ગઝલ

Thursday, September 25, 2008

ग़म खाने में बोदा दिल-ए ना-काम बहुत हैयह रन्‌ज कि कम है मै-ए गुल्‌फ़ाम बहुत
સહન કરવામાં મારુ દિલ નબળુ બહુ છે, એ વાતનુ દુઃખ છે કે લાલ રંગનો શરાબ પણ ઓછો છે - બહુ છે.

कह्‌ते हुए साक़ी से हया आती है वर्‌नहहै यूं कि मुझे दुर्‌द-ए तह-ए जाम बहुत है
કહેવામાં શરાબ પીવડાવનારને મને શરમ આવે છે બહુ નહી તો, મારા જામમાં સાકીએ આપી શરાબ બહુ ઓછી છે.

ने तीर कमां में है न सैयाद कमीं मेंगोशे में क़फ़स के मुझे आराम बहुत हैન
તો તીર કમાન પર છે કે ન શિકારી છે, આ પિંજરાના ખુણામાં મને આરામ બહુ છે.

ज़म्‌ज़म ही पह छोड़ो मुझे क्‌या तौफ़-ए हरम सेआलूदह ब मै जामह-ए अह्‌राम बहुत है
મને ઝમઝમની વાવ (કુવા) પાસે છોડી મુકો કે હું મારા પહેરણ પરથી શરાબના ડાઘા ઘોઈ શકુ, શરાબના ડાઘા વાળા પહેરણ સાથે હું કાબામાં કઈ રીતે જઈશ?


है क़ह्‌र गर अब भी न बने बात कि उन कोइन्‌कार नहीं और मुझे इब्‌राम बहुत है
છે હજી ખુબ જ મુશ્કેલ કે વાત કદાચ આગળ ના વધે કે એમની, ના નથી અને છતાં મને અજંપો બહુ જ છે


ख़ूं हो के जिगर आंख से टप्‌का नहीं अय मर्‌गरह्‌ने दे मुझे यां कि अभी काम बहुत ही
હૃદય હજી લોહી બની આંખથી ટપક્યુ નથી પણ, રહેવા દે મને અહી કે મારે કામ (અરમાન/ઈચ્છા) બહુ જ છે

होगा कोई ऐसा भी कि ग़ालिब को न जानेशा`इर तो वह अच्‌छा है पह बद्‌नाम बहुत है
હશે એવુ પણ કોઈ કે જે ગાલિબને ન જાણે, શાયર તો તે બહુ સારો છે પણ તે બદનામ પણ બહુ છે.

ग़म खाने में बोदा दिल-ए ना-काम बहुत हैयह रन्‌ज कि कम है मै-ए गुल्‌फ़ाम बहुत है
દુઃખને સહન કરવામાં મારુ દિલ નબળુ બહુ છે, એ વાતનુ દુઃખ છે કે લાલ રંગનો શરાબ પણ ઓછો છે - બહુ છે.

कह्‌ते हुए साक़ी से हया आती है वर्‌नहहै यूं कि मुझे दुर्‌द-ए तह-ए जाम बहुत है
કહેવામાં શરાબ પીવડાવનારને મને શરમ આવે છે બહુ નહી તો, મારા જામમાં સાકીએ આપી શરાબ બહુ ઓછી છે.

ने तीर कमां में है न सैयाद कमीं मेंगोशे में क़फ़स के मुझे आराम बहुत ही
ન તો તીર કમાન પર છે કે ન શિકારી છે, આ પિંજરાના ખુણામાં મને આરામ બહુ છે

.ज़म्‌ज़म ही पह छोड़ो मुझे क्‌या तौफ़-ए हरम सेआलूदह ब मै जामह-ए अह्‌राम बहुत है
મને ઝમઝમની વાવ (કુવા) પાસે છોડી મુકો કે હું મારા પહેરણ પરથી શરાબના ડાઘા ઘોઈ શકુ, શરાબના ડાઘા વાળા પહેરણ સાથે હું કાબામાં કઈ રીતે જઈશ?

है क़ह्‌र गर अब भी न बने बात कि उन कोइन्‌कार नहीं और मुझे इब्‌राम बहुत है
છે હજી ખુબ જ મુશ્કેલ કે વાત કદાચ આગળ ના વધે કે એમની, ના નથી અને છતાં મને અજંપો બહુ જ છે


ख़ूं हो के जिगर आंख से टप्‌का नहीं अय मर्‌गरह्‌ने दे मुझे यां कि अभी काम बहुत ही
હૃદય હજી લોહી બની આંખથી ટપક્યુ નથી પણ, રહેવા દે મને અહી કે મારે કામ (અરમાન/ઈચ્છા) બહુ જ છે

होगा कोई ऐसा भी कि ग़ालिब को न जानेशा`इर तो वह अच्‌छा है पह बद्‌नाम बहुत है
હશે એવુ પણ કોઈ કે જે ગાલિબને ન જાણે, શાયર તો તે બહુ સારો છે પણ તે બદનામ પણ બહુ છે.

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા
- ग़ालिब

Posted by Ashok at 2:44 PM 0 comments  

પ્રકૃતિ

Wednesday, September 24, 2008

પ્રકૃતિનુ સામિપ્ય,
જાણે કે,
એક જિવન જિવ્યાનો અનુભવ,
વૃક્ષ,પાન, ડાળ,ફુલો,
જાણે કે,
મારુ જ અસ્તિત્વ,ક્યારેક,
હુ કોઇ પવન ની લહેરખી બની હોઉ,
કે પછી,
કોઇ વાદળી બની વરસી હોઉ,
કોઇ નદીનુ વહેણ
કે,
કોયલનો ટહુકો બની હોઉ,
કે પછી,
કોઇ સુન્દર મજાના ફુલની,
સુવાસ બની પ્રસરાઇ હોઉ,
બધુ જ શક્ય છે,
મારા રોમે-રોમ માથી,
ખુશી ટપકે છે,
એક સનાતન સત્યતા,
પ્રકૃતિની અલ્લડતા બની ને,,,
શ્લોકા

Posted by Ashok at 12:04 PM 0 comments  

મહાસાગર્

અધુરપ નામે મહાસાગર્,
ઉછળે છે અંતરનાં ઘેરાવા માં,
ચોમેર ઉછાળા મારે છે,
અને શરુ થાય છે,
એક અનંત સિલસિલો,
ક્યાક આશાઓનુ ફેલાવુ,
ક્યાક અપેક્ષાઓનુ સંકોચાવુ,
ક્યાક અભાવોની છલોછલતા,
અને,
તો યે સંપુર્ણતા ,
મહાસાગરની સંપુર્ણતા,
કદાચ્,
ક્યાક અધુરપમાં પણ પુર્ણતા સમાઈ હશે,,,

શ્લોકા

Posted by Ashok at 12:00 PM 0 comments  

30 દિવસમાં તંદુરસ્તી

Tuesday, September 23, 2008


30 આધ્યાત્મિક ગોળીઓ !!
* ચિંતા કરવી છોડી દો - ચિંતા માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વાસ રાખશો તો તેઓ પણ એવો જ
પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો - તમારું દુઃખ હળવું થશે.
* થોડો સમય એકાંતમાં ગાળો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો - મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
* ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે.
* અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે.
* સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે.
* હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે.
* તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
* ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે.
* રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

Posted by Ashok at 2:05 PM 1 comments  

વહેતો રહ્યો

Monday, September 22, 2008

સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,
સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.
સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.
ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.
રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,
મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.
શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

Posted by Ashok at 7:22 PM 0 comments  

તારા વિના

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…
તારા વિના…
તારા વિના…
જવા દે,કશું જ કહેવું નથી.
અને કહેવું પણ કોને તારા વિના ?

સુરેશ દલાલ

Posted by Ashok at 7:15 PM 0 comments  

રે મન....

રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબીએ ઘૂઘવતે દરિયે
રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ
પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ
દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે,
પી લેજીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ

હરીન્દ્ર દવે

Posted by Ashok at 7:08 PM 0 comments  

રાત જાય છે...

Sunday, September 21, 2008

થઇ ગ્યું મિલન, પ્રચાર કરો, રાત જાય છે,
પડછાયા સાથે પ્યાર કરો, રાત જાય છે.

