મહાશિવરાત્રિ

Monday, February 23, 2009

મહા વદ ચૌદશ - મહાશિવરાત્રિ

"ત્ર્યંબકમ યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ
ઉર્વારૂકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત."
મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની સુરક્ષામાં સહાયતા થાય છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી અડચણો પણ દૂર થાય છે. નીચે લખેલી પરિસ્થિતિની અંદર પણ આ મંત્રનો જાપ કરવામાં આવે છે.
1) કોઈ મોટા રોગથી પીડિત હોવા પર
2) જમીન-મિલ્કતના ભાગલાની સંભાવના હોય તો
3) રાજ્ય કે મિલ્કતના જવાનો ભય હોય
4) ધન-હાનિનો ભય હોય
5) નાડીદોષ અને ષડષ્ટ વગેરે આવતાં હોય
6) મન ધાર્મિક કાર્યોથી વિમુક્ત થઈ ગયું હોય
7) રાષ્ટ્રનું વિભાજન થઈ ગયું હોય
8) મનુષ્યની અંદર પરસ્પર ઝઘડા થઈ રહ્યાં હોય
ભારતભરના લાખો મંદિરો અને ઘરો માં આખી રાત મહાપુજા અને રુદ્રાભિષેક નું આયોજન આજે થાય છે.

મહાદેવ બધા દેવોના દેવ છે. આજે આપણે સૌપ્રથમ તેમના સ્વરુપને જાણવાની કોશિશ કરીયે. તેઓ સદાશિવ છે. તેમનું રહેવાનું સ્મશાન માં છે. ભોજન ખપ્પરમા વાહન આખલો વસ્ત્રો મૃગચર્મ શરીરે ભસ્મ તથા સાપ વીંટળાયેલા છે.

તેમના સાથીઓ તરીકે ભુતપ્રેત તથા ભીલો છે. આમ શિવ મહેલો રાણીઓ મિષ્ટાનોના વૈભવ ના દેવ નથી. છ્તા કહે છે કે જ્યારે શિવને આખલા ઉપર બેસીને સામેથી આવતા જોવે તો ઇન્દ્ર પણ ઐરાવત પરથી ઉતરીને તેમને વંદન કરે.

આમ શિવ દેવાધિદેવ છે. તેઓ ભોળા છે. તેમને તપ કરીને પ્રસન્ન કરી શકાય છે. તેઓ નિલકંઠ છે. ઝેરને ગળામા જ પચાવી દીધું છે. તેજ પ્રમાણે આપણે જીવરુપી શિવ છીએ. અને કડવાશ નું ઝેર આપણે મોંમાથી બહાર નથી કાઢવાનું. ગળામાંજ પચાવવાનું છે. તેઓ પરમ કૃપાળુ છે છતા કોપાયમાન પણ એટલા જ થઈ શકે છે. જેને આપ્ણે રુદ્ર અવતાર કહીયે છીએ. રુદ્રાભિષેક નો અનેરો મહીમા છે.

આપણા દેશમાં બાર જ્યોતિલિંગ આવેલા છે. તેમાથી પાંચ તો મહારાષ્ટ્ર માં આવેલ છે. શિવલિંગ પણ અનેક પ્રકાર ના આવે છે. તેમા પારાનું શિવલિંગ સૌથી ઉચ્ચ પ્રકાર નું મનાયુ છે. તે શિવાય સોનાનું રજતનુ માટીનુ સ્ફટિકનું શિવલિંગ મલે છે. શિવ ને મહામ્રુત્યંજય મહાદેવ પણ કહે છે. ફકત દેવાધિદેવ શિવમાં જ એ શક્તિ છે કે જે યમને પાછો કાઢીને જીવ ને બચાવી શકે છે. શિવજીને બિલ્વ અતિશય પ્રિય છે. મા પાર્વતીએ બિલીપત્રનો અભિષેક કરીને જ શિવજીને પતિરુપે મેળ્વ્યા હતાં. હિમાલયના કૈલાશ પવઁત પર શિવજીનો વાસ મનાય છે. જે જે લોકો હિમાલય ગયા છે અને કેદારનાથ ના દર્શન કર્યા છે તેમને અલૌકિક અનુભુતી થયેલ છે. શિવ તેમને હજરાહજુર પર્વતની વચમાં તેમને દેખાય છે.

આપણે પણ સઘળી સૃષ્ટીને શિવરુપી દેખીને આપણા જીવન ને પાવન કરીયે.
પ્રાચી વ્યાસ

Posted by Ashok at 4:16 PM  
0 comments

Post a Comment

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters