ્યો બોલી ઉઠ્યા કઈ રીતે અસ્પૃશ્ય ?? આપણાં સમુદાયમાં તો કોઈ નાતજાતનો ભેદભાવ નથી તો આ અસ્પૃશ્યતા ક્યાંથી આવી? આવી દલીલ સાંભળી ગૌતમ બુદ્ધે ખુલાસો કર્યો કે આજે તે ક્રોધિત થઇ ને આવ્યો છે અને ક્રોધ થી જીવન માં ઘણું અનિષ્ટ થાય છે, તેના ક્રોધ ને હિસાબે મેં તે ને અશ્પૃસ્ય કહ્યો છે અને થોડો સમય એકાંત માં રહેશે એટલે તે ક્રોધના કારણ વિષે વિચારી શકશે અને બાદ માટેનું પ્રાયશ્ચિત કરી લેશે.
અહી ગૌતમ બુદ્ધે અસ્પૃશ્યતા માટે ક્રોધ ને જવાબદાર ઠેરવ્યું.
0
comments
Subscribe to:
Post Comments (Atom)