બેઠા છો એમ જાણે હશે ચાંદનીનું કામ,
સચ્ચાઇનો સ્વીકાર કરો, રાત જાય છે.

વાતો ઘણી થઇ ને ખુલાસા ઘણા થયા,
થોડો હવે તો પ્યાર કરો, રાત જાય છે.

પાગલ છો ચાંદનીને કહો છો કે 'જા નહી'.
કંઇ એનો તો વિચાર કરો, રાત જાય છે.

લ્યો આવી પહોંચી જીવના આરામની મજલ,
આંખોનાં બંધ દ્વાર કરો, રાત જાય છે.

"સૈફ" એને શું તમારી મહોબ્બતની કંઇ શરમ,
બેસો-ને ઇંતેજાર કરો - રાત જાય છે.

સૈફ પાલનપુરી

Posted by Ashok at 11:15 PM 0 comments  

ટુચકા

બે ગાંડાને કોર્ટમાં હાજર કર્યા ત્યારે
ન્યાયધીશે પહેલા ગાંડાને પુછ્યુઃ 'ક્યાં રહે છે?'
પહેલા ગાંડાએ જવાબ આપ્યોઃ 'મારે કોઇ ઘર નથી'.
બીજા ગાંડાને પુછ્યુઃ અને તું? બીજો ગાંડો કહે, 'જી હું તેનો પાડોશી છું.'
******* ******* *******

માનવઃ મારા પપ્પા બાળપણમાં ખૂબ જ બળવાન હતા.
વિજયઃ તને કેવી રીતે ખબર પડી?
માનવઃ મારા દાદા કહેતા હતા કે જ્યારે તારા પપ્પા રડતા હતા ત્યારે આખુ ઘર માથે લેતા હતા.
******* ******* ******

શિક્ષકઃ કનુ, આ નદીનું પાણી ગરમકેમ છે?
કનુઃ સર, માછલીઓ રસોઇ બનાવતી હશે

Posted by Ashok at 10:58 PM 0 comments  

નવું તોફાન

દિલ છે બાળક ને હજી એનું રમતમાં ધ્યાન છે,
એ યો માને એકે સૌ સજ્જન છે સૌ ઇન્સાન છે.

રૂપ છે એક ચંદ્ર જેની આપ છો એક આરસી,
પ્રેમ એક બાળક છે જેને આપનાં અરમાન છે.

મારી ભૂલોને તો હું પોતે માફ કરતો જાઉં છું,
કેટલો સજ્જન છું-મારાં ખુદ પર અહેસાન છે.

મોત નો આઘાત તો જીરવી જવાશે એક દિન,
જીંદગીના ઘાવ જે ઝીલે છે શક્તિમાન છે.

દિલ દઇને કોનું સ્વાગત હું કરું સમજાવશો?
જીંદગી છે ચારદિન, મોત એક દી' મહેમાન છે.

કાલ મઝધારેથી તારણહાર લાવ્યા 'સૈફ'ને,
આજ જોયું તો કિનારે એક નવુ તોફાન છે.

સૈફ પાલનપુરી

Posted by Ashok at 10:55 PM 0 comments  

પ્રેમ

Sunday, September 7, 2008


કહો છો તમે કેમ કે આપણે ઓળખાણ નથી?

કદાચ ભુલ્યા હશો તમે પણ હુ કેમ ભુલી શકુ?


સુની લાંબી સડકો પર, વનરાજી ની વચ્ચે થઇ

હાથ મા હાથ પરોવી ચાલ્યા છીએ આપણ્રે,


શહેર થી દુર, ઝાડ ની નીચે ચાર આંખ એક કરી,

સોનેરી શમણા ભાવિના જોયા છે આપણે.


શાંત રાત્રિ ના છેલ્લા પ્રહર મા વરસાદ ની ભીની મહેક સાથે

નીરવ એકાંતમા પ્રેમનો આલાપ્ છેડ્યો છે આપણે,


ચાર આંખ, બે શ્વાસ્ અને બે ધડકતા દિલ

એક કરીને એકબીજામા ખોવાઇ ગયા છીએ આપણે


પેલા નાનકડા છોડને (પ્રેમના), રોપી એક્બીજાના દીલમા

રાતદીન આંસુઓથી સીંચી સીંચી ખીલવ્યો છે આપણે,


આપણે મળ્યા, છૂટા પડ્યા અને ફરી મળતા પહેલા

પળભર પણ એક્બીજાની યાદમા સૂતા નથી આપણે

અને તમે કહો છો આપણે ઓળખાણ નથી?

હા, એ વાત જૂદી છે કે .........આપણે મળ્યા છીએ હમેશા મારા જ સ્વપ્નમા,


નમ્રતા અમીન

Posted by Ashok at 7:04 PM 0 comments  

ખાલી હાથ


લોકોને ઉદારતાપૂર્વક મદદરૂપ થનાર એક માણસ પોતાની પત્ની સાથે બેંકના લોકરમાંથી છેલ્લો દાગીનો ઉપાડવા જઈ પહોંચ્યો. એક સમય હતો જ્યારે એનું બેંકનું લોકર જર-ઝવેરાત-દાગીનાથી ભરેલું હતું. ખાલી લૉકર જોઈ એની પત્નીએ નિસાસો નાખતાં કહ્યું: ‘‘જોયું, આપણે ખાલી થઈ ગયા !’’પતિ સ્વસ્થ હતો. એણે કહ્યું: ‘‘ના, આપણે આપીને માલામાલ થઈ ગયા !’’


આજે જિંદગીના તમામ માર્ગો રૂપીઆ અને સંપત્તિ તરફ વળતા દેખાય છે. શિક્ષણ પણ શું કામ ? મોટો મસ પગાર, આવક કે મોટા પદ થકી વૈભવશાળી જીવનની શક્યતા ઉભી કરવા.


તત્વજ્ઞાની ડાયોનિયસ પોતાના મિત્ર સાથે એક મેળામાં ગયો હતો. મેળામાં જાતજાતની ચીજ-વસ્તુઓ હતી, પણ ડાયોનિયસે તે પૈકી કશું જ ન ખરીદ્યું. એટલે પેલા મિત્રએ કહ્યું: ‘‘આપણે મેળામાંથી ખાલી હાથે જઈશું ?’’


‘‘કોણ કહે છે મારો હાથ ખાલી છે ? મારા હૃદયમાં માનવજાત પ્રત્યેની લાગણી અને તેમના કલ્યાણ માટેની ભાવના છે. આવી કશી વસ્તુઓ તો મેળામાં મને ક્યાં વેચાવા માટે આવેલી દેખાઈ નહીં. આ જગતમાં એવી અઢળક વસ્તુઓ છે, જેની ડાયોજીનિસને કશી જ જરૂર નથી

Posted by Ashok at 2:55 PM 0 comments  

ચોર અને મહાપુરુષ



મહાપુરુષોની શ્રેણીમાં ચોરને પણ સ્થાન આપવું પડે. ભગવદગીતામાં કહ્યું છે તેમ જે સર્વ પ્રાણીઓની રાગી છે તેમાં સંયમી જાગે છે..આ સંયમી તે જ ચોર કારણ કે ચોર અવાજ, ઉતાવળ, ઉધરસ અને છીંક પર સંયમ રાખી ને બીજાના ઘરમાં હાથફેરો કરી શકે છે! ચોર પર ઇશ્વરની અસીમ કૃપા હોય છે. મોટાભાગની દુનિયાને પરિશ્રમ કરવાને જેવડો દિવસ બનાવ્યો છે એવડી જ રાત ઇશ્વરે ફક્ત ચોર માટે જ બનાવી દીધી છે! ચોરમાં મહાપુરુષનો બીજો ગુણ હોય છે સ્વાશ્રય નો. ગમે તેટલો માલેતુજાર ચોર હોય તો પણ પોતાનું કામ કરવા દાડીયા નાખતો નથી.






અખબારોમાં કેટલીક વખત વાંચવા મળે છે કે ઘરના સભ્યોએ કે શેરીવાળાઓએ ભેગા મળી ચોર ને પકડી લીધો ને લમધાર્યો. ચોરી કરવા પધારેલો ચોર જો આ રીતે યજમાનના ઘેર કે શેરીમાં મરી જાય ત્યારે યજમાનને 'ભક્ત હત્યા'નું પાપ લાગે છે અને એ પાપની સજા ભગવાન કાનૂનના નિમિતથી પોલીસને પ્રેરણા આપીને કરાવી લે છે. જ્યારે ચોર રૂપે અતિથિ ઘરધણીને પતાવીને છૂમંતર થઇ જાય તો પણ તેને ક્ષમ્ય ગણીને આશ્વાસનની ઔપચારિક્તા નીભાવવામાં આવે એવું 'પરમ સત્તા' ઇચ્છે છે!






ઘણા ભાગ્યશાળી ચોરને પોતાની કાર્યનિષ્ઠાને કારણે મહાપુરુષોનો ભેટો થયો છે. આવા પ્રસંગોએ મહાપુરુષોએ ચોર સાથે કેવો વ્યવહાર કર્યો છે એ ખુબ રસપ્રદ બની રહે તેવું છે. આવા પ્રસંગો માણીએ;






ગાંધીજી અને ચોર






એક રાતે સાબરમતી આશ્રમમાં ચોર ઘુસ્યો. તે કોઇ કિંમતી સામાનની શોધખોળ કરી રહ્યો હતો. એવામાં એક આશ્રમવાસીની નિંદર ઉડી ગઇ. તેણે બુમો પાડી આથી બીજા લોકો પણ જાગી ઉઠ્યાં. બધાએ મળીને ચોરને પકડી લઇને એક ઓરડીમાં પૂરી દિધો.


ગાંધીજી વહેલી સવારે ઊઠીને ફરવા જાય. આ ક્રમ મુજબ ફરીને તેઓ પાછા આવ્યા ને પોતાના ખંડમાં બેઠાં. આશ્રમવાસીઓએ તેમની પાસે આવીને કહ્યું કે રાતે એક ચોર પકડાઇ ગયો છે. તેને અમે ઓરડીમાં પૂરી દીધો છે. બાપુએ કહ્યું ;' ચોરને મારી સમક્ષ લાવો'


ચોર ને ઓરડીમાંથી કાઢીને એમની સામે રજુ કરવામાં આવ્યો. બાપુએ તેને પહેલો પ્રશ્ન કર્યો; તેં નાસ્તો કર્યો?


એક આશ્રમવાસીએ કહ્યું;'બાપુ! આ ચોરને નાસ્તો કોણ કરાવે?'


ગાંધીજીએ આશ્રમનાં વ્યવસ્થાપકને પૂછ્યું; 'શું આ મનુષ્ય નથી? જ્યારે આપ બધાએ દાળિયા, ગોળ, ચણા વગેરે ખાધા છે તો આને કેમ ન આપ્યા? શું ચોરને ભુખ ન લાગે?'


ગાંધીજીના આ વાક્યો સાંભળીને તે ચોરનીઆંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા, તેણે તે જ વખતે પસ્તાવો કરતા કહ્યું;'બાપુ! મને માફ કરો. હવે હું કદીએ ખરાબ કામ નહી કરું!' અને આ દિવસ થી તે પ્રમાણિક મનુષ્ય બની ગયો.






ઝેન ગુરુ અને ચોર






રયોકન નામે એક ઝેન ગુરુ થઇ ગયા, પર્વતની તળેટીમાં એક ઝૂંપડીમાં રહીને એ સાધના કરતા અને સાદાઇથી રહેતા. એક રાત્રે એમને ત્યાં ચોર આવ્યો પરંતુ ઝૂંપડીમાં ચોરીને લઇ જવા જેવું કશું એને જડ્યું નહી. રયોકને એને જતા રોક્યો અને કહ્યું; તું દૂરથી મને મળવા આવ્યો તેથી તને ખાલી હાથે જવા દઉં તે બરાબર ન ગણાય. તું મારાં કપડાં ભેટ તરીકે લઇ જા.'


ચોરને આશ્ચર્ય થયું પણ એ તો કપડાં લઇ ને રવાના થયો.


રયોકન તો નગ્ન અવસ્થામાં બેઠા બેઠામોજથી ચંદ્રને નીરખતા રહ્યા. પછી એ ધીરેથી બબડ્યાઃ 'બિચારો આદમી! મારું ચાલે તો હું તેને આ સુંદર ચંદ્ર આપી દેત!'






પીપાજી અને ચોર






પીપાજી પહોંચેલા સંત હતા. એક વખત બે ચોર રાતના સમયે તેની ઝૂંપડીમાં આવ્યા અને ઝૂંપડીના આંગણામાં બાંધેલી ગાયને લઇને તેઓ ચાલવા લાગ્યા. પીપાજી તો ઝૂંપડીમાં ભગવાનના ભજનમાં મસ્ત હતા. ગાય ભાંભરવાલાગી, આ અવાજ સાંભળીને પીપાજી બહાર આવ્યા અને જોયું તો બે જણાં ગાયને લઇ જઇ રહ્યાછે. પીપાજી બોલ્યા;'ભાઇઓ! ગાયનું વાછરડું પણ લેતા જાવ! વાછરડા વિના ગાય દૂધ નહી આપે અને વળી બિચારું વાછરડું પણ ગાયના વિયોગ માં મરી જશે.'


સંતના હ્ર્દયની કરૂણાભાવનાથી ચોરોનું હ્ર્દયપરિવર્તન થઇ ગયું. તેઓ પીપાજી ના પગમાં પડી જઇ પ્રતિજ્ઞા કરી કે આજથી ચોરી નહી કરીએ. સંતના પ્રભાવથી ચોરો ભક્ત બની ગયા.






ઝેન મહાત્મા અને ચોર






એક રાત્રે ઝેન મહાત્મા સિચિરિ કોજુન મંત્રપાઠ કરી રહ્યા હતા, એટલામાં એક ચોર ખુલ્લી તલવાર સાથે ઘસી આવ્યો અને પૈસા ન આપે તો જીવ લેવાની ધમકી આપી.


'મને ખલેલ ન પહોંચાડ, પેલા ખાનામાં પૈસા છે.'આટલું કહી ને સિચિરિ પાછા મંત્રપાઠ કરવા લાગ્યા. થોડિકવાર પછી તેમણે ચોરને કહ્યું;'બધા પૈસા લઇ ન જતો, થોડાંક રહેવા દેજે, મારે કાલે કોઇ ને ચૂકવવાના છે.' ચોર તો ઘણાખરા પૈસા લઇને જવા માંડ્યો ત્યારે સિચિરિએ તેને કહ્યું;'જે માણસ પાસેથી ભેટ સ્વિકારી તેનો આભાર તો માનવો જોઇએને!' ચોર આભાર માની ને જતો રહ્યો.


થોડાંક દિવસ બાદ ચોર પકડાઇ ગયો અને તેણે બીજા અનેક ગુનાઓની કબુલાત સાથે સિચિરિને ત્યાં ચોરી કરેલી એ વાત પણ કબુલ કરી. જ્યારે સિચિરિને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું;'મને જ્યાં સુધી લાગે વળગે છેત્યાં સુધી આ માણસ ચોર નથી.મેં તો એને પૈસા આપ્યા હતા અને એણે મારો આભાર પણ માનેલો.'


જેલ માંથી છૂટ્યા બાદ પેલો ચોર મહાત્માસિચિરિનો ચેલો બની ગયો.






****** ****** ****** ******




આમ અવળી જગ્યાએ ચોરી કરવાથી કેટલાય ચોર લોકોએ પોતાનો જુનોધંધો છોડવો પડ્યો છે. આથી એક ચોરના અનુભવી દાદાએ પોતાનાપોતાના નામચીન પુત્રને આખરી શિખામણ આપતા કહેલું કે બેટા! સંતો ભક્તોના આશ્રમો કે ઝૂંપડામાં, રોગીના ખાટલાવાળા ઘરમાં અને તાજા પરણેલા હોય એવા ઘરમાં ભૂલેચૂકેય પગ ન મુકવો, નહીતર તારું ઘર ઉજ્જડ થઇ જશે.






ડૉ.અમૃતલાલ કાંજિયા


હરિપર(ટંકારા)








Posted by Ashok at 11:54 AM 0 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters